બાંસુરી સ્વરાજનું નામ EDના વકીલોમાં આવવા પર SCમાં આપી સ્પષ્ટતા

On

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના વકીલોની લિસ્ટમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા બાંસુરી સ્વરાજનું નામ આવવાથી નવો વિવાદ ઊભો થતો નજરે પડી રહ્યો છે. જો કે, કેન્દ્રીય તપાસ એજન્સીના વકીલોએ કોર્ટમાં સ્પષ્ટ આપી દીધી છે કે બાંસુરી સ્વરાજનું નામ ભૂલથી લિસ્ટમાં સામેલ થઈ ગયું હતું. ખાસ વાત છે કે બાંસુરી સ્વરાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી (AAP) નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ તરફથી એક ડોક્યૂમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એ ડોક્યુમેન્ટ મુજબ, બાંસુરી સ્વરાજનું નામ વકીલોની લિસ્ટમાં નજરે પડી રહ્યું છે. તેની સાથે જ ASG સૂર્યપ્રકાશ વી. રાજૂ, AOR મુકેશ કુમાર મરોરિયા, એડવોકેટ જોહેબ હુસેન, અન્નમ વેંકટેશ, કનુ અગ્રવાલ અને અરકજ કુમારનું નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ, EDના વકીલ હુસેને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અજાણતામાં ભૂલ થઈ હતી અને તેમનું નામ સામેલ થઈ ગયું હતું. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'સંજય સિંહજીના કેસમાં ED તરફથી વકીલોમાં ભાજપના ઉમેદવાર અને તેમના પ્રવક્તા બાંસુરી સ્વરાજનું નામ છે. મેં કાલે જ કહ્યું હતું કે ભાજપ અને ED એક જ વાત છે.

ન્યૂઝ એજન્સી PTIના રિપોર્ટ મુજબ, દિલ્હી આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહને રાહત આપતા મંગળવારે જામીન આપી દીધા. આ અગાઉ કહ્યું હતું કે, જો સિંહને કેસમાં જામીન આપી દેવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી. રાજ્યસભાના સભ્યને જામીન મળવાથી આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન થોડી રાહત મળી છે, જેના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઉચ્ચ નેતા કેસના સિલસિલામાં જેલમાં છે.

જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પી.બી. વરાલેની પીઠે 6 મહિનાથી જેલમાં બંધ સંજય સિંહને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પીઠે કહ્યું કે, તેમની પાસેથી કોઇ પૈસા મળ્યા નથી. આમ આદમી પાર્ટીના નેતા પોતાની રાજનીતિ ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે, પરંતુ આ કેસના સંબંધમાં કોઈ નિવેદન નહીં આપી શકે. સંજય સિંહ આખા કેસ દરમિયાન જામીન પર બહાર રહેશે અને તેમની જામીની શરતો સ્પેશિયલ કોર્ટ નક્કી કરશે.

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.