બાંસુરી સ્વરાજનું નામ EDના વકીલોમાં આવવા પર SCમાં આપી સ્પષ્ટતા

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના વકીલોની લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા બાંસુરી સ્વરાજનું નામ આવવાથી નવો વિવાદ ઊભો થતો નજરે પડી રહ્યો છે. જો કે, કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલોએ કોર્ટમાં સ્પષ્ટ આપી દીધી છે કે બાંસુરી સ્વરાજનું નામ ભૂલથી લિસ્ટમાં સામેલ થઈ ગયું હતું. ખાસ વાત છે કે બાંસુરી સ્વરાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ તરફથી એક ડોક્યૂમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એ ડોક્યુમેન્ટ મુજબ, બાંસુરી સ્વરાજનું નામ વકીલોની લિસ્ટમાં નજરે પડી રહ્યું છે. તેની સાથે જ ASG સૂર્યપ્રકાશ વી. રાજૂ, AOR મુકેશ કુમાર મરોરિયા, એડવોકેટ જોહેબ હુસેન, અન્નમ વેંકટેશ, કનુ અગ્રવાલ અને અરકજ કુમારનું નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, EDના વકીલ હુસેને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અજાણતામાં ભૂલ થઈ હતી અને તેમનું નામ સામેલ થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'સંજય સિંહજીના કેસમાં ED તરફથી વકીલોમાં ભાજપના ઉમેદવાર અને તેમના પ્રવક્તા બાંસુરી સ્વરાજનું નામ છે. મેં કાલે જ કહ્યું હતું કે ભાજપ અને ED એક જ વાત છે.

ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, દિલ્હી આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહને રાહત આપતા મંગળવારે જામીન આપી દીધા. આ અગાઉ કહ્યું હતું કે, જો સિંહને કેસમાં જામીન આપી દેવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી. રાજ્યસભાના સભ્યને જામીન મળવાથી આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન થોડી રાહત મળી છે, જેના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઉચ્ચ નેતા કેસના સિલસિલામાં જેલમાં છે.

જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પી.બી. વરાલેની પીઠે 6 મહિનાથી જેલમાં બંધ સંજય સિંહને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પીઠે કહ્યું કે, તેમની પાસેથી કોઇ પૈસા મળ્યા નથી. આમ આદમી પાર્ટીના નેતા પોતાની રાજનીતિ ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે, પરંતુ આ કેસના સંબંધમાં કોઈ નિવેદન નહીં આપી શકે. સંજય સિંહ આખા કેસ દરમિયાન જામીન પર બહાર રહેશે અને તેમની જામીની શરતો સ્પેશિયલ કોર્ટ નક્કી કરશે.

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.