'મોત તો તમને પણ આવશે’, સી.આર.પાટીલ વિશે અરવિંદ કેજરીવાલે આવું કેમ કહી દીધું?

ગુજરાતની વિસાવદર સીટ પર પેટાચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કેજરીવાલે બુધવારે અમદાવાદમાં 'ગુજરાત જોડો સદસ્યતા અભિયાન'નો શુભારંભ કર્યો. આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, એક દિવસ ભગવાન તેમને પૂછશે કે ધરતી પર શું કર્યું.

કેજરીવાલે કહ્યું કે, વિસાવદરમાં મળેલી જીત સામાન્ય જીત નથી. તેના દ્વારા ભગવાન ખૂબ મોટો સંદેશ આપવા માગે છે. ભગવાન જનતામાં વસે છે. જનતાનો નિર્ણય ભગવાનનો નિર્ણય હોય છે. તે કોઈ નાની વાત નથી, કોઈ સંયોગ નથી કે 2022માં અમે આ સીટ પર જેટલા મતોથી જીત્યા તેના કરતા 3 ગણા મતોથી જીત્યા. પેટાચૂંટણીમાં એ જ પાર્ટી જીતે છે, જેની સરકાર હોય છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે.

arvind kejriwal
facebook.com/AAPkaArvind

30 વર્ષથી પ્રશાસન પર જેની આટલી પકડ છે. જે પાર્ટીમાં કંઈપણ ખોટું કરવામાં સંયમ નથી. જેણે ગુંડાગર્દી કરવામાં કોઈ કસર છોડી નથી. ત્યાં તમે ત્યાં આટલી પ્રચંડ બહુમતથી જીતો છો, હું તો તેમાં કુદરતનો ખેલ માનું છું. ભગવાનનો સંદેશ માનું છું. ગીતામાં લખ્યું છે કે ભગવાન લોકો દ્વારા બોલે છે. કેજરીવાલે કહ્યું કે, ભગવાન કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોંગ્રેસે ગુજરાત પર 30 વર્ષ રાજ કર્યું, ભાજપે 30 વર્ષ રાજ કર્યું. હવે સમય બદલાઈ ગયો છે. હવે ભાજપનો જવાનો સમય આવી ગયો છે. હવે એક નવી પાર્ટી આવશે, ઈમાનદાર પાર્ટી આવશે.

કેજરીવાલે સુરતમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ માટે ભાજપ સરકારની નિંદા કરી. તેમણે કહ્યું કે, ‘30 વર્ષમાં શું હાલત કરી દીધી. સુરત જેવા શહેરમાં પૂર આવી ગયું છે. ઘરોની અંદર, જ્યાં લોકોએ કરોડોના ફ્લેટ અને બંગલા લીધા છે, તેમના બેડરૂમમાં પાણી ઘૂસી ગયું છે. 30 વર્ષમાં ભાજપે ગુજરાતની કેવી હાલત કરી દીધી. કેજરીવાલે કહ્યું કે આ પૂર ભ્રષ્ટાચારને કારણે છે. બિલ્ડરોને એવી રીતે પ્લોટ કાપીને આપવામાં આવ્યા કે પાણીનો નિકાલ બંધ થઈ ગયો.

arvind kejriwal
facebook.com/AAPkaArvind

કેજરીવાલે ભાજપના નેતા સી.આર. પાટીલ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘મેં સી.આર. પાટીલનું નિવેદન સાંભળ્યું. તેમણે કહ્યું કે વિસાવદરના ધારાસભ્ય જતા રહ્યા, 2 વધુ સંપર્કમાં છે. હું કહેવા માગુ છું કે, થોડી શરમ કરો, ભગવાનથી ડરો. મૃત્યુ બાદ બધાએ ભગવાનના દરબારમાં જવાનું છે. મોત તો બધાને આવશે.

તેમણે કહ્યું કે, સી.આર. પાટીલ, મોત તો તમને પણ આવશે. જ્યારે તમે ઉપરવાળાના દરબારમાં જશો, ત્યારે ભગવાન પૂછશે સી.આર. પાટીલ તમે પૃથ્વી પર શું કર્યું, તો તમે શું જવાબ આપશો? અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને તોડીને લાવ્યા, આ જવાબ આપશો? ભગવાન જવાબ આપશે ક્યાં મોકલું તેમને. તમને જનતાએ આટલી મોટી બહુમતી આપી, 30 વર્ષથી સરકાર છે તમારી. શાળાઓ બનાવતા, હૉસ્પિટલો બનાવતા, બાળકોને નોકરી આપતા, રસ્તાઓ બનાવતા, કોઈ સારું કામ કરતા 30 વર્ષની અંદર. આટલા અહંકારની શું વાત છે. 2 અન્ય ટચમાં છે.  શરમની વાત છે. 84 લાખ યોનીઓ બાદ મનુષ્યનો જન્મ મળે છે, તેનો ઉપયોગ કરો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.