રોજ ખાય છે 60-70 રોટલીઓ, છતા શરીરમાં રહે છે નબળાઈ, મહિલાને આ કેવી બીમારી?

શું તમે સાંભળ્યું છે કે કોઈને ખાવાની બીમારી થઈ ગઈ છે? સ્વાભાવિક રીતે તમારો જવાબ ના હશે, પરંતુ એક મહિલાને ખાવાની બીમારી થઈ ગઈ છે. તે સવારથી સાંજ સુધી ખાતી રહે છે. હેરાનીની વાત એ છે કે તે મહિલા સવારથી રાત સુધી 60-70 રોટલી ખાય છે. છતા નબળાઈ અનુભવે છે. મહિલાના માતા-પિતા અને સાસરિયાના લોકો પરેશાન થઈ જાય છે. મહિલાની સારવાર પણ કરવવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો ન થયો.

મહિલાનો દૈનિક આહાર 60-70 રોટલીઓનો છે. અમે તમને જે મહિલા બાબતે તમને જણાવી રહ્યા છીએ તે મધ્ય પ્રદેશના રાજગઢના સુઠાલિયા શહેર નજીક નેવજ ગામની રહેવાસી છે. મહિલાનું નામ મંજૂ સૌંધિયા (28) છે. તેના 2 બાળકો છે. મંજૂ 3 વર્ષ અગાઉ આ અજીબોગરીબ બીમારીની ભરડામાં આવી ગઈ હતી. આ બીમારીએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મહિલા દરેક સમયે રોટલી ખાય છે અને પાણી પી છે.

Woman2
gnttv.com

મંજૂએ 6 મહિના અગાઉ એક મહિલા ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો. તેને દાખલ કરાવીને સારવાર કરાવી કેમ કે તેને ગભરાટ થઈ રહી હતી. જ્યારે મહિલા ફરીથી ગઈ ત્યારે ડૉક્ટરે તેને મલ્ટીવિટામિનની દવાઓ આપી. મંજૂની સારવાર કરનાર મહિલા ડૉક્ટરે કહ્યું કે આ એક માનસિક બીમારી છે, જેમાં મંજૂ પોતાને ખોરાક અને પાણી વિના અનુભવે છે, એટલે મનને શાંત કરવા માટે વારંવાર રોટલી ખાય છે અને પાણી પી છે.

મહિલા ડૉક્ટરની સલાહ પર મંજૂએ ભોપાલના મનોચિકિત્સકની સલાહ પણ લીધી. તેમણે મંજૂને કહ્યું કે, આ માનસિક બીમારી નથી. મંજૂના ભાઈએ જણાવ્યું કે મંજૂને છેલ્લા કેટલાક સમયથી ટાઇફોઇડ હતો, જે સારો થઈ ગયો, પરંતુ મંજૂ છેલ્લા 3 વર્ષથી રોટલી ખાવાની આ અજીબોગરીમ બીમારીથી પીડાઈ રહી છે. ક્યારેક તે 20-30 તો ક્યારેક 60-70 રોટલી ખાય જાય છે.

Woman
tv9hindi.com

મંજૂની સારવાર કરનાર મહિલા ડૉક્ટરે પરિવારના સભ્યોને રોટલી ખાવાની આદત છોડવા માટે ફળો, ખીચડી અને અન્ય ખાદ્ય પદાર્થો આપવાની સલાહ આપી છે. પિયર અને સાસરિયાના લોકોએ મંજૂની સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. સારવારને કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. અત્યાર સુધી સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. પરિવાર પાસે મંજૂની સારવાર માટે પૈસા પણ નથી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.