5 વર્ષમાં OBC, SC કે ST કંઈ કેટેગરીના સૌથી વધુ બન્યા IAS, IFS? સરકારે આપ્યો જવાબ

ટ્રેની IAS પૂજા ખેડકરના કથિત રૂપે OBC સર્ટિફિકેટથી નોકરી હાંસલ કરવાનો મામલો સામે આવ્યા બાદ સેવામાં રિઝર્વેશનને લઈને પણ એક બહેસ ચાલી રહી છે. આ દરમિયાન સરકારે સંસદમાં જણાવ્યું કે, SC, ST, OBC કેટેગરીને કેટલા IAS, IPS અને IFS (વિદેશ સેવા) અધિકારી છે. તેની જાણકારી સરકાર પાસે સંસદમાં માગવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે ભારતીય પ્રશાસનિક સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS)માં ભરતી સંઘ લોક સેવા આયોગના નિયમો મુજબ કરવામાં આવે છે.

હાલના નિયમો અનુસાર UPSC સિવિલ સેવામાં SC, ST, OBCને ક્રમશઃ 15 ટકા, 7.5 ટકા અને 27 ટકા અનામત મળે છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, વર્ષ 2018માં OBCથી 54 IAS, 40 IPS અને 40 IFS અધિકારી બન્યા હતા. આ વર્ષે SC કોટાથી 29 IAS, 23 IPS, 16 IFS ભરતી થયા હતા. જ્યારે ST જેટેગરીમાં 14 IAS, 9 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી થઈ હતી.

મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 2019માં 103 IAS, 75 IPS અને 53 IFSની નિમણૂક કરવામાં આવી. વર્ષ 2020માં 99 IAS, 74 IPS અને 50 IFS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી, જ્યારે વર્ષ 2021 દરમિયાન SC, ST અને OBC શ્રેણીઓથી સંબંધિત 97 IAS, 99 IPS અને 54 IFS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. વર્ષ 2022માં આ શ્રેણીઓ હેઠળ 100 IAS, 94 IPS અને 64 IFS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.

સરકારે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં અનામત અને પછાત કેટેગરીથી 1195 ઉમેદવારોને IAS, IPS અને IFS સેવાઓ માટે પસંદ કરવામાં આવ્યા. આ આંકડાઓને વર્ષ મુજબ જોઈએ તો વર્ષ 2018માં 233, 2019માં 231, 2020માં 223, 2021માં 250 અને વર્ષ 2022માં 258 અનામત અને OBC કેટેગરીના ઉમેદવાર IAS, IPS અને IFS બન્યા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.