શિંદેની શિવસેનાએ માગી લીધું છે આ ખાતું, જેને લઈને બબાલ છે

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની પહેલી માંગ સામે આવી છે. શિવસેના પાર્ટીએ ગૃહ મંત્રાલય પાસે માંગણી કરી છે. શિંદે સેનાના નેતા સંજય શિરસાટનું કહેવું છે કે મહારાષ્ટ્રની નવી સરકારમાં શિવસેનાને ગૃહ વિભાગ મળવું જોઈએ. તેમણે કહ્યું કે સામાન્ય રીતે ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી પાસે હોય છે. સંજય શિરસાટે કહ્યું, 'મુખ્યમંત્રી ગૃહ વિભાગનું નેતૃત્વ કરે તે યોગ્ય નથી. શિંદેને મહાગઠબંધન સરકારનો ચહેરો બનાવીને ભાજપને ચોક્કસપણે ફાયદો થયો છે. મરાઠા આરક્ષણ આંદોલનકારીઓને શાંત કરવામાં ભાજપ કે NCP સામેલ નહોતા. શિંદેએ જ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. તેમણે મરાઠા આરક્ષણ પણ આપ્યું, તેથી તેમના માટે સમર્થન અનેક ગણું વધ્યું. તે એકનાથ શિંદે હતા જેમણે મરાઠવાડામાં સૌથી વધુ રેલીઓ યોજી હતી.

શું મહારાષ્ટ્રમાં કોઈ બીજા જ નેતા બની જશે CM?

મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈમાં થઈ શકે છે અને શપથ ગ્રહણ સમારોહ આઝાદ મેદાન અથવા મહાલક્ષ્મી રેસ કોર્ટમાં થઇ શકે છે. પરંતુ, હજુ સુધી CMનું નામ નક્કી થયું નથી અને BJPએ હજુ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી નથી. આ બાજુ, CM એકનાથ શિંદે ઈચ્છે છે કે, BJP જલદીથી પોતાના નેતાની પસંદગી કરે, જેથી કેબિનેટને લઈને વાતચીત થઈ શકે. BJP દ્વારા CMના નામની જાહેરાતમાં વિલંબ થવાના કારણે એવી પણ અટકળો ચાલી રહી છે કે, શું કોઈ બીજું નવું નામ આવી શકે એમ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મહાયુતિના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન CM એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે અમિત શાહને મળ્યા હતા. અહેવાલ મુજબ, દાવો કરવામાં આવી રહ્યો છે કે, બેઠકમાં સંકેતો આપવામાં આવ્યા હતા કે CM BJPના પક્ષમાંથી જ હશે, પરંતુ CM કોણ હશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં BJPએ 132 બેઠકો જીતી ત્યારથી જ દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થવા લાગી છે. પરંતુ, BJPએ હજુ દેવેન્દ્ર ફડણવીસના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અમિત શાહ સાથેની બેઠકમાં પણ CM પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી ન હતી. આ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું BJP CM માટે કોઈ નવો ચહેરો જાહેર કરી શકે છે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત પછી, એકનાથ ખડસે અને ગોપીનાથ મુંડે સિવાય અન્ય ઘણા નામો ચર્ચામાં હતા, પરંતુ BJPએ આશ્ચર્યજનક રીતે દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાનો નિર્ણય કર્યો. ઉદ્ધવ સરકારના પતન પછી પણ દેવેન્દ્ર ફડણવીસને CM બનાવવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ અચાનક એકનાથ શિંદેનું નામ CM માટે સામે આવ્યું. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસને એકનાથ શિંદેની સરકારમાં DyCM બનાવવામાં આવ્યા હતા. આ પહેલા પણ BJPએ ઘણા રાજ્યોમાં આ પ્રકારે આશ્ચર્ય સર્જ્યું છે. પરંતુ, સવાલ એ થાય છે કે, જો ફડણવીસ CM નહીં બને તો કોને તક મળશે? આ માટે બે નામો સામે આવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત CMની રેસમાં બીજું નામ ચંદ્રશેખર બાવનકુલેનું છે, જેઓ મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ છે. ચંદ્રશેખર બાવનકુલે કામઠી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે અને ચોથી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. ચંદ્રશેખર બાવનકુલે 2014 સુધી ફડણવીસ સરકારમાં ઉર્જા અને આબકારી મંત્રી હતા. ચંદ્રશેખર બાવનકુલે, જેઓ તેલી સમુદાયમાંથી આવે છે, તે વિદર્ભ પ્રદેશમાં બીજા નંબરની સૌથી મોટી OBC શ્રેણી છે. 2019ની ચૂંટણીમાં BJPએ બાવનકુલેની ટિકિટ રદ્દ કરી દીધી હતી, પરંતુ 12 ઓગસ્ટ, 2022ના રોજ તેમને મોટી જવાબદારી આપીને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પણ નજીકના માનવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુલે ઉપરાંત પુણે લોકસભા સીટના સાંસદ મુરલીધર મોહોલનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે. 2024ની ચૂંટણીમાં તેઓ પહેલીવાર સાંસદ બન્યા અને પહેલીવાર મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું. લગભગ 3 દાયકા પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર મુરલીધર મોહોલ પુણેના મેયર પણ રહી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.