ટોમેટો સોસ પણ નકલી, તમે તો આ લાલ કેમિકલવાળો સોસ નથી ખાતા ને? કેવી રીતે જાણશો?

FSSAI, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, જે નકલી અથવા ભેળસેળયુક્ત ખોરાકની તપાસ કરે છે અને શોધી કાઢે છે. ઉત્તર પ્રદેશના હાપુરમાં, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે નકલી અને ભેળસેળયુક્ત ટમેટો સોસ બનાવતી એક કંપનીને જપ્ત કરી અને લગભગ 235 કિલો સોસ જપ્ત કર્યું. આ ટોમેટો સોસમાં ટામેટાં તો દેખાતા જ ન હતા, પરંતુ તે ગાજરના પલ્પ અને રાસાયણિક રંગમાંથી બનાવવામાં આવ્યું હતું. આ સોસ સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં વેચાય છે, અને તમે તેને ત્યાં ખરીદી ને ખાવ છો. બાળકો પણ આ સોસને ખુશીથી ખાય છે, પરંતુ તમે તેમને સોસને બદલે ઝેર ખવડાવી રહ્યા છો. શું ક્યાંક તમે પણ આવું નકલી અથવા ભેળસેળયુક્ત સોસનું સેવન તો નથી કરતા ને? આજે, અમે તમને નકલી સોસને ઓળખવાની કેટલીક રીતો જણાવીશું.

Adulterated-Tomato-Sauce4
etvbharat.com

નકલી ટોમેટો સોસમાં લાલ કેમિકલ કલર, ગાજરનો પલ્પ અને વિનેગર નાખતા હોય છે, જેથી સ્વાદમાં તે ખાટો અને જાડો બને છે. તમને ટામેટાના નામે છેતરવામાં આવી રહ્યા છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી, સમોસા, મોમો અને બર્ગર સાથે સોસ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે નકલી સોસ તો નથી ખાઈ રહ્યા ને. તે અસલી છે કે નહીં તે જાણવાની કેટલીક રીતો છે.

પાણીથી તપાસો: તમે અસલી સોસ ખાઈ રહ્યા છો કે નહીં તે નક્કી કરવા માટે, તમે તેને પાણીથી ચકાસી શકો છો. એક ગ્લાસ પાણી લો અને તેમાં સોસ રેડો. જો સોસ રંગની જેમ ઓગળી જાય, તો તે નકલી છે. અસલી સોસ સપાટી પર તરતું રહેશે અને પાણીનો રંગ બદલાશે નહીં.

Adulterated-Tomato-Sauce2
livehindustan.com

રંગ દ્વારા તપાસો: નકલી સોસ લાલ રંગની સાથે આછો ભૂરો અથવા કાળો દેખાશે, જ્યારે અસલી સોસ સંપૂર્ણપણે લાલ દેખાશે. નકલી સોસમાં ગઠ્ઠા અને કાળા ધબ્બાઓ પણ દેખાશે, અને રંગમાં ક્યારેક ગાંઠ જેવું પડી જાય છે.

બનાવટથી ઓળખો: જો તમે તમારા હાથમાં અસલી ટમેટાનો સોસ લગાવો છો, તો તે તમને ચીકણું લાગશે નહીં અને તે જાડું લાગશે. જ્યારે, નકલી સોસ ચીકણું લાગશે અને તે તમારા હાથ પર ચોંટી જશે અને તે પાતળું પણ હશે. નકલી સોસને ઘટ્ટ કરવા માટે તેમાં કોર્ન સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે.

Adulterated-Tomato-Sauce
aajtak.in

મીઠાનો ટેસ્ટ: સોસને એક બાઉલમાં મૂકો અને તેમાં મીઠું નાખો. જો સોસનો રંગ બદલાઈને વાદળી થઈ જાય, તો તે ભેળસેળયુક્ત હોવાની શક્યતા છે. આ કિસ્સામાં, એરોરૂટ અથવા રંગ મેળવવામાં આવ્યો હોય શકે છે. અસલી સોસની અંદર મીઠું નાંખવામાં આવે તો પણ ક્યારેય તેનો રંગ બદલાતો નથી.

About The Author

Top News

શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક...
Business 
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા...
National 
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા...
National 
જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.