શ્રીરામ પ્રત્યે અદ્ભુત ભક્તિ, 94 વર્ષની વયે 80 લાખ વખત લખ્યું રામનું નામ

પુરાણોમાં કહેવાયું છે કે જો કોઈ કળિયુગમાં રામ નામનો જાપ કરે તો તેનું જીવન સફળ થઇ જાય છે. લોકો આ આશા સાથે મંદિરોમાં જાય છે, તેઓ ભગવાનની એક ઝલક મેળવવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. ઘણા ભક્તો એવા પણ જોવા મળશે કે જેઓ વર્ષોથી તપસ્યા કરતા હશે. કેટલાક એક પગ પર ઉભા છે અને કેટલાક વર્ષોથી સૂતા નથી. કેટલાક ભગવાન શ્રી રામની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક શ્રી કૃષ્ણના દર્શન કરવા આતુર છે. પરંતુ 94 વર્ષની મંથા સુબ્બલક્ષ્મીની ભક્તિ અદભૂત અને અનોખી છે. રામનામની ભક્તિમાં તેમણે એવું કામ કર્યું છે જેના સર્વત્ર વખાણ થઈ રહ્યા છે.

દાદી મંથા સુબ્બલક્ષ્મીનો જન્મ ઓરિસ્સામાં એક વિદ્વાન પરિવારમાં થયો હતો. તેમણે બાળપણથી અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત રામ નામ લખવાનું પૂર્ણ કર્યું છે. અને એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં જ રામનું નામ એક કરોડથી વધુ વખત લખવાનું પૂર્ણ કરશે. તેના કામના દરેક જગ્યાએ ભારો ભાર વખાણ થઈ રહ્યા છે.

કળિયુગમાં રામનામનો જાપ તમારા જીવનને સફળતાથી પાર કરાવે છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચંબા પાસે કાણાતાલમાં વિજયમિલન મઠના આશ્રમમાં રહેતી 94 વર્ષીય મંથા સુબ્બલક્ષ્મીએ રામનામની ભક્તિમાં એવું કામ કર્યું છે કે, દરેક જગ્યાએ તેમના કામના ભારો ભાર વખાણ થઈ રહ્યા છે. સાથે જ તેમણે રામનામનો મહિમા પણ કહ્યો છે.

તેમણે બાળપણથી અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત રામ નામ લખવાનું પૂર્ણ કર્યું છે. એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં રામનું નામ એક કરોડથી વધુ વખત લખવાનું પૂર્ણ કરશે. દાદી મંથા સુબ્બલક્ષ્મીનો જન્મ ઓરિસ્સામાં એક વિદ્વાન પરિવારમાં થયો હતો.

આધ્યાત્મિક અને ધાર્મિક પરિવારમાં ઉછરેલા, મંથા સુબ્બલક્ષ્મીને બાળપણમાં આંધ્ર પ્રદેશમાં આધ્યાત્મિક શિબિર દરમિયાન રામનું નામ લખવાની પ્રેરણા મળી હતી. તેમના પતિ સ્વર્ગસ્થ સર્વેશ્વર શાસ્ત્રી પણ ભગવાનના નામનો જપ કરતા હતા. 94 વર્ષની ઉંમરે પણ દાદીમાનું રામનું નામ લખવાનું આજે પણ નિયમિતપણે ચાલુ રહ્યું છે.

તેઓ નામ લખવાનું મહત્વ સમજાવતા કહે છે કે, કળિયુગ માત્ર નામ અધારા, સુમીર સુમીર નર ઉત્ રહી પારા. એટલે કે સતયુગમાં તપ, ત્રેતાયુગમાં યજ્ઞ, યોગ અને દ્વાપરમાં જે ફળ પૂજા, પાઠ અને અનુષ્ઠાન દ્વારા મળતું હતું, તે જ ફળ, કળિયુગમાં માત્ર હરિના નામનો જપ કરવાથી કે લખવાથી મળે છે.

તેમણે કહ્યું કે, રામના નામનો સતત જાપ કરવો એ માણસ માટે સારું છે. દરેક વ્યક્તિએ શ્રીરામનું નામ લખવું જોઈએ. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ચંબામાં રહે છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.