કન્યાકુમારીમાં PM ધ્યાન કરવા જવાના છે, કોંગ્રેસે કેમ ચૂંટણી પંચને ફરિયાદ કરી?

2024ની લોકસભાની ચૂંટણી માટે અંતિમ ચરણનું મતદાન 1 જૂને થશે. આ ચરણ માટે 30 મેની સાંજે ચૂંટણી પ્રચાર પ્રસાર સમાપ્ત થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેની સાંજે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે, જ્યાં તેઓ ધ્યાન લગાવશે. જો કે, વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં હવે કોંગ્રેસે અડિંગો લગાવી દીધો છે. તામિલનાડુ કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમના મામલાને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ જવાની પણ વાત કહી છે.

તામિલનાડુ કોંગ્રેસે વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદીના ધ્યાન કાર્યક્રમને લઈને કહ્યું કે, એ ચૂંટણીના અંતિમ ચરણ અગાઉ કરવામાં આવેલું એક નાટક છે. તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે એ અંતિમ ચરણના એક દિવસ અગાઉ વોટ માગવાનું વધુ એક નાટક છે. તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું આયોજન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કેમ કે એ સતત મીડિયા કવરેજના માધ્યમથી મતદાતાઓને પ્રભાવિત કરી શકે છે.

તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ જાહેરાત કરી કે તે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને રોકવાને લઈને ચૂંટણી પંચનો સંપર્ક કરશે. તેની સાથે જ આગામી 3 દિવસોમાં પર્યટકો માટે સંભવિત વ્યાવધાનોનો સંદર્ભ આપતા DGPને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને મંજૂરી ન આપવાનો અનુરોધ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.

તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર ધ્યાન લગાવશે, જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન લગાવ્યું હતું. સત્તાવાર કાર્યક્રમ મુજબ એ અગાઉ 30 મેની સવારે 11:00 વાગ્યે વડાપ્રધાન મોદી હોશિયારપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યા બાદ ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચશે. સાંજે તેઓ કન્યાકુમારી ગેસ્ટ હાઉસ પહોંચશે. ત્યારબાદ તેઓ નાવથી વિવેકાનંદ રોક મેમોરિયલ માટે પ્રસ્થાન કરશે. શનિવારે બપોર સુધી તેઓ ત્યાં જ રહેશે.

Related Posts

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.