બાંસુરી સ્વરાજનું નામ EDના વકીલોમાં આવવા પર SCમાં આપી સ્પષ્ટતા

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના વકીલોની લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા બાંસુરી સ્વરાજનું નામ આવવાથી નવો વિવાદ ઊભો થતો નજરે પડી રહ્યો છે. જો કે, કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલોએ કોર્ટમાં સ્પષ્ટ આપી દીધી છે કે બાંસુરી સ્વરાજનું નામ ભૂલથી લિસ્ટમાં સામેલ થઈ ગયું હતું. ખાસ વાત છે કે બાંસુરી સ્વરાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ તરફથી એક ડોક્યૂમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એ ડોક્યુમેન્ટ મુજબ, બાંસુરી સ્વરાજનું નામ વકીલોની લિસ્ટમાં નજરે પડી રહ્યું છે. તેની સાથે જ ASG સૂર્યપ્રકાશ વી. રાજૂ, AOR મુકેશ કુમાર મરોરિયા, એડવોકેટ જોહેબ હુસેન, અન્નમ વેંકટેશ, કનુ અગ્રવાલ અને અરકજ કુમારનું નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, EDના વકીલ હુસેને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અજાણતામાં ભૂલ થઈ હતી અને તેમનું નામ સામેલ થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'સંજય સિંહજીના કેસમાં ED તરફથી વકીલોમાં ભાજપના ઉમેદવાર અને તેમના પ્રવક્તા બાંસુરી સ્વરાજનું નામ છે. મેં કાલે જ કહ્યું હતું કે ભાજપ અને ED એક જ વાત છે.

ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, દિલ્હી આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહને રાહત આપતા મંગળવારે જામીન આપી દીધા. આ અગાઉ કહ્યું હતું કે, જો સિંહને કેસમાં જામીન આપી દેવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી. રાજ્યસભાના સભ્યને જામીન મળવાથી આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન થોડી રાહત મળી છે, જેના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઉચ્ચ નેતા કેસના સિલસિલામાં જેલમાં છે.

જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પી.બી. વરાલેની પીઠે 6 મહિનાથી જેલમાં બંધ સંજય સિંહને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પીઠે કહ્યું કે, તેમની પાસેથી કોઇ પૈસા મળ્યા નથી. આમ આદમી પાર્ટીના નેતા પોતાની રાજનીતિ ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે, પરંતુ આ કેસના સંબંધમાં કોઈ નિવેદન નહીં આપી શકે. સંજય સિંહ આખા કેસ દરમિયાન જામીન પર બહાર રહેશે અને તેમની જામીની શરતો સ્પેશિયલ કોર્ટ નક્કી કરશે.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.