BJP સરકારના મંત્રી સંદીપ સિંહ સામે મહિલા કોચની છેડતી બદલ FIR દાખલ કરવામાં આવી

મહિલા કોચની ફરિયાદ પર હરિયાણાના રમત મંત્રી અને પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રમતગમત મંત્રી વિરુદ્ધ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ચંદીગઢ પોલીસના પ્રવક્તાએ આ વાતને સ્વીકાર કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બરે સંદીપ સિંહ વિરુદ્ધ IPCની કલમ 354, 354A, 354B, 342, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

હરિયાણાના રમત મંત્રી સંદીપ સિંહ અને જુનિયર મહિલા કોચના વિવાદના મામલામાં હરિયાણાના DGPએ SIT કરી છે. તેમાં HCP રાજકુમાર કૌશિકની સાથે IPS મમતા સિંહ અને સમર પ્રતાપ સિંહ સામેલ છે. DGP વતી, SITને મહિલા કોચના આરોપોની પોઈન્ટ-બાય-પોઈન્ટ રીતે તપાસ કરવા અને શક્ય તેટલી વહેલી તકે તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

મહિલા કોચે હરિયાણાના રમત મંત્રી સંદીપ સિંહ પર આરોપ લગાવ્યો છે કે, સંદીપ સિંહે તેને સરકારી આવાસ પર બોલાવીને તેનું યૌન શોષણ કર્યું છે. એવું પણ કહેવાય છે કે, જ્યારે આ મામલે CM અને રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવી તો પણ તેમની તરફથી કોઈ મદદ મળી ન હતી. આ મામલે વિપક્ષે ખટ્ટર સરકાર પર પ્રહારો કર્યા છે અને મંત્રી સંદીપ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

હરિયાણાના ખેલ મંત્રી અને પૂર્વ ઓલિમ્પિયન સંદીપ સિંહ પર લેડી કોચે એક નહીં પરંતુ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલા કોચ વતી કહેવામાં આવ્યું છે કે, તેના વતી મહિલા ખેલાડીઓની છેડતી કરવામાં આવી છે. પોતાના કેસ અંગે પીડિતાએ કહ્યું કે, સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ દ્વારા મારો સંપર્ક કર્યો હતો. તે અમુક વેનિશ મોડથી વાત કરી રહ્યો હતો જેના કારણે બધી વાતો ડિલીટ થઈ ગઈ. હવે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વાતચીત બાદ સંદીપ સિંહે લેડી કોચને પોતાના સત્તાવાર નિવાસસ્થાને બોલાવી હતી. કેટલાક દસ્તાવેજોના નામે આવવાનું કહેવામાં આવ્યું હતું અને પછી ત્યાં છેડછાડ કરવામાં આવી હતી.

પીડિતાના જણાવ્યા મુજબ, તેણીને મંત્રી દ્વારા તેની પસંદગીની પોસ્ટિંગ અને અન્ય સુવિધાઓની લાલચ આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો વાત માની જઈશ તો, તને બધું જ મળશે. પરંતુ હવે મહિલા કોચે મંત્રીની એક પણ માંગ ન સ્વીકારી હોવાના કારણે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, તેના કારણે તેની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે અને તેની ટ્રેનિંગ પણ બંધ કરી દેવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે, પીડિતા દ્વારા CMથી લઈને અન્ય મંત્રીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો, મદદ માટે અપીલ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ મામલે વિપક્ષ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

જ્યારે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમના તરફથી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું હતું કે, એક જુનિયર કોચે મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, હું તે મહિલા કોચને ક્યારેય મળ્યો નથી. તેમના વતી આયોજિત પ્રેસ કોન્ફરન્સ પણ INLD ઓફિસમાંથી થઈ હતી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.