બાળકોમાં આ બીમારીનો પ્રકોપ, Adenovirus ટાઇપ 41 થઇ શકે છે તેનું કારણ

Adenovirusની ઓછામાં ઓછી સાત અલગ-અલગ પ્રજાતી હોય છે અને એ પ્રજાતીઓમાં કોરોના વાયરસની જેમ જ ઘણી વખત આનુવાંશિક રૂપાંતરો થાય છે. હાલમાં જ સ્વસ્થ બાળકોમાં લીવર પરના ગંભીર સોજાના કેસ મળી રહ્યા છે. 21 એપ્રિલ સુધી, 12 દેશોના બાળકોમાં અજ્ઞાત પ્રકારના ગંભીર હેપેટાઇટીસના 169 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ UKમાં જોવા મળ્યા છે. દસ વર્ષથી ઓછી વયના બાળકો આ બીમારીનો શિકાર થયા છે.

નાના અને સ્વસ્થ બાળકોમાં આ બીમારી સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સેંકડો લોકોને લીવર ટ્રાંસપ્લાન્ટની જરૂર છે અને એક બાળકનું લીવર ફેઇલ થવાથી મોત થયું છે. પ્રત્યારોપણની સંખ્યા પાછલા વર્ષોમાં સમાન સમય મર્યાદામાં સામાન્ય રીતે જોવા મળતા કેસોમાં ઘણી વધારે છે. બાળકોમાં તીવ્ર હેપેટાઇટીસ કોઇ નવી વાત નથી, પરંતુ આ નવા આંકડા અભૂતપૂર્વ છે અને તેનું કારણ હજુ સુધી આંશીક રૂપે જ સ્પષ્ટ થઇ શક્યું છે. તેનું એક શક્ય કારણ Adenovirus છે.

UKની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અનુસાર UKમા પરીક્ષણ થઇ ચૂકેલા 53માંથી 40 કેસોમાં Adenovirus જ સૌથી સામાન્ય રોગજનક હતો. એજન્સીએ કહ્યું છે કે ‘હેપેટાઇટીસના ગંભીર કેસોમાં વધારો Adenovirus સંક્રમણ જ હોઇ શકે છે, તથા અન્ય કારણો પણ ગંભીરતાથી તપાસ ચાલુ છે.’

Adenovirusનો એક મોટો સમૂહ કે જે જાનવરોની સાથે સાથે મનુષ્યોની એક વિસ્તૃત શૃંખલાને પણ સંક્રમીત કરી શકે છે. Adenovirusમાં અલગ-અલગ પ્રજાતીઓ હોય છે અને તેમાં કોરોના વાયરસની જેમ જ આનુવાંશિક રૂપાંતરો થાય છે, પણ તેમને વેરિયન્ટની જગ્યાએ Adenovirusનો ઉપપ્રકાર કહેવામાં આવે છે. Adenovirus સામાન્ય રીતે મનુષ્યોમાં નાની બીમારીનું કારણ બને છે. તેની કેટલીક પ્રજાતી શ્વાસને લગતી બીમારીનું પણ કારણ બને છે. જેમ કે નાના બાળકોમાં કંઠ રોગનું કારણ બને છે તો કોઇક કંજક્ટીવાઇટિસનું કારણ બને છે અને તેનો ત્રીજો સમૂહ ગેસ્ટ્રોઇંટેરાઇટિસનું કારણ પણ બને છે.

બાળકોમાં તીવ્ર હેપેટાઇટિસના પ્રકોપથી સંગત ઉપપ્રકારને Adenovirus 41 તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અત્ચાર સુધી 74 કેસોમાં વાયરસ હાજર જોવા મળ્યો છે. ઉપપ્રકાર Adenovirus 41 ક્લસ્ટરીંગથી સંબંધીત છે. જે સામાન્ય રીતે હલકાથી મધ્યમ આંત્રશોથથી જોડાયેલું હોય છે. સામાન્ય રીતે ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાના લક્ષણોની સાથે સાથે પેટની સમસ્યા પણ જોવા મળે છે.

સારી ઇમ્યુન સીસ્ટમ ધરાવતા બાળકોમાં અને વયસ્કોમાં Adenovirus એક નાની સમસ્યા ઉભી કરે છે, જેના પરીણામ રૂપે એક કે બે અઠવાડીયામાં બીમારી થવાની આશંકા રહેલી છે. Adenovirusના સંક્રમણથી થતા વાયરલ હેપેટાઇટીસને પહેલા ફક્ત એક દુર્લભ જટીલતા તરીકે ગણવામાં આવી છે. કેસોની સંખ્યા અને બાળકોમાં બીમારીની ગંભીરતાને જોતા વેજ્ઞાનિકો તાત્કાલીક બીમારીના કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રકોપની શરૂઆતમાં, મહામારી પર રીસર્ચ કરતાં વૈજ્ઞાનીકોએ આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે અપીલ કરી હતી અને જાણવા મળ્યું કે આ કેસોનો નાનો સમૂહ નહોતો.

સ્કોટીશ નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર જાણવા મળ્યું છે કે આમાંથી કોઇપણ બાળક એક સ્પષ્ટ ભૌગોલીક પેટર્નમાં રહેતું નહોતું અને હોસ્પિટલમાં દાખલ બાળકોની ઉંમર સામાન્ય રીતે 4 વર્ષની હતી અને રોગને લગતાં અન્ય કોઇ લક્ષણ નહોતા મળ્યા. આ પ્રકારના નિષ્કર્ષ સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવવામાં આવ્યા હતા.

કોવિડની કેટલીક વેક્સીનમાં Adenovirusનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશીયલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું હતું કે શું આ બીમારીના ફેલાવાનું કારણ વેક્સીન હતી. UKમા સામે આવેલા કેસોમાંથી કોઇપણ દર્દીને કોવિડ વેક્સીન આપવામાં નહોતી આવી અને કોવિડ વેક્સીનમાં જે Adenovirusનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો આ વાયરસ સાથે કોઇ સંબંધ નથી.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.