તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ઘણા પ્રવાસીઓને મધમાખીઓએ ડંખ માર્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે તાજમહેલના રોયલ ગેટ પર મધપૂડો હતો. મધપૂડો હટાવવા માટે ASI દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું હતું. એક કર્મચારી મધપૂડો હટાવી રહ્યો હતો. આ માટે કોઈ સાવધાની રાખવામાં આવી નહોતી. મધપૂડો હટાવતા જ મધમાખીઓ ઉડવા લાગી. રોયલ ગેટ પાસે મોટી સંખ્યામાં દેશી-વિદેશી પર્યટક હતા. એવામાં મધમાખીઓના ડંખથી અફરાતફરી મચી ગઈ હતી. પ્રવાસીઓ બચવા માટે આમ તેમ દોડવા લાગ્યા. આ દરમિયાન ત્યાં હાજર એક પ્રવાસીએ મધમાખીના હુમલાનો વીડિયો બનાવી લીધો.

રવિવાર હોવાથી તાજમહેલમાં પ્રવાસીઓની સારી ભીડ હતી. એવામાં પ્રવાસીઓ ઓછા હોય તેવા દિવસે સાફ સફાઈનું કામ કરી શકાતું હતું. આ સાથે જ મધમાખીઓ મધપૂડો હટાવવા અગાઉ તેના હુમલાથી બચવા માટે વ્યવસ્થા કરાવી જોઈતી હતી, પરંતુ અહીં મધપૂડો હટાવનારા કર્મચારીએ શૂઝ પણ પહેર્યા નહોતા. પર્યટકોને પણ થોડા સમય માટે તે વિસ્તારમાં જતા અટકાવી શકાતા હતા. પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે તાજમહેલમાં મોટી દુર્ઘટના થઈ શકતી હતી.

Tajmahal
navbharattimes.indiatimes.com

 

પ્રવાસીઓની અફરાતફરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિકલાંગ પ્રવાસી ઇજાગ્રસ્ત થઈને બેસી ગયો છે. તેની આંખો અને ચહેરા પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. ASIના સહાયક સંરક્ષણ અધિકારી પ્રિન્સ વાજપેયીએ કહ્યું કે તેમણે તરત જ બેરિકેડ કરીને ગેટ બંધ કરી દીધો હતો. એક દિવ્યાંગ પ્રવાસી ઇજાગ્રસ્ત થયો છે. તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

Related Posts

Top News

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા...
Gujarat 
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.