1 વર્ષ રિલેશનશિપમાં રહ્યો, પછી લગ્ન પણ કર્યા,પાછળથી ખબર પડી ગર્લફ્રેન્ડ પુરુષ છે

On

એક માણસે તેની 'ગર્લફ્રેન્ડ' સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા બંને એક વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. પરંતુ લગ્ન માત્ર 12 દિવસ પછી જ તૂટી ગયા. કારણ કે પતિને ખબર પડી કે તેણે એક પુરુષ સાથે લગ્ન કર્યા છે. અને તેણે આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે પૈસાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ઈન્ડોનેશિયાના રહેવાસી AK સાથે બની હતી. તેની ઉંમર 26 વર્ષ છે અને તે ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર અદિંદા કાન્ઝાને મળ્યો હતો. બંને રિલેશનશિપમાં આવ્યા. AKએ જણાવ્યું કે, તેઓ જ્યારે પણ મળતા ત્યારે અદિંદા હંમેશા નકાબ પહેરીને રાખતી હતી.

AKએ કહ્યું કે, તેને ક્યારેય નકાબથી કોઈ સમસ્યા નથી થઇ, કારણ કે અદિંદાએ કહ્યું હતું કે તેને ધર્મમાં ખૂબ શ્રદ્ધા છે. અદિંદાએ એ પણ જણાવ્યું કે, તેના પરિવારમાં હવે કોઈ જીવિત નથી. રિપોર્ટ અનુસાર, બંનેએ 12 એપ્રિલ 2024ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન AKના ઘરે થયા હતા. એક નાનકડું ફંક્શન થયું. અદિંદા દહેજ તરીકે 5 ગ્રામ સોનું પણ લઈને આવી હતી. પરંતુ લગ્નના બે અઠવાડિયા કરતાં ઓછા સમય પછી, AKને ખબર પડી કે તેની કન્યા ખરેખર 'પુરુષ' છે.

રિપોર્ટ અનુસાર, કાંજા ઘરમાં પણ નકાબ પહેરી રાખતી હતી. આ સિવાય AKએ જણાવ્યું કે, તેની પત્ની સેક્સથી પણ અંતર જાળવી રાખતી હતી. ક્યારેક તે પીરિયડ્સ માટે કહેતી તો ક્યારેક તે અસ્વસ્થ હોવાનું બહાનું કાઢતી હતી.

જ્યારે આ બધું થવા લાગ્યું ત્યારે AKને તેના પર શંકા ગઈ. જ્યારે તેણે થોડી તપાસ કરી તો તેને ખબર પડી કે કાંજાના પરિવારના સભ્યો જીવિત છે અને તે સ્ત્રી નથી પણ પુરુષ છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, અહેવાલમાં ESH તરીકે ઓળખાયેલ વ્યક્તિ- 2020થી એક મહિલાની જેમ કપડાં પહેરી રાખતો હતો અને તેનો અવાજ 'ભારે' હતો, જે સ્ત્રી જેવો દેખાતો હતો. ESHએ પોલીસને જણાવ્યું કે, તેણે પૈસા માટે AK સાથે લગ્ન કર્યા હતા. ESHની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો અનુસાર, જો તે દોષિત સાબિત થાય છે, તો તેને ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.