PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાતમાં ભાજપની સફળતાનો પાયો ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વે નાખ્યો છે. PM મોદીની વિકાસલક્ષી નીતિઓ અને અમિત શાહની સંગઠનાત્મક કુશળતાએ ગુજરાત ભાજપને રાજ્યની રાજનીતિમાં અજેય બનાવ્યું. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને અમિત શાહે રાષ્ટ્રીય સ્તરે ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત ભાજપમાં લોકસ્વીકૃત અને સબળ નેતૃત્વની ખોટ વર્તાઈ રહી છે. આજે પક્ષ એક શૂન્યાવકાશની નજીક ઊભો છે જે ગુજરાતના ભાજપના પ્રદેશ સંગઠન અને નેતાઓ માટે ગંભીર ચેતવણી છે.

ગુજરાતમાં ભાજપની ચૂંટણીઓની સફળતા મોટાભાગે PM મોદીના નામ અને તેમની લોકપ્રિયતા પર ટકેલી છે. પ્રદેશના નેતાઓ અનેકવાર જાહેરમાં સ્વીકારે છે કે ઉમેદવારો નહીં પણ PM મોદીનું નામ વોટ અપાવે છે. આ પરિસ્થિતિ પક્ષની આંતરિક નબળાઈને ઉજાગર કરે છે. જ્યારે પક્ષ કોઈ સંકટમાં હોય ત્યારે માત્ર PM મોદી કે અમિત શાહની શૈલી જ સમસ્યાનું નિરાકરણ લાવે છે. રાજ્યમાં હાલ એવું કોઈ નેતૃત્વ નથી કે જે જનતા વચ્ચે સર્વસ્વીકૃત હોય કે પક્ષને કોઈ સંકટમાંથી બહાર કાઢી શકે. આ નિર્ભરતા ગુજરાત ભાજપના ભવિષ્ય માટે જોખમી છે.

02

ગુજરાત ભાજપના લાખો કાર્યકર્તાઓ PM મોદી અને અમિત શાહ પર અતૂટ વિશ્વાસ રાખીને સંગઠનનું કામ કરે છે. પરંતુ પાયાના કાર્યકર્તાઓમાં એક ચર્ચા ચાલે છે: PM મોદી-અમિત શાહ વિના આપણું તારણહાર કોણ? આ વિચાર જ કાર્યકર્તાઓને ડગમગાવી દે છે. આ ચિંતા માત્ર કાર્યકર્તાઓની નથી એ ગુજરાતની જનતાની પણ છે જે ભાજપને ખોબલે ને ખોબલે વોટ આપી વધાવે છે અને ભાજપ પાસે સ્થાનિક સ્તરે મજબૂત અને વિશ્વાસપાત્ર નેતૃત્વની અપેક્ષા રાખે છે.

ગુજરાત ભાજપના પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ વિશે પણ ગુજરાતની જનતા અને કાર્યકર્તાઓના મનમાં અને ચર્ચાઓમાં અનેક પ્રશ્નો અને અવિશ્વાસ ઊભો થયેલો જણાઈ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ. રાજ્યની જનતા સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવીને નેતાઓએ પોતાની સ્વીકૃતિ વધારવી પડશે. સ્થાનિક મુદ્દાઓ પર સક્રિય થઈ જનતાના હૃદયમાં સ્થાન બનાવવું જરૂરી છે. નેતાઓએ PM મોદી- અમિત શાહની નીતિઓ અને શૈલીનું અનુસરણ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરવી પડશે. સંગઠનમાં નવા ચહેરાઓને તક આપી, યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવું પણ આવશ્યક છે.

01

ગુજરાત ભાજપનું ભવિષ્ય મજબૂત નેતૃત્વના નિર્માણ પર ટકેલું છે. જો પ્રદેશ નેતાઓ નબળા હશે કે સત્તાના મદમાં રાચનારા હશે અને જો આજે જાગૃત નહીં થાય તો PM મોદી-અમિત શાહની ગેરહાજરીમાં પક્ષની લોકપ્રિયતા અને સંગઠનાત્મક શક્તિ ઘટવાનું જોખમ છે. ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાઓને એવું નેતૃત્વ જોઈએ છે જે પ્રદેશ તથા સ્થાનિક સ્તરે સક્રિય, લોકપ્રિય અને વિશ્વાસપાત્ર હોય. આ જવાબદારી હવે ગુજરાત ભાજપના પાયાના કાર્યકર્તાઓ પ્રદેશ સંગઠનના નેતાઓ અને ચૂંટાયેલા નેતાઓના શિરે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.