આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વિના જ 70 ટકા સીટો પર થઇ ગઇ BJPની જીત! જાણો કેવી રીતે

ત્રિપુરામાં સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એક વખત જીતનું બ્યૂગલ ફૂંકી દીધું છે. રાજ્યમાંઆ 3 ચરણોમાં થયેલી પંચાયત ચૂંટણીમાં ભાજપે 70 ટકા સીટો બિનહરીફ જીતી લીધી છે. ચૂંટણી અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે, ગ્રામ પંચાયાતમાં કુલ 6889 સીટો છે, જેમાં ગ્રામ પંચાયતો, પંચાયત સમિતિઓ અને જિલ્લા પરિષદો સામેલ છે, જેમાંથી ભાજપે 4805 સીટો બિનહરીફ જીતીને કબજો કરી લીધો છે.

રિપોર્ટ મુજબ, ત્રિપુરાની ગ્રામ પંચાયતોમાં ભાજપે કુલ 6370 સીટોમાંથી 4550 સીટો બિનહરીફ જીતી લીધી છે એટલે કે 71 ટકા સીટો પર હવે મતદાન નહીં થાય. આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચના સચિવ આસિત કુમાર દાસે જણાવ્યું કે, જે 1819 ગ્રામ પંચાયત સીટો પર મતદાન થશે. તેમાંથી ભાજપે 1809 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે MKPએ 1222 સીટો પર અને કોંગ્રેસે 731 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. રાજ્ય ચૂંટણી પંચના સચિવ આસિત કુમાર દાસનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની સહયોગી ટિપરા મોથાએ 138 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે.

તેમણે કહ્યું કે, પશ્ચિમી ત્રિપુરા જિલ્લાના મહેશખલા પંચાયતની એક સીટ પર તાત્કાલિક ચૂંટણી નહીં થાય, જ્યાં ભાજપના ઉમેદવારનું મોત થઇ ગયું હતું. દાસે કહ્યું કે, પંચાયત સમિતિઓમાં ભાજપે કુલ 423 સીટોમાંથી 235 સીટો કે 55 ટકા સીટો બિનહરીફ જીતી લીધી. જો કે, હવે 188 સીટો માટે મતદાન થવાનું બાકી છે. આસિત કુમાર દાસે કહ્યું કે, ભાજપે બધી 188 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે, જ્યારે MKPએ 148 અને કોંગ્રેસે 98 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે.

એ સિવાય રાજ્યમાં ભાજપની સહયોગી પાર્ટી ટીપરા મોથાએ 11 સીટો પર ઉમેદવાર ઊભા કર્યા છે. ભાજપે 116 જિલ્લા પરિષદ સીટોમાંથી 20 પર બિનહરીફ જીત હાંસલ કરી, જે લગભગ 17 ટકા છે. ભાજપે બધી 96 જિલ્લા પરિષદ સીટો પર પોતાના ઉમેદવાર ઊભા કર્યા છે, જ્યાં મતદાન થશે, જ્યારે MKPએ 81 અને કોંગ્રેસે 76 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં નામ પાછું લેવાની છેલ્લી તારીખ 22 જુલાઇ હતી, જ્યારે મતદાન આગામી 8 ઑગસ્ટે થશે. સાથે જ મતગણતરી 12 ઑગસ્ટે થશે. જો કે, ગત ચૂંટણીઓમાં ભાજપે ત્રિસ્તરીય પંચાયત પ્રણાલીમાં 96 ટકા સીટો બિનહરીફ જીતી હતી.

Related Posts

Top News

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.