શું કેજરીવાલ રાજ્યસભા જઈ રહ્યા છે? પેટાચૂંટણીમાં 2 સીટો પર જીત મળ્યા બાદ કરી દીધું સ્પષ્ટ

રાજ્યસભાના સભ્ય સંજીવ અરોડાએ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે તેઓ સંજીવ અરોડાની જગ્યાએ રાજ્યસભામાં જઈ રહ્યા નથી. બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવતા કેજરીવાલે કહ્યું કે, હું રાજ્યસભામાં જઈ રહ્યો નથી. પાર્ટીની રાજનીતિક બાબતોની સમિતિ નક્કી કરશે કે કોને ઉમેદવાર બાનવવાનો. આ અગાઉ, વિપક્ષી દળોએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સંજીવ અરોડાની જગ્યાએ રાજ્યસભામાં જશે.

આ સાથે જ કેજરીવાલે 5 વિધાનસભા સીટોની પેટાચૂંટણીમાં 2 સીટો પર તેમની પાર્ટીની જીત પર કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં તેનાથી મોટો સંદેશ ગયો છે. ગુજરાત-પંજાબમાં અમારી જીતનો સંદેશ સ્પષ્ટ છે કે આ દેશને ભાજપથી મુક્તિ અપાવવામાં માત્ર આમ આદમી પાર્ટી સક્ષમ છે.

arvind-kejriwal
ndtv.com

ગુજરાત અને પંજાબમાં પાર્ટીની જીત પર કે જનતાનો બેવડો ભરોસો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે પંજાબની જનતાએ બતાવ્યું છે કે તેઓ AAP સરકારના કામથી ખુશ છે, તો ગુજરાતની જનતાએ બતાવ્યું કે હવે તેઓ પરિવર્તન ઇચ્છે છે. તેમણે કહ્યું કે બંને જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે સાથે મળીને AAPને હરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જનતાએ આ બંને પાર્ટીઓને હરાવી દીધી. ગત વખત કરતા આ વખતના મુકાબલામાં જીતનું અંતર બેગણું રહ્યું છે.

Ludhiana-West-bypoll
hindustantimes.com

લુધિયાણા પશ્ચિમ સાથે-સાથે AAPએ ગુજરાતની 2 વિધાનસભા બેઠકો વિસાવદર અને કડી પર પણ પેટાચૂંટણી લડી હતી. AAPના ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમણે ભાજપના ઉમેદવાર કિરિટ પટેલ સામે 17,554 મતોના માર્જિનથી જીત મેળવી હતી. AAP2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક જીતી હતી. જોકે, તેના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ આ વર્ષની શરૂઆતમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ, વિસાવદર બેઠક પર પેટાચૂંટણી થવી જરૂરી હતી. ભાજપ વર્ષ 1998થી ગુજરાતમાં સત્તા પર હોવા છતા, તેણે છેલ્લી વખત વર્ષ 2007માં વિસાવદર બેઠક જીતી હતી.

About The Author

Related Posts

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.