પતિએ સાથ છોડી દેતા પાછળ પાછળ પત્ની પણ મોતને ભેટી, દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા

શ્રીબાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારના થલંજુ ગામમાં એક માર્ગ અકસ્માતમાં પતિ મુકુનારામ (23)ના મૃત્યુના બે દિવસ બાદ પત્ની પૂજા (20)એ બુધવારે મોડી રાત્રે પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી હતી. બંનેના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા થયા હતા. ભાગ્યે જ ચોથી વખત પૂજા તેના સાસરે આવી હતી. સોમવારે તે તેના પતિ સાથે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી હતી.

રસ્તામાં ભજન ગાયક ઓમ મુંડેલની લક્ઝરી કારની ટક્કરે પહેલા તેમના પતિ મુકુનારામે શ્વાસ ગુમાવ્યો હતો. જેનાથી તણાવમાં આવેલી પૂજાએ પણ પાણીના ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. કેટલાક સ્થાનિક લોકોએ શરૂઆતમાં અકસ્માતની તપાસ અને આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ ત્યાર પછી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. SDM સુનીલ પંવાર અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

સદર પોલીસ સ્ટેશનના ASI મહાવીર સિંહે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યાના સુમારે સુખવાસી અને સિંગદ વચ્ચે નાયરા પેટ્રોલ પંપ પાસે મુકુનારામની બાઇકને ખોટી દિશામાં આવી રહેલી લક્ઝરી કારે ટક્કર મારી હતી. પોલીસ ગોકુલરામ સાથે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ મુકુનારામ અને પૂજાને હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં મુકુનારામનું મૃત્યુ થયું હતું, જ્યારે પૂજા ઘાયલ થઈ ગઈ હતી.

પતિના મૃત્યુથી દુઃખી થયેલી પૂજા વારંવાર બેભાન થતી રહી. બુધવારે મોડી રાત્રે ખબર નહિ ક્યારે પાણીના ટાંકા પાસે જઈને તેમાં તે કૂદી ગઈ હતી. અને તેનું મૃત્યુ ક્યારે થયું તેની ખબર પણ નથી. માહિતી મળતાં જ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહેન્દ્ર સિંહ પલાવત ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા. બંને પક્ષોની હાજરીમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમને સોંપવામાં આવ્યો હતો.

જ્યારે પોલીસે અકસ્માતના CCTV ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું, ત્યારે વાહનની ઓળખ થઈ હતી. આ વાહન ભજન ગાયક ઓમ મુંડેલના નામે છે, પોલીસે વાહન કબજે કરી ડ્રાઈવર મુકેશની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવે છે કે, મુંડેલ પોતે તેના સાથીઓ સાથે કારમાં સવાર હતા, ઘાયલોને હોસ્પિટલ લઈ જવાને બદલે તે પોતે જ સ્થળ પરથી નીકળી ગયા હતા અને ત્યાર પછી પૂછપરછમાં અલગ-અલગ રીતે વાતો કરતા મામલાને શંકાસ્પદ બનાવી દીધો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.