હવે મંજૂરી વિના ટ્યૂબવેલ કે બોરવેલ નહીં ખોદાવી શકો, 6 મહિનાની જેલ, 1 લાખ દંડ

રાજસ્થાન વિધાનસભાના ચોમાસું સત્રના છેલ્લા દિવસે ભૂગર્ભ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ઓથોરિટી બિલમાં સંશોધન કરવામાં આવ્યું છે. હવે આ સંશોધન મુજબ, મંજૂરી વિના ટ્યૂબવેલ કે બોરવેલ કરાવવા પર પ્રતિબંધ રહેશે. તેના માટે પહેલા પ્રશાસનિક મંજૂરી  લેવી પડશે. આ સંશોધન બાદ સામાન્ય લોકો અને ખેડૂતોની પ્રતિક્રિયાઓ સામે આવી છે.

મંજૂરી વિના ટ્યૂબવેલ કે બોરવેલ ખોદવાથી 6 મહિનાની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સરકારનું કહેવું છે કે ભૂગર્ભજળ બચાવવા અને ભવિષ્યમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો કરવા માટે આ પગલું જરૂરી છે, પરંતુ આ અંગે લોકોનો અભિપ્રાય વિભાજિત થયેલો લાગે છે. ગામમાં રહેતા ખેડૂત જવાન સિંહે કહ્યું કે પાણી તેમની ખેતીનો જીવ છે. જો તેમને દર વખતે મંજૂરી માટે ચક્કર લગાવવા પડશે, તો પાકની વાવણી અને સિંચાઈ પર અસર પડશે. અન્ય એક ખેડૂત મુન્ના પ્રજાપતે જણાવ્યું હતું કે, અમે પહેલાથી જ મોંઘા ખોદકામ અને ઊંડાણ સુધી પાણી ન મળવાથી પરેશાન છીએ, હવે જો લાયસન્સ અને દંડનો ડર પણ રહેશે તો ખેતી વધુ મુશ્કેલ બનશે. ઘણા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે સરકારે પહેલા ખેડૂતોને સિંચાઈના વૈકલ્પિક માધ્યમો અને વીજળી-પાણીની સુવિધા પૂરી પાડવી જોઈએ, તો જ આવી સખ્તાઈ કરવી જોઈએ.

borewell2
indiamart.com

બીજી તરફ શહેરી વિસ્તારો અને સામાન્ય લોકોનો મોટો વર્ગ આ બિલને સમર્થન આપી રહ્યો છે. સીકર શહેરના રહેવાસી રાહુલ ટાંકે જણાવ્યું હતું કે, જો અત્યારે પાણી બચાવવા માટે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી પેઢીઓને પાણીના ટીપાં-ટીપાં માટે તડપવું પડશે. જળ સંરક્ષણ સાથે જોડાયેલા પર્યાવરણ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરોએ પણ સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે ડાર્ક ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં પાણી ખેંચવાને કારણે પૃથ્વીનું પાણીનું સ્તર એટલું નીચે જતું રહ્યું છે કે ભવિષ્યમાં પીવાના પાણીની પણ કટોકટી સર્જાઈ શકે છે.

borewell1
indiamart.com

સીકરના એક વિસ્તારમાંથી ધારાસભ્યની ચૂંટણી લડનારા જગદીશ દાનોડિયાએ કહ્યું કે સરકાર ખેડૂતો પર વધારાનો બોજ નાખી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં પહેલાથી જ પાણીની ગંભીર સમસ્યા છે, એવામાં તેમને રાહત આપવાની જગ્યાએ તેમને સજા અને દંડથી ડરાવવા યોગ્ય નથી. ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનારા ભારતીય કિસાન મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ જાખડે પણ ભૂગર્ભજળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ઓથોરિટી બિલ 2024માં કરવામાં આવેલા બદલાવોને યોગ્ય ન માન્યા. તેમણે કહ્યું કે રાજસ્થાન જેવા સૂકા વિસ્તારોના ખેડૂતો માટે આ સૌથી મોટી સમસ્યા છે. એવામાં, ટ્યૂબવેલ અને બોરવેલ તેમના સિંચાઈનો એકમાત્ર સ્ત્રોત છે. આ વ્યવસ્થા લાગૂ કરવા અગાઉ સરકારે ખેડૂતો માટે વૈકલ્પિક માર્ગો શોધવા જોઈએ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.