આ જિલ્લાના 400 સરપંચોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી, કારણ સામે આવ્યું

ચૂંટણી વચ્ચે મતદાનનો બહિષ્કાર કરવાના અહેવાલો પણ છે. ઘણી વખત, મતદારો ઉમેદવારોથી નારાજ હોવાને કારણે, તેમના સ્થાનિક મુદ્દાઓને લઈને અથવા જો છેલ્લી ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપે છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પણ ઘણા રાજ્યો અને લોકસભા મતવિસ્તારોમાંથી ચૂંટણીના બહિષ્કારના અહેવાલો આવ્યા છે.

આ દિવસોમાં ભીંડમાં જિલ્લા પંચાયત કચેરી એક અખાડો બની ગઈ છે. અહીં જિલ્લા પંચાયતના CEO જગદીશ કુમાર ગોમે સરપંચોને નિયમો શીખવતા મનરેગા હેઠળ મજૂરો દ્વારા કરવામાં આવતા વિકાસ કામો કરાવવાનો આદેશ બહાર પાડ્યો હતો. જેને લઈને સરપંચો રોષે ભરાયા હતા. જ્યારે સરપંચોએ જણાવ્યું હતું કે, કામદારો નથી. તો તેના પર સીધું જ કહેવામાં આવ્યું હતું કે, જો મશીનની મદદથી કોઈ કામ કરવામાં આવશે તો તેનું પેમેન્ટ અટકાવી દેવામાં આવશે. આ બાબત સમગ્ર જિલ્લાના સરપંચોને પરેશાન કરી રહી છે. તેઓ આ મુદ્દે એકત્રિત થઇ રહ્યા છે. સરપંચોએ એક બેઠક બોલાવી હતી, જેમાં તેઓએ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી.

ચંબલ વિસ્તારના ભીંડ જિલ્લામાં સરપંચોએ એક થઈને જિલ્લા પંચાયતના CEO સામે નારાજગી વ્યક્ત કરી છે અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. લગભગ 400 સરપંચો ઇટાવા રોડ પર સ્થિત એક ખાનગી મેરેજ ગાર્ડનમાં એકઠા થયા હતા અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હકીકતમાં ભિંડ જિલ્લાના સરપંચ જિલ્લા પંચાયતના CEO જગદીશ ગોમેથી નારાજ છે. સરપંચોનું કહેવું છે કે, જિલ્લા પંચાયતના CEO દ્વારા સરપંચો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે અને તેમની પંચાયતોમાં કામ થવા દેવામાં આવતું નથી.

સરપંચોએ આક્ષેપ કર્યો હતો કે, સચિવોની બેઠકમાં જિલ્લા પંચાયતના CEOએ સરપંચો સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સરપંચોનું કહેવું છે કે, જિલ્લા પંચાયતના CEO પંચાયતમાં કામ થવા દેતા નથી, આથી તમામ સરપંચો એક થઇ ગયા છે.

400 જેટલા સરપંચો એક ખાનગી મેરેજ ગાર્ડનમાં એકઠા થયા હતા અને એક બેઠક યોજી હતી અને નિર્ણય લીધો હતો કે, જિલ્લા પંચાયતના CEOની ભિંડમાંથી બદલી કરવામાં આવે અને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે. જો આમ નહીં થાય તો તમામ સરપંચો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.

આટલું જ નહીં, તે પોતાના ગામ પહોંચીને લોકોને આ સંદેશ આપશે કે, લોકોએ પણ તેમને સમર્થન આપવું જોઈએ અને ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. જો કે, હજુ સુધી આ મામલે જિલ્લા પંચાયતના CEO તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ એક તરફ જિલ્લા વહીવટીતંત્ર મતદાનની ટકાવારી વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે સરપંચો દ્વારા ચૂંટણી બહિષ્કારની જાહેરાતના કારણે મતદાનની ટકાવારીને અસર થાય તેવી શક્યતાઓ નજરે પડે છે.

Related Posts

Top News

જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

ઉત્તર પ્રદેશના બલિયાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જીન્સ અને T-શર્ટ પહેરેલી ચાર...
National 
જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય...
National 
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ અગાઉ એક હેરાન કરી દેનારો નજારો જોવા મળ્યો હતો. આ મેચ...
Sports 
મેચ અગાઉ સાઈકલથી સ્ટેડિયમ પહોંચ્યા ઈગ્લેંડના ખેલાડી, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તો...

અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે

અમેરિકા ઘણા વર્ષોથી વિદેશી વિદ્યાર્થીઓ માટે ર્સ્વગ ગણાતું હતું, 2023-24માં અમેરિકામાં 11 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પરંતુ...
Education 
અમેરિકાના શિક્ષકની ચેતવણી, વિદેશી વિદ્યાર્થીઓ હવે US ભણવા ન આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.