ખાન સરે ચૂપચાપ કરી લીધા લગ્ન, જણાવ્યું કોણે નાખ્યો દબાવ

ફેમસ યુટ્યુબર ખાન સરે ચૂપચાપ લગ્ન કરી લીધા છે. તેણે પોતાની જિંદગીની આ નવી ઇનિંગની શરૂઆત ખૂબ જ ગુપ્ત રીતે શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, 2 જૂને પટનામાં તેનું રિસેપ્શન પણ આયોજિત કરવામાં આવશે. ખાન સરે પોતાના લગ્ન બાબતે જાણકારી સાર્વજનિક ન કરવા અને ગુપ્ત રીતે લગ્ન કરવા બાબતે વિદ્યાર્થીઓને માહિતી પણ આપી છે. ખાન સર એક વીડિયોમાં એમ કહેતા જોવા મળી રહ્યા છે કે મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો. એવામાં મેં વિચાર્યું કે દેશ સૌથી ઉપર છે, એટલે તણાવની સ્થિતિમાં મેં લગ્નમાં કોઈને આમંત્રિત ન કર્યા.

khan-sir1
indiatv.in

 

તેમણે કહ્યું કે, મેં સૌથી પહેલા આ વાત પોતાના વિદ્યાર્થીઓને આ કહેવાનું વિચાર્યું કારણ કે તેમણે જ ખાન સરને બનાવ્યા છે. 6 જૂનના રોજ ખાન સરે બધા વિદ્યાર્થીઓને લગ્નની મિજબાની આપવાનો પણ વાયદો કર્યો છે. તેણે આ બધી વાતો ક્લાસ દરમિયાન કહી છે. તેમની આ વાતો બાદ, વિદ્યાર્થીઓ જોરથી બૂમો પાડવા લાગ્યા કે સર મેડમનો ફોટો બતાવો. ખાન સર સાથે રહેતા લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ખાન સરે પોતાના લગ્ન બાબતે વધુ જાણકારી આપતા એમ પણ કહ્યું કે મારા નાના ભાઈ લોકો મારા લગ્ન માટે વધુ ઉત્સુક હતા. મારી માતાને કહીને મારા લગ્ન કરાવી દીધા. ઘરમાં બધા જાણે છે કે હું મારી માતાની વાતને અવગણી શકતો નથી.

લોકોના મોઢા પર હંમેશાં એ સવાલ રહેતો હતો કે ખાન સર ક્યારે લગ્ન કરશે. જેનો જવાબ ખાન સરે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને આપી દીધો. વાયરલ વીડિયો દ્વારા આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. લગ્નનું કાર્ડ પણ સામે આવી ચૂક્યું છે. જેમાં તેની દુલ્હનનું નામ એ.એસ. ખાન લખેલું છે.

 

 

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.