નવજાત બાળકને નદીમાં ફેંકી ગયા, 4 બાળકોએ નદીમાં કૂદીને બચાવીને નવી જિંદગી આપી

એવું કહેવાય છે કે તમને ખબર ન પડે કે ક્યાં રૂપમાં આવીને નારાયણ તમને મળી જાય.એવું પણ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે.આવી એક ઘટના ચરિતાર્થ થતી જોવા મળી છે. કેટલાંક હેવાન નવજાત બાળકને મરવા માટે નદીમાં છોડીને ગયા હતા,પરંતુ નદી કિનારે રમી રહેલા 4 બાળકોએ નવજાત શિશુને બચાવ્યું અને તેને નવી જિંદગી આપી. નવજાતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગામના લોકોએ કહ્યું કે 4 બાળકોએ ભગવાનના રૂપમાં આવીને બાળકને મોતમાંથી ઉગારી લીધું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ચારેય બાળકો મુસ્લિમ હતા અને તેમણે નવજાતને બચાવતી વખતે પળવારનો પણ વિચાર નહોતો કર્યો કે શિશુ મુસ્લિમ છે કે હિંદુ.નફરતની આગ ફેલાવતા લોકોએ આ બાળકો પાસેથી શિખવા જેવું છે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા કુડિયાઘાટમાં ગોમતી નદીમાં બુધવારે સ્કુટી પર આવેલા લોકોએ ગોમતી નદીમાં નવજાત બાળકને ફેંકીને ચાલ્યા ગયા હતા. નદીની પાસે રમી રહેલા 4 બાળકોએ એમ માન્યુ કે કોઇ રમકડું કે સામાન હશે તે નદીમાં ફેંકી ગયા હશે. જિજ્ઞાશાવશ 4 બાળકોએ ગોમતી નદીમાં છલાંગ લગાવી અને પછી જે તેમના હાથમાં આવ્યું તે જોઇને બાળકોના હોંશ ઉડી ગયા હતા. તે એક જીવતું બાળક હતું, જેને મરવાના વાંકે નદીમાં પધરાવી દેવામાં આવ્યું હતું. નવજાતને એ પછી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

મોટાઓની સંવેદનહીનતા પર બાળકોની સંવેદનશીલતાની જીતની આ ઘટના કુડિયાઘાટની છે. બુધવારે સવારે લગભગ 11-30 વાગ્યે ઝુપડપટ્ટીના 4 બાળકો નદી પાસે રમી રહ્યા હતા ત્યારે કોઇ નવજાત બાળકને નદીમાં ફેંકી ગયું હતું.

નવજાતને બચાવનારા 4 બાળકોની ઉંમર 10થી 12 વર્ષની છે અને તેમના નામ છે તૌસીફ, હસીબ, અહસાન અને ગુફરાન.તૌસીફે કહ્યું કે, જ્યારે અમે નદી પાસે રમી રહ્યા હતા ત્યારે સ્કુટી પર 3 લોકો આવ્યા હતા. એક જણાએ કાળું માસ્ક લગાવેલું હતું અને તેણે નદીમાં કઇંક ફેંક્યું અને ઝડપથી તેઓ સ્કુટી પર પલાયન થઇ ગયા હતા.

તૌફિક નવજાત બાળકને લઇને ઘરે ગયો હતો અને તેના પિતાને વાત કરી હતી. તૌફિકના પિતાએ તેમની નિંસતાન બહેનને બાળકને સાચવવા આપ્યું અને તેની દેખભાળ કરવામાં આવી રહી હતી. નજીકમાં એક કેન્ટીન ચલાવનારે પોલીસને સુચના આપી અને ચાઇલ્ડ લાઇનને બોલાવીને બાળકને સોંપી દેવામાં આવ્યું.

ચાઈલ્ડલાઈનના ડાયરેક્ટર ડો.સંગીતા શર્માએ જણાવ્યું કે બાળક સમય પહેલા જન્મી ગયું હોય તેવું લાગે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ઠાકુરગંજના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય કુમારે જણાવ્યું હતું કે,જે લોકો નદીમાં બાળકને ફેંકી ગયા હતા તેમને CCTV દ્રારા શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

About The Author

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.