હવે મંજૂરી વિના ટ્યૂબવેલ કે બોરવેલ નહીં ખોદાવી શકો, 6 મહિનાની જેલ, 1 લાખ દંડ

રાજસ્થાન વિધાનસભાના ચોમાસું સત્રના છેલ્લા દિવસે ભૂગર્ભ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ઓથોરિટી બિલમાં સંશોધન કરવામાં આવ્યું છે. હવે આ સંશોધન મુજબ, મંજૂરી વિના ટ્યૂબવેલ કે બોરવેલ કરાવવા પર પ્રતિબંધ રહેશે. તેના માટે પહેલા પ્રશાસનિક મંજૂરી  લેવી પડશે. આ સંશોધન બાદ સામાન્ય લોકો અને ખેડૂતોની પ્રતિક્રિયાઓ સામે આવી છે.

મંજૂરી વિના ટ્યૂબવેલ કે બોરવેલ ખોદવાથી 6 મહિનાની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે ભૂગર્ભજળ બચાવવા અને ભવિષ્યમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો કરવા માટે આ પગલું જરૂરી છે, પરંતુ આ અંગે લોકોનો અભિપ્રાય વિભાજિત થયેલો લાગે છે. ગામમાં રહેતા ખેડૂત જવાન સિંહે કહ્યું કે પાણી તેમની ખેતીનો જીવ છે. જો તેમને દર વખતે મંજૂરી માટે ચક્કર લગાવવા પડશે, તો પાકની વાવણી અને સિંચાઈ પર અસર પડશે. અન્ય એક ખેડૂત મુન્ના પ્રજાપતે જણાવ્યું હતું કે, અમે પહેલાથી જ મોંઘા ખોદકામ અને ઊંડાણ સુધી પાણી ન મળવાથી પરેશાન છીએ, હવે જો લાયસન્સ અને દંડનો ડર પણ રહેશે તો ખેતી વધુ મુશ્કેલ બનશે. ઘણા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે સરકારે પહેલા ખેડૂતોને સિંચાઈના વૈકલ્પિક માધ્યમો અને વીજળી-પાણીની સુવિધા પૂરી પાડવી જોઈએ, તો જ આવી સખ્તાઈ કરવી જોઈએ.

borewell2
indiamart.com

બીજી તરફ શહેરી વિસ્તારો અને સામાન્ય લોકોનો મોટો વર્ગ આ બિલને સમર્થન આપી રહ્યો છે. સીકર શહેરના રહેવાસી રાહુલ ટાંકે જણાવ્યું હતું કે, જો અત્યારે પાણી બચાવવા માટે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી પેઢીઓને પાણીના ટીપાં-ટીપાં માટે તડપવું પડશે. જળ સંરક્ષણ સાથે જોડાયેલા પર્યાવરણ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરોએ પણ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે ડાર્ક ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં પાણી ખેંચવાને કારણે પૃથ્વીનું પાણીનું સ્તર એટલું નીચે જતું રહ્યું છે કે ભવિષ્યમાં પીવાના પાણીની પણ કટોકટી સર્જાઈ શકે છે.

borewell1
indiamart.com

સીકરના એક વિસ્તારમાંથી ધારાસભ્યની ચૂંટણી લડનારા જગદીશ દાનોડિયાએ કહ્યું કે સરકાર ખેડૂતો પર વધારાનો બોજ નાખી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં પહેલાથી જ પાણીની ગંભીર સમસ્યા છે, એવામાં તેમને રાહત આપવાની જગ્યાએ તેમને સજા અને દંડથી ડરાવવા યોગ્ય નથી. ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનારા ભારતીય કિસાન મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ જાખડે પણ ભૂગર્ભજળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ઓથોરિટી બિલ 2024માં કરવામાં આવેલા બદલાવોને યોગ્ય ન માન્યા. તેમણે કહ્યું કે રાજસ્થાન જેવા સૂકા વિસ્તારોના ખેડૂતો માટે આ સૌથી મોટી સમસ્યા છે. એવામાં, ટ્યૂબવેલ અને બોરવેલ તેમના સિંચાઈનો એકમાત્ર સ્ત્રોત છે. આ વ્યવસ્થા લાગૂ કરવા અગાઉ સરકારે ખેડૂતો માટે વૈકલ્પિક માર્ગો શોધવા જોઈએ.

About The Author

Top News

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.