બીજી પાર્ટીઓમાંથી આવનાર 30 ટકા નેતાઓને BJPની ટિકિટ, જાણો શું બોલ્યા જે.પી. નડ્ડા

2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ 30 ટકા ટિકિટ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે. એવામાં ભાજપ પર કોંગ્રેસીકરણના આરોપ લાગી રહ્યા છે. આ વખત ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ખુલીને પોતાની વાત રાખી અને તેમણે કહ્યુ કે, અમે બધાને પારખીને જ લીધા છે. અમે વિચારધારા સથે સમજૂતી કરતા નથી. કોંગ્રેસીકરણનો તો સવાલ જ નથી.

જે.પી. નડ્ડાએ કહ્યુ કે, જે આવ્યા એ અમારા થઇ ગયા. પાર્ટીને આગળ વધરવા અને વિસ્તાર કરવા માટે લોકોને સામેલ કર્યા છે. તેમાં ત્રણ વસ્તુની ચિંતા કરવી પડે છે. પહેલી વિચારધારા સાથે સમજૂતિ નહી થાય, બીજી કે કેડર ડિસ્ટર્બ ન થાય અને ત્રીજી જનતા વચ્ચે પાર્ટીની પહોંચ વધે. બધાને અમે સમજીવિચારીને જ લીધા છે. બીજી પાર્ટીમાંથી આવનારા નેતા કહે છે કે ભાજપ વધારે સહજ છે. તો પાર્ટી પણ બધાને અત્મસાત કરી લે છે. પાર્ટીમાં આવનારા બધા નેતાઓ સાથે સતત વાતચીત કરતા રહીએ છીએ. રાહુલ ગાંધી કોંગ્રેસમાં 2 વર્ષ સુધી દર્શન આપતા નથી. આ જ કારણ છે કે કોંગ્રેસમાંથી આવતા નેતા ભાજપમા વધુ સહજ અનુભવે છે.

જ્યારે તેમને પૂંછવામાં આવ્યુ કે, ભાજપને હવે RSSની જરુરિયાત નથી? આ સવાલ પર જે.પી. નડ્ડાએ કહ્યુ કે, જુઓ પાર્ટી મોટી થઈ ગઈ છે અને બધાને પોતા પોતાના કર્તવ્ય સાથે ભુમિકાઓ મળી ચૂંકી છે. RSS એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન છે અને અમે એક રાજનીતિક સંગઠન છીએ. આ જરુરિયાતનો સવાલ નથી. આ એક વૈચારિક મોરચો છે. તેઓ વૈચારિક રુપે પોતાનુ કામ કરે છે અને અમે પોતાનું.

તેમણે કહ્યું કે, અમે પોતાના મામલાઓને પોતાની રીતે મેનેજ કરી રહ્યા છીએ અને રાજનીતિક પાર્ટીઓએ એ જ કરવું જોઇએ. એ સિવાય તેમણે મથુરા અને વારાણસી પર પણ વાત કરી. તેમણે એ વાતનો ઇનકાર કર્યો કે, ભાજપની મથુરા અને કાશીમાં વિવાદિત સ્થળો પર મંદિર બનાવવાની કોઇ યોજના છે. ભાજપ પાસે કોઇ વિચાર, યોજના કે ઇચ્છા નથી. અમારી પાર્ટીની સિસ્ટમ એ પ્રકારે કામ કરે છે કે પાર્ટીની વિચાર પ્રક્રિયા સંસદિય બોર્ડમાં ચર્ચાથી નક્કી થાય છે, પછી એ રાષ્ટ્રીય પરિષદ પાસે જાય છે જે તેનું સમર્થન કરે છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.