શું છે કલબુર્ગી રોટલી, જેના વખાણ PM મોદીએ મન કી બાતમાં પણ કર્યા, શું છે ફાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્થાનિક ઉત્પાદનો (Local Products) અને દેશી ખાદ્યપદાર્થોને મોટા પાયે લોકો સુધી પહોંચાડતી નાની સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. આવો જ એક પ્રશંસનીય કિસ્સો વડાપ્રધાન મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના 123મા એપિસોડમાં જોવા મળ્યો હતો. PM મોદીએ એક અનોખી અને વિશિષ્ટ રોટી વિશે વાત કરી હતી, જે માત્ર મહિલાઓને રોજગારી જ નથી આપી રહી, પરંતુ પૌષ્ટિક ભારતીય આહારની જરૂરિયાતવાળા લોકો સુધી પણ પહોંચી રહી છે.

PM મોદીએ 'મન કી બાત'માં શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘કર્ણાટકના કલબુર્ગીની મહિલાઓની સિદ્ધિ પણ અદ્ભુત છે. તેમણે જુવારની રોટીને એક બ્રાન્ડ બનાવી દીધી છે. તેમણે જે સહકારી મંડળી (Cooperative) બનાવી છે, તેમાં દરરોજ ત્રણ હજારથી વધુ રોટીઓ બનાવવામાં આવી રહી છે. આ રોટીઓની સુગંધ હવે માત્ર ગામડા સુધી મર્યાદિત નથી રહી. બેંગલુરુમાં આના માટે એક વિશેષ કાઉન્ટર ખોલવામાં આવ્યું છે અને ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ્સ પર પણ ઓર્ડર મળી રહ્યા છે. કલબુર્ગી રોટી હવે મોટા શહેરોના રસોડા સુધી પહોંચી રહી છે. આનાથી આ મહિલાઓના જીવન પર ખૂબ મોટી અસર પડી છે અને તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.’

07

શું છે કલબુર્ગી રોટી?

કલબુર્ગી રોટી એ કર્ણાટકના કલબુર્ગી (જે અગાઉ ગુલબર્ગ તરીકે ઓળખાતું હતું) વિસ્તારની એક પરંપરાગત વાનગી છે. તે સામાન્ય રીતે જુવારના લોટમાંથી બનાવવામાં આવે છે, જે ઉત્તર કર્ણાટકના અર્ધ-શુષ્ક જિલ્લાઓનો મુખ્ય પાક છે. આ રોટી તેના મોટા કદ, નરમ ટેક્સચર અને માટીની સોડમ (Earthy Flavor) માટે જાણીતી છે.

  • બનાવવાની રીત: નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રોટી માટેનો લોટ નવશેકા ગરમ પાણીથી તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ગોળ રોટીને હાથની કુશળતાથી થાપીને ગરમ તવા પર શેકવામાં આવે છે.
  • શેની સાથે ખવાય છે: આ ગરમાગરમ રોટીને 'એન્નેગાયી' (ભરેલા રીંગણનું શાક), સીંગદાણાની ગ્રેવીવાળા શાક અથવા લસણ, તલ અને સીંગદાણાની તીખી ચટણીઓ સાથે ખાવાની સૌથી વધુ મજા આવે છે.

મહિલા સશક્તિકરણનું પ્રતીક: 'કલબુર્ગી રોટ્ટી' પહેલ

આ પ્રોજેક્ટ સ્થાનિક ખોરાકને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ ટીમ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. કલબુર્ગીના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચરના મજબૂત સમર્થન સાથે, આ પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર્સ સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ (સ્વયં સહાયતા જૂથો) દ્વારા ઉત્પાદન, ગુણવત્તા અને દૈનિક કામગીરી પર દેખરેખ રાખે છે.

તેમની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ નવતર પ્રયોગના કેન્દ્રમાં એવી મહિલા સાહસિકો (Women Entrepreneurs) છે જેઓ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ પૌષ્ટિક જુવારની રોટીઓ તૈયાર કરે છે. એક નાની માર્કેટિંગ ટીમની મદદથી, તેમનું આ કામ એમેઝોન (Amazon), ઝોમેટો (Zomato) અને મીશો (Meesho) જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સના માધ્યમથી સમગ્ર પ્રદેશના ઘરો અને બજારો સુધી પહોંચી ગયું છે, જે કલબુર્ગી રોટીને પરંપરા અને સશક્તિકરણનું પ્રતીક બનાવે છે.

જુવાર: મિલેટ્સનો રાજા (King of Millets)

સત્તાવાર વેબસાઇટ પર જુવારને ‘મિલેટ્સના રાજા’ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે અત્યંત પૌષ્ટિક, બહુમુખી અનાજ અને આ પ્રદેશનો મુખ્ય ખોરાક છે. તે શરીર માટે જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર છે જે સ્વાસ્થ્યને અઢાર હજાર ફાયદા આપે છે:

  • તે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે.
  • હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
  • તે એન્ટી-ઈન્ફ્લેમેટરી (સોજો ઘટાડનાર) અને કેન્સર સામે લડવાના ગુણો ધરાવે છે.
  • જુવાર પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોવાથી તે દરેક ઉંમરના લોકો માટે અને હેલ્ધી ઓપ્શન શોધતા લોકો માટે એક ઉત્તમ સુપરફૂડ (Superfood) છે.

10

વૈજ્ઞાનિક સંશોધન પણ આપે છે મંજૂરી

સોર્ઘમ એન્ડ હેલ્થ: એન ઓવરવ્યૂ ઓફ પોટેન્શિયલ પ્રોટેક્ટિવ હેલ્થ ઈફેક્ટ્સ’ શીર્ષક હેઠળના એક અભ્યાસમાં જણાવાયું છે કે, જુવાર (Sોર્ઘમ) ના ઉત્પાદનોના સેવનથી ક્રોનિક (ગંભીર) રોગો સાથે જોડાયેલા મેટાબોલિક સૂચકાંકોમાં સુધારો જોવા મળ્યો છે. આમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર, ઓક્સિડેટીવ સ્ટ્રેસ માર્કર્સ અને ભૂખને નિયંત્રિત કરતી તૃપ્તિની સંવેદનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી અસરો સહિત ફાયદાકારક સેલ-મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સ (રોગપ્રતિકારક શક્તિ) ના પ્રાયોગિક પુરાવા પણ મળ્યા છે.

About The Author

Related Posts

Top News

વર્ષમાં 5 ઇ-ચલણ આવ્યા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થઇ જશે સસ્પેન્ડ અને...

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે ઈ-ચલણ અંગે...
Gujarat 
વર્ષમાં 5 ઇ-ચલણ આવ્યા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થઇ જશે સસ્પેન્ડ અને...

મોહરમ દરમિયાન હથિયાર પ્રદર્શન અને DJ પર પ્રતિબંધ, CM યોગીએ કહ્યું- માતમના દિવસે શક્તિ પ્રદર્શનની શું જરૂર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી મહોરમ મનાવવા અંગે કડક નિર્દેશો જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું કે આ શોકનો પ્રસંગ...
National 
મોહરમ દરમિયાન હથિયાર પ્રદર્શન અને DJ પર પ્રતિબંધ, CM યોગીએ કહ્યું- માતમના દિવસે શક્તિ પ્રદર્શનની શું જરૂર

‘અમારા દરેક સાંસદને રૂ. 15 કરોડની ઓફર’, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો મોટો દાવો

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)માં તિરાડ પડી રહી છે. અહેવાલો અનુસાર ઉદ્ધવ જૂથના 9માંથી 7 સાંસદો બળવો...
Politics 
‘અમારા દરેક સાંસદને રૂ. 15 કરોડની ઓફર’, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો મોટો દાવો

Ola સાથે આ શું થયું! એક સમયે ₹53,000 કરોડનું મૂલ્ય ધરાવતી કંપનીનું મૂલ્ય 99 ટકા ઘટી ગયું

હવે ઓલા માટે સમય મુશ્કેલ છે. કંપની EV સ્કૂટરના વેચાણમાં TVS, Bajaj અને Ather કરતા ખૂબ પાછળ જઇ ચૂકી છે....
Tech and Auto 
Ola સાથે આ શું થયું! એક સમયે ₹53,000 કરોડનું મૂલ્ય ધરાવતી કંપનીનું મૂલ્ય 99 ટકા ઘટી ગયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.