રામ મંદિર માટે 90 વર્ષની મહિલાએ 30 વર્ષ મૌન વ્રત રાખ્યુ હતું, હવે પહેલો શબ્દ...

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ ધનબાદ નિવાસી સરસ્વતી દેવીનો ચહેરો ખીલી ઉઠ્યો છે. આ સુખમાં તેમની તપસ્યા પણ સામેલ છે. સરસ્વતી દેવીએ ત્રણ દાયકા પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ મૌન વ્રત રાખશે. હવે મૌન તોડવાનો સમય નજીક આવી ગયો છે.

1990ના દાયકામાં જ્યારે અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં આંદોલન વધી રહ્યું હતું ત્યારે ધનબાદની રહેવાસી સરસ્વતી દેવીએ મંદિર બનાવવાનું સપનું જોયું હતું. સરસ્વતી દેવીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની ઈચ્છા સાથે મૌન વ્રત શરૂ કર્યા હતા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 'રામ... સીતારામ' શબ્દો સાથે તેમનું મૌન વ્રત તુટશે.

અત્યારે સરસ્વતી દેવીનું મૌન તુટ્યું નથી એટલે જ્યારે મીડિયાના લોકો તેમના ઘરે પહોંચ્યા તો તેમણે તાળ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ધનબાદના કરમટંડના રહેવાસી 85 વર્ષીય સરસ્વતી દેવીએ મૌન વ્રત દરમિયાન ચાર ધામની યાત્રા કરી હતી. તેમણે અયોધ્યા, કાશી, મથુરા, તિરુપતિ બાલાજી, સોમનાથ મંદિર, બાબા બૈદ્યનાથધામની મુલાકાત લીધી હતી. ભગવાન રામના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર સરસ્વતી દેવી આ દિવસોમાં પોતાનો મોટાભાગનો સમય અયોધ્યામાં વિતાવે છે.

તેઓ ખૂબ જ ખુશ છે અને લખીને બતાવે છે કે,મારું જીવન સફળ થઈ ગયું છે, રામલલાએ મને પ્રાણ પ્રતિષ્ઠા માટે બોલાવી છે. મારી તપસ્યા અને ધ્યાન સફળ થયા. 30 વર્ષ પછી 'રામ નામ'થી મારું મૌન વ્રત તૂટશે. સરસ્વતી દેવી 8 જાન્યુઆરીએ અયોધ્યા જશે. જો કે તેમના પરિવારના અન્ય સભ્યોને આમંત્રણ મળ્યું નથી,માત્ર સરસ્વતી દેવીને જ આમંત્રણ મળ્યું છે.

સરસ્વતી દેવીના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરસ્વતી દેવી 1992માં અયોધ્યા ગયા હતા.ત્યાં તેઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસને મળ્યા હતા. તેમણે સરસ્વતી દેવીને કામતાનાથ પર્વતની પરિક્રમા કરવાનો આદેશ આપ્યો. આદેશ મળ્યા પછી સરસ્વતી દેવી ચિત્રકૂટ ગયા.એક ગ્લાસ દૂધ પીને તે સાડા સાત મહિના સુધી કલ્પવાસમાં રહ્યા હતા અને માત્ર ગ્લાસ દુધ પીને રહ્યા હતા. સાથે કમતાનાથ પહાડની 14 કિલોમીટરની પરિક્રમા કરી હતી. પરિક્રમા કર્યા પછી સરસસ્વતી દેવી પાછા 1992માં નૃત્ય ગોપાલદાસને મળ્યા હતા અને તેમણે મૌન ધારણ કરવાનું કહ્યું હતું. સરસસ્વતી દેવીએ સંકલ્પ લીધો હતો જયાં સુધી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પુરી ન થાય ત્યાં સુધી મૌન તૌડશે નહીં.

સરસ્વતી દેવીના લગ્ન 65 વર્ષ પહેલા ધનબાદના ભોનરામાં રહેતા દેવકીનંદન અગ્રવાલ સાથે થયા હતા. રાજસ્થાનથી ધનબાદ આવેલા સરસ્વતી દેવી ક્યારેય શાળાએ ગયા નથી. તેમના પતિએ તેમને મૂળાક્ષર શીખવ્યા હતા. તે પછી પુસ્તકો જોઈને લખતા વાંચતા શીખ્યા. સરસ્વતી દેવી દરરોજ ધાર્મિક ગ્રંથો વાંચે છે. જ્યારે દિવસમાં એકવાર સાત્વિક ખોરાક જમે છે.

તેના પતિનું 35 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને આઠ બાળકો હતા (ચાર પુત્રો, ચાર પુત્રીઓ), જેમાંથી ત્રણ મૃત્યુ પામ્યા હતા. જ્યારે પરિવારને તેના મૌન રાખવાની જાણ થઈ ત્યારે પરિવારના સભ્યોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું હતું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.