ભારતીયોને બાંગ્લાદેશી ગણાવીને કર્યા હતા ડિપોર્ટ, હવે કોર્ટ કેન્દ્રને આપ્યો આદેશ- 4 અઠવાડિયામાં પાછા લાવો

કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે, ‘બાંગ્લાદેશમાં દેશનિકાલ કરાયેલા 6 ભારતીય નાગરિકો, જેમાં એક ગર્ભવતી મહિલા સોનાલી ખાતૂનનો પણ સમાવેશ થાય છે, તેમને 4 અઠવાડિયામાં સ્વદેશ પાછા લાવવામાં આવે. ન્યાયાધીશ તાપાબ્રતા ચક્રવર્તી અને રીતબ્રતો કુમાર મિત્રાની ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકારની દેશનિકાલ પર રોક લગાવવાની અરજીને ખોટી ગણાવીને ફગાવી દીધી.

સુપ્રીમ કોર્ટે અગાઉ સોનાલીના કેસની પ્રાથમિકતા પર સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઇકોર્ટે દેશનિકાલના આદેશને રદ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને તેને એક મહિનાની અંદર ભારત પરત લાવવાનો આદેશ આપ્યો છે. આ 6 વ્યક્તિઓ બીરભૂમ જિલ્લાના 2 પરિવારોના છે. શુક્રવારે કોર્ટને માહિતી મળી કે કેન્દ્ર સરકાર આ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારી કરી રહી છે. દિલ્હી પોલીસે 26 જૂને દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ ઇમિગ્રેશન વિભાગના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO)એ દસ્તાવેજોના અભાવ અને તેમના બંગાળી બોલવાની શંકા પર તેમને બાંગ્લાદેશ પાછા મોકલી દીધા.

HC1
ndtv.com

ન્યાયાધીશોએ પૂછ્યું કે, ‘આ કોણ કરી શકે? આ દેશનિકાલ ગેરકાયદેસર છે. તે એક ભારતીય નાગરિક છે, તે દિલ્હીમાં કામ કરી રહી હતી, પરંતુ તમે તેને બાંગ્લાદેશ મોકલી દીધી.આ નિર્ણય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ભાજપ પર બંગાળી વિરોધી હોવાનો આરોપ લગાવ્યો.

તેમણે લખ્યું કે, કોલકાતા હાઇકોર્ટે FRRO (દિલ્હી)ના અટકાયત અને દેશનિકાલના આદેશને ગેરકાયદેસર જાહેર કર્યો અને બીરભૂમના 6 લોકોને તાત્કાલિક સ્વદેશ પરત લાવવાનો આદેશ આપ્યો, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય બાંગ્લા વિરોધીઓ દ્વારા બંગાળીઓ વિરુદ્ધ ક્રૂર અને સુનિયોજિત ઉત્પીડનનો પર્દાફાશ કરે છે. અમે ગુનેગારોને કોર્ટમાં, સાર્વજનિક બહેસમાં અને મતદાનમાં જવાબદાર ઠેરવીશું. બંગાળના લોકો જાતિવાદ, અપમાન અથવા બહિષ્કારની રાજનીતિને સહન નહીં કરે. વર્ષ 2026માં લોકો ભય અને ઉત્પીડનનો વેપાર કરે છે, તેમને મતદારો તરફથી નિર્ણાયક ચૂકાદો મળશે. ન્યાયની શરૂઆત થઈ ગઈ છે. બંગાળના લોકોની ગરિમા, અધિકાર અને ભાષાનું રક્ષણ કરવાનો અમારો સંકલ્પ અડગ છે.

Abhishek-Banerjee
indiatoday.in

બંગાળના મંત્રી ડૉ. શશી પંજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આજે કોલકાતા હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે કેવી રીતે બંગાળમાં જન્મેલા ભારતીય નાગરિક સગર્ભા મહિલા સહિત 6 લોકોને દિલ્હીની દુષ્ટ તાકતોએ બળજબરીથી બાંગ્લાદેશ મોકલી દીધા. ડિવિઝન બેન્ચે કેન્દ્ર સરકાર અને જવાબદારોને પૂછ્યું કે, ‘આ કોણે કર્યું? આ દેશનિકાલ ગેરકાયદેસર છે. તેઓ ભારતીય છે. તે દિલ્હીમાં કામ કરતી હતી, પરંતુ તમે તેને બાંગ્લાદેશ મોકલી દીધી?’ આ મામલો બંગાળમાં રાજનીતિક તણાવને વેગ આપી રહ્યો છે. TMC તેને કેન્દ્ર સરકારની બંગાળી વિરોધી નીતિનો પુરાવો ગણાવી રહી છે, જ્યારે ભાજપ મૌન છે. વિપક્ષે તેને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.