PM મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં આત્માને જાગૃત કરવાનું કામ કર્યું: શાહ

On

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે હરિયાણાના કુરુક્ષેત્રમાં જણાવ્યું હતું કે, આ ભૂમિ પર આજથી 5 હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને શ્રી જ્ઞાનાનંદજી જેવા અનેક મહાત્માઓ સમગ્ર વિશ્વમાં તે જ્ઞાનને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વ્યક્તિ, દેશ અને સમગ્ર વિશ્વની તમામ સમસ્યાઓનું સમાધાન ગીતાના ઉપદેશોમાં રહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા અને તેમની શંકાઓનું નિરાકરણ લાવવા માટે કર્યો હતો, પરંતુ તે યુદ્ધ પૃથ્વી પર ધર્મની સ્થાપના અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશમાં સરકાર વર્ષ 2014થી PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહી છે અને મોદીએ જ ગીતા મહોત્સવને 2014માં જ આંતરરાષ્ટ્રીય આકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલનો આભાર વ્યક્ત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે મનોહર લાલ વર્ષ 2015માં મુખ્યમંત્રી બન્યા અને વર્ષ 2016માં ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે ગીતાનો સંદેશ દેશ અને દુનિયાના દરેક ભાગ સુધી પહોંચવો જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં લોકોને જાગૃત કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે હંમેશા કહ્યું છે કે આ દેશની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ વધારવી જોઈએ અને દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ધરતીની સુગંધ હોવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે, એકતા અને અખંડિતતાના વાસ્તવિક અને નક્કર સ્વરૂપને જમીની સ્તર પર લાવવા માટે કલમ 370 નાબૂદ રહેવી જોઇએ અને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે એક થવું જોઇએ. તેમણે કહ્યું કે જો ભારતને ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ બનાવવું હોય તો ત્રણ તલાક જેવા કાયદા જે એક ખાસ ધર્મ માટે બનાવવામાં આવે છે તેને ખતમ કરી દેવા જોઇએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગૃતિની શરૂઆતનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે અને રામ લલ્લા પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં હશે. આ સાથે PM મોદીએ કાશી વિશ્વનાથ કોરીડોર, મહાકાલ મહાલોક, સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ, કેદારનાથ અને બદ્રીનાથમાં નવા સ્વરૂપમાં દર્શનની વ્યવસ્થા, કાશ્મીરમાં શારદા પીઠનો જીર્ણોદ્ધાર અને દક્ષિણની સનાતન પરંપરાના પ્રતિક સમા સેંગોલની સ્થાપનાના કામો સંસદમાં કર્યા છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.