PM નરેન્દ્ર મોદીએ કરી વૈભવ સૂર્યવંશીની પ્રશંસા, બોલ્યા- ‘જેટલો રમશે એટલો જ...’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યૂઅલી સંબોધિત કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ ક્રિકેટ ખેલાડી વૈભવ સૂર્યવંશી પર કહ્યું કે, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, તે જેટલો વધારે રમશે એટલો જ નિખરશે. આપણે બધાએ IPLમાં બિહારના પુત્ર વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન જોયું છે. વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવી દીધો છે. તેની રમત પાછળ તેની મહેનત તો છે જ, પરંતુ અલગ-અલગ સ્તર પર મેચ રમવાથી પણ તેને મદદ મળી છે. તેનો અર્થ છે કે જે જેટલું રમશે, તે એટલું ખીલશે'

suryavanshi
BCCI

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારમાં આયોજિત 'ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ'માં ભાગ લેનારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મંચ તમારી સર્વશ્રેષ્ઠ પ્રતિભાને સામે લાવશે અને સાચી રમત ઉત્કૃષ્ઠતાને પ્રોત્સાહન આપશે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ' દરમિયાન બિહારના અલગ-અલગ ભાગોમાં ઘણી પ્રતિયોગિતાઓ આયોજિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ભારતમાં રમત હવે એક સંસ્કૃતિના રૂપમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આ રમત સંસ્કૃતિ જેટલી વધશે, તેટલી જ તે ભારતની સોફ્ટ પાવર પણ વધારશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં રમતોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેમણે રમતના ક્ષેત્રમાં દેશની તાકતને પ્રોત્સાહન આપવાનો પણ સંકલ્પ લીધો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશમાં રમતઑના વિકાસ માટે આ વર્ષના 4,000 કરોડ રૂપિયાના બજેટનો ઉપયોગ રમતોનાના માળખાગત સુવિધાઓ સારી કરવામાં માટે લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી ભારતીય રમતોને નવી દિશા મળશે અને દેશમાં રમતો પ્રત્યે જાગૃતિ અને જોશ વધશે.

modi
livemint.com

 

તેમણે કહ્યું કે, રમત ભારતમાં માત્ર પ્રતિસ્પર્ધા નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ઓળખ ચૂકી છે. જેમ-જેમ આપણી રમત સંસ્કૃતિનો વિકાસ થશે, તેમ-તેમ ભારતની તાકત પણ સુપરપાવરના રૂપમાં વધશે. કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બિહારી વ્યંજનોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જે ખેલાડી બિહારની બહારથી આવ્યા છે, તેઓ બિહારમાં લિટ્ટી-ચોખાનો સ્વાદ જરૂર લે, ત્યાં મખાના પણ ખાવાનું ન ભૂલતા.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.