40 રૂપિયા ઉધાર લઈને કર્યું એવું કામ કે શ્રમિક થોડા જ કલાકોમાં બની ગયો કરોડપતિ

On

રવિવારનો દિવસ મજૂર ભાસ્કર માજી માટે ખુશીના સમાચાર લઈને આવ્યો હતો, તેણે જણાવ્યું કે, રવિવારે તે નાપારા બસ સ્ટેન્ડ પર બકરીઓ માટે ઘાસ કાપવા આવ્યો હતો. પરંતુ તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ન હતા. તેણે પોતાને ઓળખતા એક વ્યક્તિ પાસેથી 40 રૂપિયા ઉછીના લીધા અને પછી 60 રૂપિયાની ટિકિટ ખરીદી. બપોરે તેને ખબર પડી કે તેણે લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક રોજમદાર મજૂર થોડા જ કલાકોમાં કરોડપતિ બની ગયો. મજૂર બકરીઓ માટે ઘાસ કાપવા ગયો હતો અને જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે હવે કરોડપતિ છે. આ વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. તો ગામ લોકોએ તેને ઉજવણીનો માહોલ બનાવી દીધો હતો અને લોકો તેમને અભિનંદન આપવા આવવા લાગ્યા હતા.

આ ઘટના જિલ્લાના મંગલકોટના ખુર્તુબાપુર ગામમાં બની હતી. અહીં રહેતા ભાસ્કર માજી બીજાના ખેતરમાં મજૂરી કરે છે અને બકરીઓ પાળીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે છેલ્લા દસ વર્ષથી લોટરીની ટિકિટ ખરીદતો હતો. તેને એવી આશા હતી કે, એક દિવસ તેનું સપનું ચોક્કસ સાકાર થશે. રવિવારે સવારે તેણે 40 રૂપિયા ઉછીના લીધા અને લોટરીની ટિકિટ ખરીદી અને બપોરે તે કરોડપતિ બની ગયો.

મજૂર ભાસ્કર માજીએ જણાવ્યું કે, રવિવારે તે નાપારા બસ સ્ટેન્ડ પર બકરીના ચારા માટે ઘાસ કાપવા આવ્યો હતો. પરંતુ તેની પાસે લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા ન હતા. તેણે પોતાને ઓળખતા એક વ્યક્તિ પાસેથી 40 રૂપિયા ઉછીના માંગ્યા, પછી મામેઝુલ ભાઈના લોટરી કાઉન્ટર પરથી 60 રૂપિયામાં ટિકિટ નંબર 95H83529 ખરીદી અને ઘરમાં પોતાના કામ પર લાગી ગયો. બપોરે તેને ખબર પડી કે, તેણે લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે. આ જાણ્યા પછી તેની ખુશીની કોઈ સીમા ન રહી.

લોટરી ટિકિટ વેચનાર મૌલિક શેખ મામેઝુલે જણાવ્યું કે, રવિવારે બપોરે 1.20 વાગ્યે તેમને ખબર પડી કે, ગામના ભાસ્કર માજીએ 1 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યું છે. તે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં લોટરી કાઉન્ટર લગાવે છે. તે ખુશ છે કે, એક ગરીબ મજૂર તેની દુકાનમાંથી ખરીદેલી લોટરીની ટિકિટથી કરોડપતિ બની ગયો.

1 કરોડની લોટરી જીતનાર મજૂર ભાસ્કર માજીએ જણાવ્યું કે, તેમનું ઘર માટીનું બનેલું છે. વરસાદની મોસમમાં પાણી ટપકતું હોય છે. આ પૈસાથી અમે ઘર બનાવીશું અને અમારી દીકરીઓના લગ્ન માટે લીધેલા ઉછીના પૈસાને ચૂકતે કરીશું. તેની સાથે જ ખેતી માટે થોડી જમીન પણ ખરીદશે. ભાસ્કરની દીકરીઓએ જણાવ્યું કે, પિતાએ અમને બહુ મુશ્કેલીથી BA પાસ કરાવી અને ઉછીના પૈસા લઈને અમારી બે બહેનોના લગ્ન કરાવ્યા. હવે ભગવાને પાપાની તરફ જોયું છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.