બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બદ્રીનાથ ધામ, કેદારનાથ ધામ અને સમિતિના અધિકારક્ષેત્ર હેઠળના તમામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે. સમિતિની આગામી બોર્ડ મીટિંગમાં આ અંગે ઔપચારિક ઠરાવ પસાર કરવામાં આવશે.

આજતકના અહેવાલ મુજબ, હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું રક્ષણ સૌથી જરૂરી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘કેદારખંડથી લઈને માનસખંડ સુધીના મંદિરોમાં પરંપરાગત રીતે બિન-હિન્દુઓને પ્રવેશ થઈ રહ્યો નથી, પરંતુ અગાઉની બિન-ભાજપ સરકારો દરમિયાન આ પરંપરાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હવે, આ પરંપરાઓનો કડક અમલ કરવામાં આવશે.

Hemant-Dwivedi4
etvbharat.com

હેમંત દ્વિવેદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચાર ધામ કોઈ પર્યટન સ્થળો નહીં, પરંતુ સનાતન ધર્મના સર્વોચ્ચ તીર્થસ્થળો છે. અહીં પ્રવેશ એ નાગરિક અધિકારોનો મામલો નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓનો વિષય છે. તેમણે દાવો કર્યો હતો કે બધા મુખ્ય ધાર્મિક ગુરુઓ પણ આ જ મત ધરાવે છે કે બિન-હિન્દુઓને આ મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી ન આપવી જોઈએ.

BKTCના અધ્યક્ષે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીના નિર્દેશ પર રાજ્યભરમાં ગેરકાયદેસર મજારો દૂર કરવામાં આવ્યા અને આ પગલું ઉત્તરાખંડની ધાર્મિક ઓળખ, સાંસ્કૃતિક વારસો, કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવશે. ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે, ‘UCCના અમલીકરણથી લોકોનો સરકારમાં વિશ્વાસ વધ્યો છે.

કોંગ્રેસે આ નિર્ણયને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, ‘તેના પર મારે કોઈ ટિપ્પણી કરવી નથી કારણ કે આ ભાજપનો પોતાનો એજન્ડા છે. તેમને કરવા દો... વિશ્વભરના અન્ય ધર્મો લોકોને પોતાના પૂજા સ્થળો તરફ આકર્ષે છે. તેઓ આવું કરતા નથી.

Hemant-Dwivedi2
badrinath-kedarnath.gov.in

તો, કોંગ્રેસના પ્રવક્તા સુજાતા પાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ‘પહેલા એ નક્કી કરવું જોઈએ કે કોણ હિન્દુ છે અને હિન્દુ ધર્મની પરિભાષા શું છે? જે લોકોને VIP દર્શન કરવવામાં આવે છે, મોટી હોટલોમાં રાખવામાં આવે છે અને જેમની સાથે તસવીરો ખેચવવામાં આવે છે, શું તેમનું પણ આવવાનું બંધ થશે?’

તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘શું ઉત્તરાખંડના રાજ્યપાલ પણ હવે બદ્રીનાથ અને કેદારનાથ ધામ નહીં જઇ શકે?’ ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહ છે, જે શીખ સમુદાયમાંથી આવે છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.