'જ્યારે હું ગુજરાતનો નવો CM બન્યો...', PM મોદીએ મંચ પરથી કહ્યું- હું આજે એ અમલમાં મૂકી રહ્યો છું

PM નરેન્દ્ર મોદીએ રાજધાની અમરાવતી શહેરના વિકાસ માટે રૂ. 58,000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સ, રોડ, સંરક્ષણ, રેલ્વે અને ઔદ્યોગિક માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને તેમને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ દરમિયાન, PM મોદીએ જણાવ્યું કે, જ્યારે તેઓ ગુજરાતના CM બન્યા ત્યારે તેમણે કયા CM પાસેથી શીખ્યા હતા.

PM Modi
pmindia.gov.in

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, 'જ્યારે હું ગુજરાતનો નવો નવો CM બન્યો હતો, ત્યારે હું હૈદરાબાદમાં CM ચંદ્રબાબુ નાયડુ દ્વારા લેવામાં આવતા નિર્ણયોને નજીકથી અનુસરી રહ્યો હતો. હું ઘણું બધું શીખ્યો અને આજે મને તેનો અમલ કરવાની તક મળી છે.' PM મોદીએ કહ્યું, 'હું મારા અનુભવથી કહું છું કે ભવિષ્યની ટેકનોલોજી હોય કે કામ ખૂબ મોટા પાયે કરવાની જરૂર હોય અને તેને ઝડપથી અમલમાં મૂકવાની જરૂર હોય, CM ચંદ્રબાબુ નાયડુ તે કામ શ્રેષ્ઠ રીતે કરી શકે છે.'

PM Modi
x.com/narendramodi

PM મોદીએ કહ્યું, 'આજે જ્યારે હું અમરાવતીની ભૂમિ પર ઉભો છું, ત્યારે મને ફક્ત એક શહેર જ નહીં પણ એક સ્વપ્ન સાકાર થતું દેખાય છે. એક નવી અમરાવતી અને એક નવું આંધ્ર, અમરાવતી એ ભૂમિ છે જ્યાં પરંપરા અને પ્રગતિ એકસાથે ચાલે છે. આજે, અહીં લગભગ 60,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ફક્ત કોંક્રિટ બાંધકામ જ નહીં પરંતુ આંધ્રપ્રદેશની આકાંક્ષાઓ અને વિકસિત ભારતની આશાઓનો મજબૂત પાયો પણ છે.'

PM Modi
x.com/narendramodi

PM મોદીએ કહ્યું, 'આપણે બધા જાણીએ છીએ કે, ઇન્દ્રલોકની રાજધાનીનું નામ પણ અમરાવતી હતું, પરંતુ હવે અમરાવતી આંધ્રપ્રદેશની રાજધાની છે. આ માત્ર સંયોગ નથી, તે સુવર્ણ આંધ્રના નિર્માણનો શુભ સંકેત પણ છે, સુવર્ણ આંધ્ર વિકસિત ભારતના માર્ગને મજબૂત બનાવશે. અમરાવતી સુવર્ણ આંધ્રના વિઝનને ઉર્જા આપશે.'

PM Modi
x.com/narendramodi

PM મોદીએ કહ્યું, 'અમે હંમેશા આપણા ખેડૂતોના કલ્યાણ અને હિતોને પ્રાથમિકતા આપી છે. છેલ્લા 10 વર્ષમાં, કેન્દ્ર સરકારે પોષણક્ષમ ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લગભગ 12 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. PM પાક વીમા યોજના દ્વારા, આંધ્રપ્રદેશના ખેડૂતોને અત્યાર સુધીમાં 5,500 કરોડ રૂપિયાના દાવા મળી ચુક્યા છે. આ ઉપરાંત, PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આંધ્રપ્રદેશના ખેડૂતોને 17,500 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાયનો લાભ મળ્યો છે.'

PM Modi
bharatexpress.com

PM નરેન્દ્ર મોદીએ કહ્યું, 'અમરાવતી એક એવું શહેર બનશે જ્યાં આંધ્રપ્રદેશના દરેક યુવાનોના સપના સાકાર થશે. આગામી વર્ષોમાં, અમરાવતી IT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા આ તમામ ક્ષેત્રોમાં અગ્રણી શહેર તરીકે ઉભરી આવશે. કેન્દ્ર સરકાર આ બધા ક્ષેત્રો માટે જરૂરી માળખાગત સુવિધાઓ રેકોર્ડ ગતિએ પૂર્ણ કરવામાં રાજ્ય સરકારને મદદ કરી રહી છે.'

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.