કોણ છે આનંદ મોહન? જેને મુક્ત કરવા માટે કાયદો બદલી બેઠા નીતિશ કુમાર!

બિહારના બાહુબલી અને પૂર્વ સાંસદ આનંદ મોહનની મુક્તિનો માર્ગ નીતિશ કુમારે સાફ કરી દીધો છે. સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં જેલમાંથી છોડવાના નિયમોમાં જ બદલાવ કરી દેવામાં આવ્યો છે. આ છૂટનો સીધો ફાયદો DM જી. કૃષ્ણૈયા હત્યા કેસમાં સજા ભોગવી રહેલા આનંદ મોહનને મળશે. આનંદ મોહન હવે જેલમાંથી મુક્ત થઈ શકે છે. બિહારના ગૃહ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં 10 એપ્રિલના રોજ કહેવામાં આવ્યું છે કે બિહાર કારા હસ્તક 2012ના નિયમ 481 (i)માં સંશોધન કરવામાં આવી રહ્યું છે.

બિહાર સરકારે બિહાર કારા હસ્તક 2012ના નિયમ 481 (i) (k)માં વર્ણિત વાક્યાંશ ‘યા કામ પર તૈનાત સરકારી સેવકની હત્યા’ને સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. કાયદાના શબ્દોમાં સંશોધન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી એક સરકારી સેવકની હત્યા અલગથી આ અધિનિયમમાં સામેલ હતી. અધિસૂચના બાદ હવે ડ્યૂટી પર તૈનાત સરકારી સેવકની હત્યા અપવાદ નહીં પરંતુ સાધારણ હત્યા છે.

કેવી રીતે આનંદ મોહનની મદદ કરશે કાયદો?

બિહાર સરકારની નવી અધિ સૂચનાનો લાભ સીધી રીતે આનંદ મોહનને મળશે. સરકારી અધિકારીની હત્યાના કેસમાં જ તેને સજા મળી છે. પહેલા સરકારી અધિકારીની હત્યાના દોષીને મુક્ત ન કરવાનું પ્રવધાન હતું, હવે તેની મુક્તિ થઈ શકશે. 5 ડિસેમ્બર 1994ના રોજ મુઝફ્ફરપુર જિલ્લામાં DM જી. કૃષ્ણૈયાની મોબ લિંચિંગ થઈ હતી. તેની આગેવાની આનંદ મોહન જ કરી રહ્યો હતો. છોટન શુક્લાની હત્યા બાદ ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. લોકો શબ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. મોબ લિંચિંગ અને પોલીસકર્મીઓની ગેરહાજરી વચ્ચે DMને ગોળી મારી દેવામાં આવી હતી. આનંદ મોહન આ કેસમાં મુખ્ય આરોપી છે.

ઉલ્લેખનીય છે કે બિહારની પરિહાર નિયમાવલી 1984માં વર્ષ 2002માં મહત્ત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યા હતા. પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે સરકારી કર્મચારી કે અધિકારીની હત્યાના દોષીઓને પરિહાર કાયદાનો લાભ નહીં મળે. તેના કારણે 14 વર્ષની સજા ભોગવ્યા બાદ પણ આનંદ મોહનને મુક્ત કરવામાં આવી રહ્યો નહોતો. આ દરમિયાન 3 વખત તેને અલગ અલગ અવસરો પર પેરોલ પર બહાર કાઢવામાં આવ્યો, પરંતુ પેરોલની અવધિ સમાપ્ત થયા બાદ દરેક વખત તેને જેલ જવું પડ્યું.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.