શિવ મંદિરમાંથી 4 કિલો ચાંદી અને ખાટુ શ્યામ મંદિરમાંથી ₹70,000 રોકડની ચોરી

કર્નાલમાં મંદિરોને નિશાન બનાવતા બે ચાલાક ચોરોને પોલીસે પકડી પાડ્યા છે. શ્રાવણના પવિત્ર મહિનામાં જ્યારે મંદિરોમાં ભક્તોની ભીડ હતી, ત્યારે આ ચોરો દેવતાના ચાંદીના મુકુટ લઈને ફરાર થઈ ગયા હતા. આ પહેલા ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી કાપીને હજારો રૂપિયાની ચોરી પણ કરી ચૂક્યા હતા. પોલીસના CIA-3 યુનિટે બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે તેમની પાસેથી ચોરાયેલા ચાંદીના મુકુટ અને રોકડ રકમ મળી આવી છે.

આ ઘટના કર્નાલના સેક્ટર-9 વિસ્તારમાં બની હતી. ચોરો અહીંના શ્રી શિવ સનાતન મંદિરમાં ઘૂસી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મંદિરમાંથી ભગવાનના આશરે 4 કિલો વજનના ચાંદીના મુકુટ ચોરી લીધા હતા. મંદિમાં ચોરી થયાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઇ. તપાસ શરૂ થઇ અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી. અહીંથી પોલીસને ચોરો સુધી પહોંચવાનો માર્ગ મળ્યો.

theft
aajtak.in

પોલીસ તપાસ આગળ વધી, ત્યારે ખબર પડી કે આ  કોઇ પહેલી ઘટના નથી. એવો આરોપ છે કે આ જ ચોરોએ અગાઉ સદર બજાર વિસ્તારમાં આવેલા ખાટુ શ્યામ મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યાં, તેમણે દાનપેટી કાપીને તેમાંથી આશરે ₹70,000 રોકડ લઈને ફરાર થઇ ગયા હતા. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

બંને મંદિરોમાં થયેલી ચોરીઓ બાદ પોલીસે CCTV ફૂટેજની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન, તેમને આરોપીઓની ઓળખ અંગેના સંકેતો મળ્યા. ત્યારબાદ, CIA-3 ટીમે કરનાલના રહેવાસી વજીરા અને જીતેન્દ્રની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, વજીરા અગાઉ અનેક ચોરીના કેસોમાં સંડોવાયેલો હતો; તેનું નામ પહેલાથી જ પોલીસ રેકોર્ડમાં હતું.

theft1
aajtak.in

ધરપકડ બાદ, પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરી. પોલીસનો દાવો છે કે શિવ મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના મુકુટ મળી આવ્યા છે. જ્યારે, ખાટુ શ્યામ મંદિરમાંથી ચોરાયેલી રકમમાંથી આશરે 30,000 રૂપિયા પણ મળી આવ્યા છે. CIA-3ના તપાસ અધિકારી રાજીવના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ કરનાલના રહેવાસી છે અને બંને ઘટનાઓમાં સંડોવાયેલા હતા.

પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી છે. રિમાન્ડનો સમયગાળો પૂરો થયા બંનેનું મેડિકલ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે બંને આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા, ત્યારબાદ તેમને જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા.

પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બંનેએ કરનાલ અને આસપાસના વિસ્તારોમાં બીજી કેટલી ઘટનાઓને અંજામ આપ્યો છે. કારણ કે જે પ્રકારે બંનેએ પહેલા ખાટુ શ્યામ મંદિરની દાનપેટીને નિશાન બનાવી અને બાદમાં શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાંથી ભગવાનના ચાંદીના મુકુટની ચોરી કરી, તેનાથી પોલીસને આશા છે કે તેમના જૂના કેસની કડી જોડાશે.

About The Author

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.