બાળકોમાં આ બીમારીનો પ્રકોપ, Adenovirus ટાઇપ 41 થઇ શકે છે તેનું કારણ

Adenovirusની ઓછામાં ઓછી સાત અલગ-અલગ પ્રજાતી હોય છે અને એ પ્રજાતીઓમાં કોરોના વાયરસની જેમ જ ઘણી વખત આનુવાંશિક રૂપાંતરો થાય છે. હાલમાં જ સ્વસ્થ બાળકોમાં લીવર પરના ગંભીર સોજાના કેસ મળી રહ્યા છે. 21 એપ્રિલ સુધી, 12 દેશોના બાળકોમાં અજ્ઞાત પ્રકારના ગંભીર હેપેટાઇટીસના 169 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ UKમાં જોવા મળ્યા છે. દસ વર્ષથી ઓછી વયના બાળકો આ બીમારીનો શિકાર થયા છે.

નાના અને સ્વસ્થ બાળકોમાં આ બીમારી સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સેંકડો લોકોને લીવર ટ્રાંસપ્લાન્ટની જરૂર છે અને એક બાળકનું લીવર ફેઇલ થવાથી મોત થયું છે. પ્રત્યારોપણની સંખ્યા પાછલા વર્ષોમાં સમાન સમય મર્યાદામાં સામાન્ય રીતે જોવા મળતા કેસોમાં ઘણી વધારે છે. બાળકોમાં તીવ્ર હેપેટાઇટીસ કોઇ નવી વાત નથી, પરંતુ આ નવા આંકડા અભૂતપૂર્વ છે અને તેનું કારણ હજુ સુધી આંશીક રૂપે જ સ્પષ્ટ થઇ શક્યું છે. તેનું એક શક્ય કારણ Adenovirus છે.

UKની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અનુસાર UKમા પરીક્ષણ થઇ ચૂકેલા 53માંથી 40 કેસોમાં Adenovirus જ સૌથી સામાન્ય રોગજનક હતો. એજન્સીએ કહ્યું છે કે ‘હેપેટાઇટીસના ગંભીર કેસોમાં વધારો Adenovirus સંક્રમણ જ હોઇ શકે છે, તથા અન્ય કારણો પણ ગંભીરતાથી તપાસ ચાલુ છે.’

Adenovirusનો એક મોટો સમૂહ કે જે જાનવરોની સાથે સાથે મનુષ્યોની એક વિસ્તૃત શૃંખલાને પણ સંક્રમીત કરી શકે છે. Adenovirusમાં અલગ-અલગ પ્રજાતીઓ હોય છે અને તેમાં કોરોના વાયરસની જેમ જ આનુવાંશિક રૂપાંતરો થાય છે, પણ તેમને વેરિયન્ટની જગ્યાએ Adenovirusનો ઉપપ્રકાર કહેવામાં આવે છે. Adenovirus સામાન્ય રીતે મનુષ્યોમાં નાની બીમારીનું કારણ બને છે. તેની કેટલીક પ્રજાતી શ્વાસને લગતી બીમારીનું પણ કારણ બને છે. જેમ કે નાના બાળકોમાં કંઠ રોગનું કારણ બને છે તો કોઇક કંજક્ટીવાઇટિસનું કારણ બને છે અને તેનો ત્રીજો સમૂહ ગેસ્ટ્રોઇંટેરાઇટિસનું કારણ પણ બને છે.

બાળકોમાં તીવ્ર હેપેટાઇટિસના પ્રકોપથી સંગત ઉપપ્રકારને Adenovirus 41 તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અત્ચાર સુધી 74 કેસોમાં વાયરસ હાજર જોવા મળ્યો છે. ઉપપ્રકાર Adenovirus 41 ક્લસ્ટરીંગથી સંબંધીત છે. જે સામાન્ય રીતે હલકાથી મધ્યમ આંત્રશોથથી જોડાયેલું હોય છે. સામાન્ય રીતે ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાના લક્ષણોની સાથે સાથે પેટની સમસ્યા પણ જોવા મળે છે.

સારી ઇમ્યુન સીસ્ટમ ધરાવતા બાળકોમાં અને વયસ્કોમાં Adenovirus એક નાની સમસ્યા ઉભી કરે છે, જેના પરીણામ રૂપે એક કે બે અઠવાડીયામાં બીમારી થવાની આશંકા રહેલી છે. Adenovirusના સંક્રમણથી થતા વાયરલ હેપેટાઇટીસને પહેલા ફક્ત એક દુર્લભ જટીલતા તરીકે ગણવામાં આવી છે. કેસોની સંખ્યા અને બાળકોમાં બીમારીની ગંભીરતાને જોતા વેજ્ઞાનિકો તાત્કાલીક બીમારીના કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રકોપની શરૂઆતમાં, મહામારી પર રીસર્ચ કરતાં વૈજ્ઞાનીકોએ આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે અપીલ કરી હતી અને જાણવા મળ્યું કે આ કેસોનો નાનો સમૂહ નહોતો.

સ્કોટીશ નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર જાણવા મળ્યું છે કે આમાંથી કોઇપણ બાળક એક સ્પષ્ટ ભૌગોલીક પેટર્નમાં રહેતું નહોતું અને હોસ્પિટલમાં દાખલ બાળકોની ઉંમર સામાન્ય રીતે 4 વર્ષની હતી અને રોગને લગતાં અન્ય કોઇ લક્ષણ નહોતા મળ્યા. આ પ્રકારના નિષ્કર્ષ સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવવામાં આવ્યા હતા.

કોવિડની કેટલીક વેક્સીનમાં Adenovirusનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશીયલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું હતું કે શું આ બીમારીના ફેલાવાનું કારણ વેક્સીન હતી. UKમા સામે આવેલા કેસોમાંથી કોઇપણ દર્દીને કોવિડ વેક્સીન આપવામાં નહોતી આવી અને કોવિડ વેક્સીનમાં જે Adenovirusનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો આ વાયરસ સાથે કોઇ સંબંધ નથી.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.