માતા-પિતાએ જ 2 દીકરીઓને ઉતારી મોતને ઘાટ, પોલીસ સામે રડતા-રડતા જણાવ્યું આ કારણ

બિહારના વૈશાલી જિલ્લામાં ઓનર કિલિંગની એક ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક માતા-પિતાએ જ પોતાની બે દીકરીઓની હત્યા કરી દીધી છે. ઘટના સરાય પોલીસ સ્ટેશન ક્ષેત્રના મણિ ભકુરહર ગામની છે. ઘટનાની જાણકારી મળતા જ આખા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લોકોએ ઇમરજન્સીમાં પોલીસને તેની બાબતે જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓની ઓળખ નરેશ ભગત અને રિન્કુ દેવીના રૂપમાં થઈ છે.

તેમણે પોતાની 18 વર્ષીય દીકરી રોશની અને 16 વર્ષીય પુત્રી અનુ કુમારીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. આ ઘટનામાં અત્યારે તપાસ ચાલી રહી છે. ડબલ મર્ડર કેસની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને બંને શબોને કબજામાં લઈ લીધા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપી. ઘટના બાદ આરોપી પિતા ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો, પરંતુ પોલીસે માતાને કસ્ટડીમાં લઈ લીધી છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પિતા પશ્ચિમ બંગાળના કોલકાતામાં રહે છે. રજા હોય ત્યારે ક્યારેક ક્યારેક ઘરે આવે છે. પોલીસે તેની શોધખોળ કરવા ઘણી જગ્યાએ જાળ બિછાવી રાખી છે. તેની સાથે જ ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી માતાની પોલીસે જેવી જ પૂછપરછ શરૂ કરી, તેને પોતાનો ગુનો કબૂલી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેણે કહ્યું કે, તેની બંને દીકરીઓ વારંવાર ઘરથી ભાગી જતી હતી. તેનાથી સમજમાં તેમની ખૂબ બદનામી થતી હતી.

તેણે કહ્યું કે, બંનેએ મળીને ઘણી વખત પોતાની દીકરીઓને સમજાવી, પરંતુ તેમના વિચાર ન બદલાય. તેનાથી તંગ આવીને તેમણે બંનેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષે જણાવ્યું કે, પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આખી ઘટના ઓનર કલિંગની છે. કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરીઓની હત્યામાં મોટા સિવાય બીજા લોકો પણ સામેલ હતા.

Related Posts

Top News

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
Education 
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
National 
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.