કન્યાકુમારીમાં PM ધ્યાન કરવા જવાના છે, કોંગ્રેસે કેમ ચૂંટણી પંચને ફરિયાદ કરી?

On

2024ની લોકસભાની ચૂંટણી માટે અંતિમ ચરણનું મતદાન 1 જૂને થશે. આ ચરણ માટે 30 મેની સાંજે ચૂંટણી પ્રચાર પ્રસાર સમાપ્ત થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેની સાંજે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે, જ્યાં તેઓ ધ્યાન લગાવશે. જો કે, વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં હવે કોંગ્રેસે અડિંગો લગાવી દીધો છે. તામિલનાડુ કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમના મામલાને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચ જવાની પણ વાત કહી છે.

તામિલનાડુ કોંગ્રેસે વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન મોદીના ધ્યાન કાર્યક્રમને લઈને કહ્યું કે, એ ચૂંટણીના અંતિમ ચરણ અગાઉ કરવામાં આવેલું એક નાટક છે. તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે એ અંતિમ ચરણના એક દિવસ અગાઉ વોટ માગવાનું વધુ એક નાટક છે. તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું આયોજન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કેમ કે એ સતત મીડિયા કવરેજના માધ્યમથી મતદાતાઓને પ્રભાવિત કરી શકે છે.

તામિલનાડુ કોંગ્રેસના પ્રમુખ સેલ્વાપેરૂંધગઈએ જાહેરાત કરી કે તે કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને રોકવાને લઈને ચૂંટણી પંચનો સંપર્ક કરશે. તેની સાથે જ આગામી 3 દિવસોમાં પર્યટકો માટે સંભવિત વ્યાવધાનોનો સંદર્ભ આપતા DGPને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને મંજૂરી ન આપવાનો અનુરોધ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.

તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર ધ્યાન લગાવશે, જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન લગાવ્યું હતું. સત્તાવાર કાર્યક્રમ મુજબ એ અગાઉ 30 મેની સવારે 11:00 વાગ્યે વડાપ્રધાન મોદી હોશિયારપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યા બાદ ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચશે. સાંજે તેઓ કન્યાકુમારી ગેસ્ટ હાઉસ પહોંચશે. ત્યારબાદ તેઓ નાવથી વિવેકાનંદ રોક મેમોરિયલ માટે પ્રસ્થાન કરશે. શનિવારે બપોર સુધી તેઓ ત્યાં જ રહેશે.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.