શું કેજરીવાલ રાજ્યસભા જઈ રહ્યા છે? પેટાચૂંટણીમાં 2 સીટો પર જીત મળ્યા બાદ કરી દીધું સ્પષ્ટ

રાજ્યસભાના સભ્ય સંજીવ અરોડાએ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે તેઓ સંજીવ અરોડાની જગ્યાએ રાજ્યસભામાં જઈ રહ્યા નથી. બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવતા કેજરીવાલે કહ્યું કે, હું રાજ્યસભામાં જઈ રહ્યો નથી. પાર્ટીની રાજનીતિક બાબતોની સમિતિ નક્કી કરશે કે કોને ઉમેદવાર બાનવવાનો. આ અગાઉ, વિપક્ષી દળોએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સંજીવ અરોડાની જગ્યાએ રાજ્યસભામાં જશે.

આ સાથે જ કેજરીવાલે 5 વિધાનસભા સીટોની પેટાચૂંટણીમાં 2 સીટો પર તેમની પાર્ટીની જીત પર કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં તેનાથી મોટો સંદેશ ગયો છે. ગુજરાત-પંજાબમાં અમારી જીતનો સંદેશ સ્પષ્ટ છે કે આ દેશને ભાજપથી મુક્તિ અપાવવામાં માત્ર આમ આદમી પાર્ટી સક્ષમ છે.

arvind-kejriwal
ndtv.com

ગુજરાત અને પંજાબમાં પાર્ટીની જીત પર કે જનતાનો બેવડો ભરોસો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે પંજાબની જનતાએ બતાવ્યું છે કે તેઓ AAP સરકારના કામથી ખુશ છે, તો ગુજરાતની જનતાએ બતાવ્યું કે હવે તેઓ પરિવર્તન ઇચ્છે છે. તેમણે કહ્યું કે બંને જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને AAPને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જનતાએ આ બંને પાર્ટીઓને હરાવી દીધી. ગત વખત કરતા આ વખતના મુકાબલામાં જીતનું અંતર બેગણું રહ્યું છે.

Ludhiana-West-bypoll
hindustantimes.com

લુધિયાણા પશ્ચિમ સાથે-સાથે AAPએ ગુજરાતની 2 વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી પર પણ પેટાચૂંટણી લડી હતી. AAPના ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમણે ભાજપના ઉમેદવાર કિરિટ પટેલ સામે 17,554 મતોના માર્જિનથી જીત મેળવી હતી. AAP2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક જીતી હતી. જોકે, તેના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ આ વર્ષની શરૂઆતમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ, વિસાવદર બેઠક પર પેટાચૂંટણી થવી જરૂરી હતી. ભાજપ વર્ષ 1998થી ગુજરાતમાં સત્તા પર હોવા છતા, તેણે છેલ્લી વખત વર્ષ 2007માં વિસાવદર બેઠક જીતી હતી.

About The Author

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.