પિતાના મૃત્યુ પછી મૃત્યુભોજ કરાવવાની જગ્યાએ દીકરો બાળકો માટે શાળાનો રૂમ બનાવશે

ધોલપુરના દયેરી ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. પિતાના અવસાન પછી આપવામાં આવતા પ્રેતભોજનની પરંપરાને તોડીને તેણે તેમાં ખર્ચ થનારા આ નાણાં શાળાના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું છે.

સમાજમાં લાવવામાં આવતા નવા પરિવર્તનો ઘણા લોકોને ભલે પસંદ ન આવે પણ આવા નવા અને સારા ફેરફારો જ નવા સમાજને આવકાર આપે છે. રાજસ્થાનના ધોલપુર જિલ્લામાંથી કંઈક આવું જ સામે આવ્યું છે. અહીં માણીયા વિસ્તારના દયેરી ગામના રહેવાસી રાજેન્દ્ર જૈને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજેન્દ્ર જૈને પોતાના પિતાના અંતિમ સંસ્કાર પછી આપવામાં આવતા પ્રેતભોજનને બદલે તેમના વિસ્તારમાં આવેલી એક શાળામાં રૂમ અને બાઉન્ડ્રીની દીવાલ બનાવવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શાળાના આ વિકાસ પાછળ 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે. 21 જૂનના રોજ રાજેન્દ્ર જૈનને શાળાના રૂમ બનાવવા માટે પાયો નાખવાની શરૂઆત કરી હતી. જ્યારે, ત્યાર પછી, શાળાના ઓરડાને તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમની આ પહેલની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

દયેરી ગામના રાજેન્દ્ર જૈને મૃત્યુ પછી અપાતા પ્રેતભોજન ન આપવાની એક શરૂઆત કરી છે. રાજેન્દ્ર જૈન કહે છે કે મૃત્યુ પછી અપાતું પ્રેતભોજન એક સામાજિક દુષણ છે, જેના માટે દરેક સમાજના લોકોએ તેની સામે લડવું જોઈએ. પ્રેતભોજનની પરંપરાને અનુસરવામાં ગરીબ લોકોની કમર તૂટી જાય છે. ગરીબ લોકો વ્યાજ પર પૈસા લઈને સમાજને દેખાડો કરવા પ્રેતભોજન જેવી પરંપરા કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં જોવામાં આવે તો, એકબીજાને જોઈને, તેના કરતા પણ વધુ સારું કરવાનું નક્કી કરવામાં આવે છે, જેના કારણે ઘણા લોકો વ્યાજે પૈસા લઈને પણ તે કાર્ય કરે છે.

રાજેન્દ્ર જૈને જણાવ્યું કે, તેમના પિતા 87 વર્ષીય પુરણ જૈનનું 07 જૂને નિધન થયું હતું. ગામમાં મૃત્યુ પછી પ્રેતભોજન આપવાની પરંપરા ચાલી રહી છે, જેના માટે હું પણ પુત્ર હોવાને કારણે આ પરંપરાને અનુસરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ તે પછી, મારા અંતરાત્માની વાત સાંભળીને, મેં મારો નિર્ણય બદલ્યો અને પ્રેતભોજન આપવાને બદલે શાળા બનાવવાનો વિચાર કરી લીધો. રાજેન્દ્ર  જૈન કહે છે કે, પ્રેતભોજન પાછળ થતો ખર્ચ બાળકોના ભવિષ્ય માટે વાપરવામાં આવે તો સારું રહેશે, એવું મારુ માનવું છે. પ્રેતભોજન આપવાની પરંપરાને બદલે શાળાનો રૂમ અને બાઉન્ડ્રીની દીવાલ બનાવવાની વાત સાંભળીને રાજેન્દ્ર જૈનનું ગામ અને તેમની આસપાસના ઘણા લોકો પણ તેમના વખાણ કરી રહ્યા છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.