16 ડિસેમ્બરે વિજય દિવસ પર અદાણી બાંગ્લાદેશને આપશે આ ભેટ, શેખ હસીના સાથે મુલાકાત

દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ઝડપથી ત્રીજા નંબર પર પહોંચેલા ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી હતી અને ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશના લોકો માટે એક મોટી ભેટ આપવાની જાહેરાત કરી હતી.

અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર આ વર્ષના છેલ્લા મહિનાથી બાંગ્લાદેશમાં વીજળીનો સપ્લાય શરૂ કરશે. કંપની ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં 1600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે. હાલમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે. શેખ હસીના સાથે મુલાકાત બાદ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ડિસેમ્બરથી વીજળીનો પુરવઠો શરૂ કરવાની વાત કરી છે.અદાણી પાવર બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજળી સપ્લાય કરશે.

ગૌતમ અદાણીએ બાંગ્લાદેશના PM શેખ હસીનાને મળીને કહ્યું કે તેમની કંપની 16 ડિસેમ્બર સુધીમાં ઝારખંડના થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે. બાંગ્લાદેશમાં, 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગૌતમ અદાણીની સોમવારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત થઇ હતી. એ પછી અદાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે અમે 16 ડિસેમ્બરે બાંગ્લાદેશના વિજય દિવસે 1600 મેગાવોટ ગોડ્ડા પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના પ્રારંભ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવા માટે કટીબદ્ધ છીએ.

આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણકે બાંગ્લાદેશને ભારતની “પડોશી પહેલા”ની પોલીસી હેઠળ એક મહત્ત્વના ભાગીદાર તરીકે માન્યતા આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારે વેપાર અને વાણિજય, વિજળી, ઇંધણ, ટ્રાન્સપોટેશન અને કનેકિટવિટી, સાયન્સ અને ટેકનોલોજી, રક્ષા, નદી અને સમુદ્ધ મામલાઓમાં બધા પડોશી દેશોને સમર્થન આપવાનો વાયદો કર્યો છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયા વિસ્તારમાં ભારતનો સૌથી મોટો ભાગીદાર છે. વર્ષ 2018થી ર્ષ 2022 વચ્ચે બંને દેશોનો વેપાર 9 અરબ ડોલરથી વધીને 18 અરબ ડોલર થઇ ગયો છે.

બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એ પછી બંને દેશાના નેતાઓની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા PM મોદીએ કહ્યુ હતુ કે, ભારત અને બાંગ્લાદેશનો વેપાર ઝડપથી વધી રહ્યો છે. અમે આઇટી, અંતરિક્ષ, પરમાણુ ક્ષેત્રમાં સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. વિજળી ટ્રાન્સમીશન લાઇનો માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Related Posts

Top News

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Gujarat 
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Copyright (c) Khabarchhe All Rights Reserved.