દુકાનદારે મહિલાએ આપેલી 2000ની લેવાની ના પાડી, કારણ જાણીને તમે હસી હસીને થાકી જશો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2000 રૂપિયાની નોટ પરત લેવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત બાદ જ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. તો કેટલીક વખત 2000 રૂપિયા આપવાના ચક્કરમાં દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે ઝઘડાના કિસ્સા પણ વાયરલ થઈ રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વૉટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે, જેને વાંચીને તમે પણ પોતાની જાતને હસતા નહીં રોકી શકો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ એમાં એવું શું લખેલું છે. દુકાનદારે મહિલાની 2000ની નોટ લેવાની શા માટે ના પાડી દીધી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટ મુજબ એક મહિલા દુકાન પર સામાન લેવા ગઈ હતી. દુકાનને સામાન લીધા બાદ જ્યારે તેણે 2000ની નોટ આપી તો દુકાનદારે તેને લેવાની ના પાડી દીધી. આ વાતને લઈને બંને વચ્ચે બહેસ થવા લાગી. ત્યારબાદ મહિલાએ રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ દેખાડી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2000ની નોટ ચલણથી બહાર થઈ છે, પરંતુ તેને બેંકમાં બદલી શકાય છે. જ્યારે મહિલા 2000ની નોટ પર બહેસ કરવા લાગી તો દુકાનદારે કારણ જણાવ્યું.

દુકાનદારે કહ્યું કે, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ તમારી નોટ ફાટેલી છે એટલે હું તમારી નોટ નહીં લઈ શકું. એવામાં મહિલા UPI પેમેન્ટ કરીને પાછી જતી રહે છે. વૉટ્સએપ ચેટનો આ સ્ક્રીનશોટ વાયરલ થયો તો લોકો મજેદાર કમેન્ટ કરવા લાગ્યા. ટ્વીટર પર સ્ક્રીનશૉટને @deefordaddy નામના યુઝરે શેર કર્યો છે. આ વૉટ્સએપ ચેટ સાથે લખવામાં આવ્યું કે, દેવીઓ અને સજ્જનો, મારી સખીને મળો. કેટલાક લોકોએ લખ્યું કે, તમારી સખી ખૂબ ક્યૂટ છે તો કેટલાક લોકોએ માત્ર હસનારી ઇમોજી બનાવી. આ વાયરલ સ્ક્રીનશૉટને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશો હેઠળ 23 મેથી આખા દેશની બેન્કોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રિઝર્વ બેંકે સ્પષ્ટ કરી દીધું છે કે 2000 રૂપિયાની નોટો બદલાવ માટે કોઈ ફોર્મ કે ID પ્રૂફની જરૂરિયાત નહીં હોય. એક વખતમાં તમે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.