40 રૂપિયા ઉધાર લઈને કર્યું એવું કામ કે શ્રમિક થોડા જ કલાકોમાં બની ગયો કરોડપતિ

રવિવારનો દિવસ મજૂર ભાસ્કર માજી માટે ખુશીના સમાચાર લઈને આવ્યો હતો, તેણે જણાવ્યું કે, રવિવારે તે નાપારા બસ સ્ટેન્ડ પર બકરીઓ માટે ઘાસ કાપવા આવ્યો હતો. પરંતુ તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ન હતા. તેણે પોતાને ઓળખતા એક વ્યક્તિ પાસેથી 40 રૂપિયા ઉછીના લીધા અને પછી 60 રૂપિયાની ટિકિટ ખરીદી. બપોરે તેને ખબર પડી કે તેણે લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક રોજમદાર મજૂર થોડા જ કલાકોમાં કરોડપતિ બની ગયો. મજૂર બકરીઓ માટે ઘાસ કાપવા ગયો હતો અને જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે હવે કરોડપતિ છે. આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. તો ગામ લોકોએ તેને ઉજવણીનો માહોલ બનાવી દીધો હતો અને લોકો તેમને અભિનંદન આપવા આવવા લાગ્યા હતા.

આ ઘટના જિલ્લાના મંગલકોટના ખુર્તુબાપુર ગામમાં બની હતી. અહીં રહેતા ભાસ્કર માજી બીજાના ખેતરમાં મજૂરી કરે છે અને બકરીઓ પાળીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે છેલ્લા દસ વર્ષથી લોટરીની ટિકિટ ખરીદતો હતો. તેને એવી આશા હતી કે, એક દિવસ તેનું સપનું ચોક્કસ સાકાર થશે. રવિવારે સવારે તેણે 40 રૂપિયા ઉછીના લીધા અને લોટરીની ટિકિટ ખરીદી અને બપોરે તે કરોડપતિ બની ગયો.

મજૂર ભાસ્કર માજીએ જણાવ્યું કે, રવિવારે તે નાપારા બસ સ્ટેન્ડ પર બકરીના ચારા માટે ઘાસ કાપવા આવ્યો હતો. પરંતુ તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ન હતા. તેણે પોતાને ઓળખતા એક વ્યક્તિ પાસેથી 40 રૂપિયા ઉછીના માંગ્યા, પછી મામેઝુલ ભાઈના લોટરી કાઉન્ટર પરથી 60 રૂપિયામાં ટિકિટ નંબર 95H83529 ખરીદી અને ઘરમાં પોતાના કામ પર લાગી ગયો. બપોરે તેને ખબર પડી કે, તેણે લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે. આ જાણ્યા પછી તેની ખુશીની કોઈ સીમા ન રહી.

લોટરી ટિકિટ વેચનાર મૌલિક શેખ મામેઝુલે જણાવ્યું કે, રવિવારે બપોરે 1.20 વાગ્યે તેમને ખબર પડી કે, ગામના ભાસ્કર માજીએ 1 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. તે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં લોટરી કાઉન્ટર લગાવે છે. તે ખુશ છે કે, એક ગરીબ મજૂર તેની દુકાનમાંથી ખરીદેલી લોટરીની ટિકિટથી કરોડપતિ બની ગયો.

1 કરોડની લોટરી જીતનાર મજૂર ભાસ્કર માજીએ જણાવ્યું કે, તેમનું ઘર માટીનું બનેલું છે. વરસાદની મોસમમાં પાણી ટપકતું હોય છે. આ પૈસાથી અમે ઘર બનાવીશું અને અમારી દીકરીઓના લગ્ન માટે લીધેલા ઉછીના પૈસાને ચૂકતે કરીશું. તેની સાથે જ ખેતી માટે થોડી જમીન પણ ખરીદશે. ભાસ્કરની દીકરીઓએ જણાવ્યું કે, પિતાએ અમને બહુ મુશ્કેલીથી BA પાસ કરાવી અને ઉછીના પૈસા લઈને અમારી બે બહેનોના લગ્ન કરાવ્યા. હવે ભગવાને પાપાની તરફ જોયું છે.

About The Author

Top News

ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા માટે...
Gujarat 
ગુજરાતના નાણામંત્રીએ 4 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો કોને શું મળ્યું

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.