બેવફા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યું અને પછી શરીરના ટુકડા કરીને ખેતરમાં દાટી દીધા

મધ્ય પ્રદેશના મંદસૌરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દૂધાખેડી ગામમાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અફેરના કારણે પોતાના જ પતિનો જીવ લઇ લીધો. બંનેએ આ ઘટનાને એટલી ભયાનક રીતે અંજામ આપ્યો કે સાંભળનારના પણ રૂવાડા ઉભા થઇ જશે.

મંદસૌરના ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દૂધાખેડી ગામમાં સોમવારે રાત્રે એક દુ:ખદ ઘટના સામે આવી. અહીં રહેતો ખેડૂત ધનરાજ યોગીની પત્ની ધાપુ બાઈનું છેલ્લા ચાર વર્ષથી તે જ ગામના પંકજ ચૌધરી સાથે અફેર ચાલી રહ્યું હતું. મહિલા તેના પતિને તેમના અફેરમાં અડચણરૂપ માની રહી હતી, તેથી શુક્રવાર, 10 એપ્રિલની સાંજે પંકજ ચૌધરીએ કોઈ બહાના હેઠળ ધનરાજ યોગીને તેના ખેતરમાં બોલાવ્યો. જ્યારે તે ખેતરમાં પહોંચ્યો ત્યારે ત્યાં પહેલાંથી જ હાજર મહિલા અને તેના પ્રેમી પંકજે મળીને તેના પર તલવારથી હુમલો કરી દીધો અને પછી દોરડાથી ગળું દબાવીને જીવ લઇ લીધો.

Photo-(2)

ત્યારબાદ આરોપી પંકજ ચૌધરી પેટ્રોલ પંપ પર ગયો, જ્યાંથી તેણે 4-5 લીટર ડીઝલ ખરીદ્યું. ત્યારબાદ તેણે ખેતરમાં લાકડા પર ડીઝલ રેડીને મૃતદેહને બાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે શરીર બળ્યું નહીં, ત્યારે તેણે તેના ટુકડા કરી દીધા અને JCB વડે ખાડો ખોદીને ખેતરમાં દાટી દીધો. ઘટના બાદ જ્યારે ધનરાજ ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેની પુત્રી અને પુત્રએ પિતાની શોધખોળ શરૂ કરી. તોમણે કંઈક અઘટિત થવાની આશંકાને કારણે ગ્રામજનોને ભેગા કર્યા.

ત્યારબાદ, ગ્રામજનોએ ભાનપુરા પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મોબાઇલ ફોનની વિગતો અને શંકાના આધારે, પોલીસે તાત્કાલિક પંકજ ચૌધરીની અટકાયત કરી. કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લીધો. ત્યારબાદ પોલીસ પંકજને તેના ખેતરમાં લઈ ગઈ. જ્યાં તેણે હત્યા કરવા અને શબને સળગાવ્યા બાદ મૃતદેહને જમીનમાં દાટી દેવાની ઘટના જણાવી હતી. પોલીસે તાત્કાલિક જમીનમાં દાટેલા શબના ટુકડાઓ કાઢીને કબજે કર્યા અને આરોપી પત્નીની ધરપકડ કરી.

payal
facebook.com/payalsakariyaofficial

આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે. પરિવારજનો અને ગ્રામજનોએ દૂધાખેડી માતાજી ચોકડી પર રસ્તો રોકી દીધો. ગ્રામજનો આરોપીને કડક સજા આપવાની અને તેનું ઘર બુલડોઝરથી તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. આ કિસ્સામાં મૃતકની પુત્રીએ કહ્યું કે, મારા પિતા છેલ્લે પંકજ ચૌધરીના ઘરે જઈ રહ્યા હોવાનું કહીને ગયા હતા અને તે તેની બાઇક લઈને ગયા હતા. આ વાતથી તેને શંકા ગઈ કે તેમનો જીવ લઇ લેવાયો હશે.

About The Author

Related Posts

Top News

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.