મલ્લિકાર્જૂન ખરગેએ જણાવ્યું ગઠબંધનમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોણ હશે ચહેરો

2024ની લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ મોટો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિપક્ષી ગઠબંધન INDIA બનાવવાનો આઇડિયા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો નહોતો. આ ગઠબંધનને બનાવવા અને લોકોને એકજૂથ કરવાનો સાચો પ્રયાસ રાહુલ ગાંધીનો હતો. કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જૂન ખરગેએ એ પણ જણાવ્યું કે આ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની તરફથી ચહેરો કોણ હશે. ABP ન્યૂઝ ચેનલના શિખર સંમેલનમાં શુક્રવાર (29 માર્ચ 2024)ના રોજ મલ્લિકાર્જૂન ખરગેએ જણાવ્યું કે, INDIA ગઠબંધનનો આઇડિયા નીતિશ કુમારનો નહોતો.

મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, થયું એવું હતું કે મારા ઘરે રાહુલ ગાંધીએ કહ્યું આપણે બધાને ભેગા કરવાના છે, ત્યારબાદ નક્કી થયું કે, દરેક નેતાને બોલાવીને આપણે લોકો વાતચીત કરીશું અને તેમને કોમન મિનિમમ પ્રોગ્રામ પર લડવા કહીશું. અમે એ હેઠળ ઘણા નેતાઓને ઘરે બોલાવ્યા જેમાં શરદ પવાર, તેજસ યાદવ, નીતિશ કુમાર DMKના લોકો સામેલ હતા. અમે આ પ્રકારે વિભિન્ન પાર્ટીઓના લોકો સાથે વાત કરી હતી. આ તો વધારેલી ચઢાવેલી વાત છે કે નીતિશ કુમાર તેની પાછળ છે. હકીકતમાં તો અમે બધાને બોલાવીને બેઠક કરી અને એકત્ર કર્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં કોણ હશે કોંગ્રેસનો ચહેરો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ચહેરાને લઈને થયેલા સવાલ પર મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, તમારી (BJPવાળાઓના સંદર્ભમાં) પાસે એક નરેન્દ્ર મોદી હશે, પરંતુ અમારી પાસે 140 કરોડ જનતા છે. તો જનતા આ વખત નિર્ણય કરશે. અમે તેના નિર્ણય આગળ માથું ઝુકાવીશું. તેઓ તેમના મોદી છે. તેઓ ભાજપના મોદી છે. તેઓ પૂંજીવાદીઓના મોદી છે. ખેડૂતો, ગરીબો, વિદ્યાર્થીઓ અને મહેનતુ લોકોના મોદી નથી.

જો મોદીની વિચારધારા હોત, તો કેવી રીતે ટકા લોકો 50 ટકા આવક હાંસલ કરી લે છે. આજે મિડલ ક્લાસવાળા પણ મોંઘવારીથી પરેશાન છે, એ લોકો તેમની કોઈ વાત કરતા નથી. મલ્લિકાર્જુન ખરગેએ મોદી સરકાર તરફથી કરવામાં આવેલા વાયદાને લઈને પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાયદા કર્યા હતા, તેમને ગ્રાઉન્ડ પર જઈને જોયા બાદ ખબર પડી જશે કે કેટલું કામ થયું છે.

About The Author

Related Posts

Top News

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.