કોંગ્રેસથી દૂર જઇ રહ્યા છે શશિ થરૂર, બોલ્યા- સરકાર તરફ વધારી દીધા છે પગલાં, જાણો તેનો શું અર્થ છે

શશિ થરૂરને મોટાભાગે  કોંગ્રેસના 'બળવાખોર પરંતુ વિદ્વાન' નેતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વખત તેમણે જે કહ્યું છે તે માત્ર ચર્ચા જ નહીં, પરંતુ પાર્ટીમાં મંથન અને બેચેનીનું કારણ બની ગયું છે. થરૂરે ચોખ્ખેચોખ્ખું કહી દીધું છે કે, તેઓ દેશની રાજનીતિ કોંગ્રેસની વામપંથી-મધ્યમાર્ગી વિચારથી નીકળીને હવે એક વધુ મજબૂત રાષ્ટ્રવાદીદિશામાં જઈ ચૂક્યા છે, જ્યાં કરિશ્માઈ અને કેન્દ્રિય નેતૃત્વની માગ છે.

આ કોઈ સાધારણ વિશ્લેષણ નથી, પરંતુ થરૂરનો સંકેત છે કે તેઓ પોતે આ બદલાવને સ્વીકારે છે અને તેની તરફ 'પગલાં' વધારી ચૂક્યા છે. તેમણે ન તો ભાજપનું નામ લીધું કે ન તો મોદીનું, પરંતુ જે વાત છુપાવવામાં આવી તે શબ્દોની પસંદગીથી આપોઆપ સ્પષ્ટ થઈ ગયું. થરૂરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ પહેલાથી જ ઇમરજન્સીને કાળો અધ્યાયકહી ચૂક્યા છે અને કોંગ્રેસ નેતૃત્વ તેના પર મૌન છે. આ અગાઉ, તેઓ વિદેશ નીતિ અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવામાં અમે હવે કરિશ્માઈ અને કેન્દ્રિય નેતૃત્વ તરફ આગળ વધી ચૂક્યા છીએ એમ કહેવું કોંગ્રેસની વિચારધારા અને કાર્યશૈલીથી એક સ્પષ્ટ દૂરી દર્શાવે છે.

india-vs-england4
news.sky.com

કોઈનું નામ લીધા વિના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે તેમના પર નિશાનો સાધતા કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ ભાજપની ભાષા બોલવા લાગે તો, પક્ષી પોપટ બની જાય છે. રસપ્રદ વાત એ છે કે ગયા મહિને આ જ ‘પોપટ’વાળા કટાક્ષથી થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર પલટવાર કર્યો હતો.

ભાજપે થરૂરના નિવેદનને 50 વર્ષ બાદ કોંગ્રેસની આંખો ખોલવાનું ગણાવ્યું. પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ જો થરૂરના વિચારો સાથે અસહમત હોય, તો તેનો અર્થ એ છે કે તે આજે પણ ઇમરજન્સીની માનસિકતામાં જીવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘હવે જો કોંગ્રેસને પોતાના જ સાંસદ દ્વારા સત્ય બોલવા પર માઠું લાગતું હોય, તો આ આંતરિક તાનાશાહી છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, ફરી એક વખત શશિ થરૂરે કોંગ્રેસને અરીસો બતાવ્યો છે. થરૂરે માની લીધું કે અગાઉ કોંગ્રેસની લેફ્ટની નીતિ રહેતી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય હિતને નહીં, પરિવાર હિત અને વૉટ બેંકના હિતને આગળ રાખતી હતી.

Shashi-Tharoor
facebook.com/ShashiTharoor

રાજનીતિક ગલિયારામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું શશિ થરૂર ખરેખર કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે? શું તેઓ ભાજપમાં જશે? કે પછી તેઓ કોંગ્રેસમાં વિચારોનો બળવોશરૂ કરી રહ્યા છે? થરૂરે ન તો પાર્ટી છોડી છે કે ન તો ભવિષ્યને લઈને કંઈ કહ્યું છે, પરંતુ તેમના નિવેદનોની રેખાઓ હવે પાર્ટીની મુખ્યધારા સાથે મેળ ખાતી નથી. કુલ મળીને થરૂરનું આ નિવેદન માત્ર એક ઇન્ટરવ્યૂ નથી, પરંતુ કોંગ્રેસ માટે રેડ એલર્ટછે. પાર્ટીએ નક્કી કરવું પડશે કે શું તે શશિ થરૂર જેવા નેતાઓની વિચારસરણીને જગ્યા આપશે કે તેમને બીજા 'ભૂલી ગયેલા નેતા'ની લાઇનમાં ઊભા કરી દેશે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.