માતા-પિતાએ જ 2 દીકરીઓને ઉતારી મોતને ઘાટ, પોલીસ સામે રડતા-રડતા જણાવ્યું આ કારણ

બિહારના વૈશાલી જિલ્લામાં ઓનર કિલિંગની એક ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક માતા-પિતાએ જ પોતાની બે દીકરીઓની હત્યા કરી દીધી છે. ઘટના સરાય પોલીસ સ્ટેશન ક્ષેત્રના મણિ ભકુરહર ગામની છે. ઘટનાની જાણકારી મળતા જ આખા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લોકોએ ઇમરજન્સીમાં પોલીસને તેની બાબતે જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓની ઓળખ નરેશ ભગત અને રિન્કુ દેવીના રૂપમાં થઈ છે.

તેમણે પોતાની 18 વર્ષીય દીકરી રોશની અને 16 વર્ષીય પુત્રી અનુ કુમારીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. આ ઘટનામાં અત્યારે તપાસ ચાલી રહી છે. ડબલ મર્ડર કેસની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બંને શબોને કબજામાં લઈ લીધા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપી. ઘટના બાદ આરોપી પિતા ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો, પરંતુ પોલીસે માતાને કસ્ટડીમાં લઈ લીધી છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પિતા પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહે છે. રજા હોય ત્યારે ક્યારેક ક્યારેક ઘરે આવે છે. પોલીસે તેની શોધખોળ કરવા ઘણી જગ્યાએ જાળ બિછાવી રાખી છે. તેની સાથે જ ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી માતાની પોલીસે જેવી જ પૂછપરછ શરૂ કરી, તેને પોતાનો ગુનો કબૂલી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે કહ્યું કે, તેની બંને દીકરીઓ વારંવાર ઘરથી ભાગી જતી હતી. તેનાથી સમજમાં તેમની ખૂબ બદનામી થતી હતી.

તેણે કહ્યું કે, બંનેએ મળીને ઘણી વખત પોતાની દીકરીઓને સમજાવી, પરંતુ તેમના વિચાર ન બદલાય. તેનાથી તંગ આવીને તેમણે બંનેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણાવ્યું કે, પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આખી ઘટના ઓનર કલિંગની છે. કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરીઓની હત્યામાં મોટા સિવાય બીજા લોકો પણ સામેલ હતા.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.