મહારાજા હરિ સિંહ પર ટિપ્પણી કરીને ફસાયા ખાન સર, એવું શું બોલી ગયા કે થઈ રહ્યો છે હોબાળો; લોકોમાં ભારે રોષ

મહારાજા હરિ સિંહ પર ટિપ્પણી કરવાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળે સોશિયલ મીડિયા પર લોકપ્રિય ખાન સરની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાનું કહેવું છે કે ખાન સરે જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી અને તેમને કોઈપણ હાલતમાં સહન નહીં કરી શકાય. પ્રદેશ અધ્યક્ષ રાકેશ બજરંગીએ કહ્યું કે ખાન સરને જમ્મુ-કાશ્મીરના મહારાજા અને તેમની દૂરદૃષ્ટિ બાબતે કોઈ જ્ઞાન નથી. તેણે મહારાજા પર જે ટિપ્પણી કરી છે, તેનાથી ડુગ્ગર સમુદાય દુઃખી થયો છે. એક રીતે, ખાન સરે ડોગરા શાસકનું અપમાન કર્યું છે.

khan sir
ndtv.com

પ્રશાસનનું કામ છે કે ખાન સર વિરુદ્ધ કેસ નોંધે અને તેમને જેલમાં નાખવામાં આવે છે. ડોગરા લોકો મહારાજા હરિ સિંહ વિરુદ્ધ કોઈપણ પ્રકારના નિવેદનને સહન નહીં કરે. ખાન સર પહેલા જમ્મુ-કાશ્મીરના ઇતિહાસ અને મહારાજાના વિચારો પર અભ્યાસ કરીને આવે અને પછી કોઈ ટિપ્પણી કરે. મહારાજા વિરુદ્ધ તેમણે જે ટિપ્પણી કરી છે તેના માટે માફી માગે. શિક્ષક અને યુટ્યુબર ખાન સરની મહારાજા હરિ સિંહ બાબતે ટિપ્પણી પર ડોગરા રાજવી પરિવારની કુંવારી રીતુ સિંહે કહ્યું કે, ગઈકાલે હું તેમના નિવેદન બાબતે વાંચી અને સાંભળી રહી હતી, અને મારું માનવું છે કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

ખાન સર શું બોલ્યા હતા?

ખાન સરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ખરેખર  હરિ સિંહની ભૂલ એ હતી, એ બળદ વ્યક્તિએ  કાશ્મીરને સ્વિત્ઝરલેન્ડ બનાવવું હતું. તેમના પરિવારની ઘણી મહિલાઓને-ઘણા સંબંધીઓને પાકિસ્તાન ઉઠાવી લઈ ગયું, ત્યારે તેમણે આત્મસમર્પણ કર્યું. એટલું જ નહીં ખાન સર હરિ સિંહની નિંદા કરતા ખૂબ આગળ નીકળી ગયા. તેમણે કહ્યું દેશ 15 ઓગસ્ટે સ્વતંત્ર થયો અને તેમણે 26 ઓક્ટોબર એટલે કે 2 મહિના બાદ આત્મસમર્પણ કર્યું. ખાન સરે હરિ સિંહને સ્વાર્થી પણ કહી નાખ્યા હતા.

About The Author

Related Posts

Top News

આ વખતે ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?

હુંડિયામણ બજારમાં ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયું છે અને અમેરિકન ડોલર સામે રૂપિયો 90ની સપાટીએ પહોંચી ગયો છે. ઘણા...
Business 
ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?
Copyright (c) Khabarchhe All Rights Reserved.