ચૂંટણી કમિશનરોની નિમણૂકવાળું બિલ સંસદના વિશેષ સત્રથી હટ્યું, કેમ પાછું લેવાયું

ચૂંટણી કમિશનરોનો દરજ્જો હટાવવા અને તેમની નિમણૂકવાળી પેનલથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હટાવનારા બિલને સરકારના વિશેષ સત્રના એજન્ડાથી હટાવી લીધું છે. સરકારે રવિવારે જે 8 બિલો બાબતે વિપક્ષને જાણકારી આપી છે, તેમાં ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં બદલાવ કરનારું બિલ સામેલ નથી. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, સરકાર ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં સંશોધનવાળા બિલમાં કેટલાક બદલાવ કરવા પર વિચાર કરી રહી છે.

હવે નવી રીતે બદલાવ કર્યા બાદ જ બિલ સદનમાં મંજૂર કરવામાં આવશે. એવી ચર્ચા હતી કે સરકાર ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં બદલાવવાળું બિલ આ સેશનમાં રજૂ કરશે. એ હેઠળ કમિશનરોને સુપ્રીમ કોર્ટના જજના દરજ્જાની જગ્યાએ કેબિનેટ સચિવવાળી હેસિયત આપવામાં આવવાની હતી. તેનો તીખો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષ તેને ચૂંટણી પંચની સ્વાયત્તા સાથે સમજૂતી બતાવી રહ્યું હતું. તેને લઇને 9 પૂર્વ ચૂંટણી કમિશનરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી પણ લખી હતી.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે, હવે સરકાર પોતે પોતાના સ્તર પર પણ બદલાવની જરૂરિયાત અનુભવી રહી છે એટલે બિલને થોડા સમયની રાહ અને સંશોધન બાદ જ રજૂ કરવામાં આવશે. આ બિલને લઈને સૌથી મોટી આપત્તિ એ પણ છે કે આખરે ચૂંટણી કમિશનરોની નિમણૂકથી ચીફ જસ્ટિને કેમ હટાવવામાં આવી રહ્યા છે. હાલના નિયમો મુજબ, ચૂંટણી કમિશનરોની નિમણૂકવાળી પેનલનો ચીફ જસ્ટિસ પણ હિસ્સો હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં આદેશ આપ્યો હતો.

એટલે આ બિલને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટનાર માનવામાં આવી રહ્યું છે. હવે નવા બિલ મુજબ, પેનલમાં વડાપ્રધાન, વિપક્ષ નેતા અને એક કેન્દ્રીય મંત્રીને જ રાખવાનું પ્રવધાન હશે. તેને લઈને ખાસ કરીને આપત્તિ છે અને વિપક્ષ તેને ચૂંટણી પંચની સ્વાયત્તા સાથે છેડછાડ કરનારું બિલ બતાવી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, આ બદલાવના માધ્યમથી સરકાર ઈચ્છા મુજબ ચૂંટણી કમિશનરોની નિમણૂકનો પ્રયાસમાં લાગી છે. આ બાબતે વિપક્ષે પોતાના તેવર પહેલા જ સ્પષ્ટ કરી દીધા હતા એટલે સંસદના વિશેષ સત્ર દરમિયાન સરકારે પોતાના પગલાં પાછળ ખેચી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે આ બિલમાં સંશોધન બાદ જ તેને સંસદની મજૂરી માટે રજૂ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.