PM મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં આત્માને જાગૃત કરવાનું કામ કર્યું: શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે હરિયાણાના કુરુક્ષેત્રમાં જણાવ્યું હતું કે, આ ભૂમિ પર આજથી 5 હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને શ્રી જ્ઞાનાનંદજી જેવા અનેક મહાત્માઓ સમગ્ર વિશ્વમાં તે જ્ઞાનને પુનઃસ્થાપિત કરવાનું કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વ્યક્તિ, દેશ અને સમગ્ર વિશ્વની તમામ સમસ્યાઓનું સમાધાન ગીતાના ઉપદેશોમાં રહેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા અને તેમની શંકાઓનું નિરાકરણ લાવવા માટે કર્યો હતો, પરંતુ તે યુદ્ધ પૃથ્વી પર ધર્મની સ્થાપના અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, દેશમાં સરકાર વર્ષ 2014થી PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહી છે અને મોદીએ જ ગીતા મહોત્સવને 2014માં જ આંતરરાષ્ટ્રીય આકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલનો આભાર વ્યક્ત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે મનોહર લાલ વર્ષ 2015માં મુખ્યમંત્રી બન્યા અને વર્ષ 2016માં ગીતા મહોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે કામ કર્યું. તેમણે કહ્યું કે ગીતાનો સંદેશ દેશ અને દુનિયાના દરેક ભાગ સુધી પહોંચવો જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી અત્યાર સુધી આ દેશનાં લોકોને જાગૃત કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે હંમેશા કહ્યું છે કે આ દેશની મહાન સંસ્કૃતિને હંમેશા આગળ વધારવી જોઈએ અને દેશના કાયદા અને નીતિઓમાં ભારતની ધરતીની સુગંધ હોવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે, એકતા અને અખંડિતતાના વાસ્તવિક અને નક્કર સ્વરૂપને જમીની સ્તર પર લાવવા માટે કલમ 370 નાબૂદ રહેવી જોઇએ અને કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે એક થવું જોઇએ. તેમણે કહ્યું કે જો ભારતને ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ બનાવવું હોય તો ત્રણ તલાક જેવા કાયદા જે એક ખાસ ધર્મ માટે બનાવવામાં આવે છે તેને ખતમ કરી દેવા જોઇએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરનું નિર્માણ દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગૃતિની શરૂઆતનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે અને રામ લલ્લા પણ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં હશે. આ સાથે PM મોદીએ કાશી વિશ્વનાથ કોરીડોર, મહાકાલ મહાલોક, સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ, કેદારનાથ અને બદ્રીનાથમાં નવા સ્વરૂપમાં દર્શનની વ્યવસ્થા, કાશ્મીરમાં શારદા પીઠનો જીર્ણોદ્ધાર અને દક્ષિણની સનાતન પરંપરાના પ્રતિક સમા સેંગોલની સ્થાપનાના કામો સંસદમાં કર્યા છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.