પ્રેગ્નન્સી રોકવાની આ નવી રીત અપાવશે ઝંઝટોમાંથી મુક્તિ

મા બનવું કોઈપણ મહિલા માટે ખૂબ જ સુખદ અનુભવ હોય છે પરંતુ, જો તમે પ્રેગ્નન્સી ના ઈચ્છતા હો તો પછી તમારી મુશ્કેલી વધી શકે છે. પ્રેગ્નન્સી ના ઈચ્છનારી મહિલાઓ માટે માર્કેટમાં ઘણા પ્રકારની ગર્ભનિરોધક દવાઓ ઉપલબ્ધ છે. આ તમામ દવાઓનું સેવન મહિલાઓએ ઈન્ટરકોર્સ બાદ કરવાનું હોય છે. પરંતુ, વિચારો કે કોઈ એવી બર્થ કંટ્રોલ દવા હોય જેને સેક્સ પહેલા ખાઈ શકાય અને જેનાથી આવનારા 3થી 5 દિવસોમાં પ્રેગ્નન્સીને અટકાવી શકાય. એક નવી સ્ટડી અનુસાર, આવનારા દિવસોમાં આ સંભાવના હકીકતનું રૂપ લઈ શકે છે.

ઈમરજન્સી ઉપયોગ માટે ગર્ભનિરોધક દવાઓમાં પણ હાલ યૂલિપ્રિસ્ટલ એસીટેટ ટ્રસ્ટેડ સોર્સ (UA), લેવોનોજેસ્ટ્રેલ અને સાઈક્લો- ક્સીગેનીડ-2 (COX-2)નો ઉપયોગ થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થયેલા હાલના ક્લીનિકલ ટ્રાયલમાં UA અને COX-2 મેલોક્સિકેમમાંથી બનાવવામાં આવેલી ગર્ભનિરોધક દવાઓ સુરક્ષિત અને કારગર જણાઈ છે. આ સ્ટડી બીએમજે સેક્સુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

જો આપણે પારંપરિક ગર્ભનિરોધકની વાત કરીએ તો તેનું સેવન દરરોજ કરવુ પડે છે જ્યારે ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન સેક્સ બાદ કરવામાં આવે છે. હજુ સુધી પ્રેગ્નન્સી અટકાવવાની એવી કોઈ દવા નથી જેને સેક્સ દરમિયાન ખાઈ શકાય. આ સ્ટડીની ઓથર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રસૂતિ-સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. એરિકા કાહિલે કહ્યું, એવા ઘણા લોકો છે, જેમની કોન્ટ્રાસેપ્ટિવ જરૂરિયાતો પૂર્ણ નથી થઈ શકતી. ઘણી મહિલાઓ ઈચ્છે છે કે, તે જ્યારે સેક્સુઅલી એક્ટિવ હોય, ત્યારે ગર્ભનિરોધકનો ઉપયોગ કરવ પડે. તેમણે દરરોજ ગોળીઓ ના ખાવી પડે.

આ એક્સપરિમેન્ટલ ગર્ભનિરોધકમાં સામેલ યૂલિપ્રિસ્ટલ એસીટેટ અને મેલોક્સીકેમ એ સમયે ઓવ્યૂલેશનને અટકાવે છે જ્યારે ગર્ભધારણની સંભાવના સૌથી વધુ હોય છે. કાહિલે સમજાવ્યું, ઓવ્યૂલેશન પહેલા મહિલાઓનું મ્યૂટિયલ વધેલું હોય છે. એ સમયે ઓવ્યૂલેશનને અટકાવવું સૌથી મુશ્કેલ હોય છે અને પ્રેગ્નેન્ટ થવું સૌથી સરળ હોય છે. લ્યૂટિયલ ફેઝ ઓવ્યૂલેશન બાદ અને પીરિયડ્સ સ્ટાર્ટ થતા પહેલાનો સમય હોય છે. આ દરમિયાન, ગર્ભાશયની લાઈનિંગ મોટી થઈ જાય છે.

જ્યારે લ્યૂટિયલ વધવા માંડે છે તો યૂલીપ્રિસ્ટલ એસીટેટ ઓવલ્યૂલેશનને અટકાવે છે જ્યારે મેલોક્સીકેમ લ્યૂટિયલ વધ્યા બાદ પણ ઓવ્યૂલેશનને અટકાવી શકે છે. ઓન ડિમાન્ડ બર્થ કંટ્રોલની આ દવા કારગર છે કે નહીં, તે જાણવા માટે એક સ્ટડી કરવામાં આવી. આ સ્ટડીમાં 18થી 35 વર્ષની નવ મહિલાઓને બે મહિલાઓએ પીરિયડ્સ પર ધ્યાન આપ્યું. જ્યારે મહિલાઓનું લ્યૂટિયલ વધેલું હતું ત્યારે તેમને 30 ગ્રામ યૂલીપ્રિસ્ટલ એસીટેટ અને 30 ગ્રામ મેલોક્સીકેમ આપવામાં આવી.

શોધકર્તાઓએ આ તમામ મહિલાઓના હોર્મોન્સને માપ્યા અને લ્યૂટિયલ વૃદ્ધિની ઓળખ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો રિવ્યૂ કર્યો. એ જાણવાનો પ્રયત્ન કર્યો કે બંને દવાઓ એકસાથે લેવાથી મહિલાઓમાં ઓવ્યૂલેશન થાય છે કે અટકી જાય છે. આ સ્ટડીમાં જોવા મળ્યું કે, બે દવાઓ એકસાથે લેવાથી 6 મહિલાઓમાં ઓવ્યૂલેશન અટકી ગયું.

કાહિલે કહ્યું કે, ઓન ડિમાન્ડ કોન્ટ્રાસેપ્શનની ખાસ જરૂર છે. લોકો પહેલાથી જ પેરિકોઈટલ કોન્ટ્રાસેપ્શન જેવી ઈમરજનસ્ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ ઘણા લોકો એવા ઉપાયોમાં રસ ધરાવે છે જેમા તેમને ઈંજેક્શન અને ઈમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ માટે ક્લિનિકના ચક્કર ના કાપવા પડે. રિસર્ચર્સનું કહેવુ છે કે, ઓન ડિમાન્ડ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પ્રેગ્નન્સીને અટકાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ, તેને માટે હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.