બાગેશ્વર ધામના પંડાલને બનાવતા 200 મજૂરમાથી 90 મુસ્લિમ છે, આઝાદ કહે- ધર્મ-કર્મ...

બિહારના પટનાના નૌબતપુરમાં બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાર્યક્રમની તૈયારીમાં હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી હતી. પંડાલ બનાવી રહેલા 200 મજૂરોમાંથી 80થી 90 મજૂરો મુસ્લિમ છે, જેઓ બાબા માટે પંડાલ બનાવી રહ્યા છે. પૂછવા પર મજૂરોએ કહ્યું કે, દરેકનો ધર્મ પોતાની જગ્યાએ હોય છે. બધા ધર્મોનું સન્માન કરવું જોઈએ. મારા માટે આ પહેલો કાર્યક્રમ નથી, જેમાં હું હિન્દુ કાર્યક્રમ માટે કામ કરી રહ્યો છું. બંને સમુદાયના લોકો બાબાની કથા માટે પંડાલ બનાવવામાં વ્યસ્ત છે.

મંત્રી તેજ પ્રતાપ યાદવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન સામે યુદ્ધ છેડ્યું છે. ત્યાં સુધી કે, હિંદુ-મુસ્લિમની પણ વાત થઈ હતી. બીજી તરફ નૌબતપુરના તરેત પાલી મઠમાં 13 મેથી 17 મે દરમિયાન યોજાનારી હનુમત કથાની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. જ્યાં બાબા બાગેશ્વર ધામના કથા સ્થળ અને પંડાલના નિર્માણમાં હિન્દુ-મુસ્લિમ એકતા નજરે પડે છે. છેલ્લા ઘણા દિવસોથી 200 જેટલા મજૂરો દ્વારા પંડાલ બનાવવામાં આવી રહ્યો છે. આ જ પંડાલનું બાંધકામ અંતિમ તબક્કામાં આવી ગયું છે. ઘણા મજૂરો બિહાર અને બંગાળના છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.

પંડાલના બાંધકામમાં રોકાયેલ કારીગર મો.આઝાદે કહ્યું કે બંને સમુદાયના લોકો સાથે મળીને આ પંડાલ બનાવી રહ્યા છે, જેમાં હિન્દુ-મુસ્લિમ બધા ભાઈઓ છે. છેલ્લા ઘણા દિવસોથી આ બાંધકામમાં 200 મજૂરો રોકાયેલા છે. બાબાના કાર્યક્રમ માટે કામ કરતા મો.આઝાદે એમ પણ કહ્યું કે, તમામ ધર્મોમાં આવા અનુયાયીઓ છે. હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મના લોકો આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. અમે દરેક માટે કામ કરીએ છીએ. અહીંના લોકો સારી રીતે વર્તે છે અને મદદ પણ કરે છે. જેઓ હિંદુ મુસ્લિમની વાત કરે છે તેઓ પોતાના ફાયદા માટે જ કરતા હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના કથાકાર સહ-પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 13 થી 17 મે દરમિયાન પટના રાજધાનીથી માત્ર 20 Km દૂર નૌબતપુર બ્લોકમાં આવેલા તરેત પાલી મઠ ખાતે આવવાના છે. 13 થી 17 મે દરમિયાન હનુમત કથાનું આયોજન કરવામાં આવશે. 15 મેના રોજ બાબા દ્વારા દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં લોકોની કાપલીઓ પણ નીકાળવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. આયોજક તરફથી પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભક્તો માટે લગભગ 50 એકરમાં પંડાલ બનાવવામાં આવ્યો છે.

કારીગર મોહમ્મદ આઝાદ કહે છે, 'બંને સમુદાયના લોકો મળીને આ પંડાલ બનાવી રહ્યા છે, જેમાં હિંદુ-મુસ્લિમ બધા ભાઈઓ છે. છેલ્લા ઘણા દિવસોથી 200 મજૂરો આ બાંધકામમાં લાગેલા છે. બધા ધર્મોમાં આ પ્રકારના અનુયાયીઓ છે. હિન્દુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મના લોકો આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. અમે બધા માટે કામ કરીએ છીએ. બધા ધર્મોનું સન્માન કરવું જોઈએ.'

About The Author

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.