ભાજપના MLA જેમની 3300 કરોડની સંપત્તિ છે, તેમણે અચાનક રિક્ષાચાલકને મારવાનું કેમ શરૂ કર્યું?

મુંબઈના ઘાટકોપર વિસ્તારનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ધારાસભ્ય અને એક ઓટો-રિક્ષા ચાલક દેખાય છે. જોકે, ધારાસભ્યના આ કૃત્યથી વિપક્ષને ધારાસભ્ય પરાગ શાહ અને BJP પર હુમલો કરવાનો મોકો મળી ગયો.

MLA-Parag-Shah5
hindi.news24online.com

વીડિયોમાં ધારાસભ્ય પરાગ શાહ એક રિક્ષા રોકે છે અને તેની સાથે વાતચીત કરે છે, તે દરમિયાન અચાનક ડ્રાઇવરને થપ્પડ મારવા લાગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે રિક્ષા ચાલક ખોટી દિશામાં રીક્ષા ચલાવી રહ્યો હતો. આ ઘટના ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં બની હતી, જ્યાં ધારાસભ્ય શાહ અને સ્થાનિક રહેવાસીઓ ગેરકાયદેસર ફેરિયાઓ અને ટ્રાફિક સમસ્યા સામે વિરોધ કરી રહ્યા હતા. વિરોધની વિગતો ધારાસભ્ય શાહના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી હતી, જ્યાં તેમણે લખ્યું હતું કે, 'ઘાટકોપર પૂર્વમાં ફેરિયાઓ સામે કડક આંદોલન.'

MLA-Parag-Shah4
hindi.news18.com

હવે અહીં ધારાસભ્ય કદાચ એ ભૂલી ગયા હોય તેવું લાગે છે કે તેમનો અધિકાર ફક્ત વિરોધ કરવાનો છે અને સરકાર કે વહીવટીતંત્ર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવાનો છે, વ્યક્તિગત રીતે હાથમાં ડંડો લઈને રસ્તાનું સંચાલન કરવાનો નથી. પરંતુ નેતાજી તો નેતાજી જ રહ્યા. સમર્થકો તેમની સાથે હતા, તેથી તેમનામાં જોશ આવી ગયું અને તેમણે ઓટો ડ્રાઈવરને માર મારવાનું શરૂ કર્યું.

જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી વિપક્ષ ધારાસભ્ય પરાગ શાહ અને BJP પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે ધારાસભ્ય પરાગ શાહ પર નિશાન સાધતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે BJPના ધારાસભ્યો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું, 'BJPના ધારાસભ્ય એટલા ઘમંડી થઈ ગયા છે કે તેઓ ગરીબ રિક્ષા ડ્રાઈવરોને પણ છોડતા નથી. ઘાટકોપરમાં, BJPના ધારાસભ્ય પરાગ શાહે આજે એક રિક્ષા ડ્રાઈવરને માર માર્યો, કારણ કે તેણે ટ્રાફિક નિયમો તોડ્યા હતા. BJPના ધારાસભ્યો કાયદો પોતાના હાથમાં લે છે, કારણ કે તેઓ માને છે કે તેઓ કાયદાથી ઉપર છે, અને હવે તેઓ રસ્તા પર માર મારવા લાગ્યા છે! આ BJPનો અસલી ચહેરો છે. BJP મોટા ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો માટે લાલ જાજમ પાથરીને ગરીબ અને મહેનતુ લોકોને માર મારવાની મજા લે છે.'

MLA-Parag-Shah1
hindi.news18.com

પરાગ શાહ 2019થી મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘાટકોપર પૂર્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ચૂંટણી સોગંદનામા મુજબ, શાહ પાસે 3,383.06 કરોડ રૂપિયાની સંપત્તિ છે, અને 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યના સૌથી ધનિક ઉમેદવાર હતા.

About The Author

Top News

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.