શું હાઉસિંગ સોસાયટીમાં રખડતા કૂતરાઓને ખવડાવી શકીએ? કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન

હાઉસિંગ સોસાયટીઓમાં કૂતરાઓને લઈને ઝઘડાઓ સામે આવે છે. રખડતા કૂતરાઓને ખવડાવવાની બાબતે થતા ઝગડાઓ અનેક વખત પોલીસ સુધી પહોંચી ચૂક્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. બોમ્બે હાઈકોર્ટે આવી જ એક બાબત અંગે સીવુડ્સ સોસાયટી અને ડોગ લવર્સની અરજીનો નિકાલ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ મહિને 10 માર્ચે કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં શ્વાન પ્રેમીઓ માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિયમોની કલમ 20 જણાવે છે કે, કોઈપણ સોસાયટીમાં રખડતા પ્રાણીઓને ખવડાવવાની જવાબદારી એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશન અથવા વિસ્તારના માલિકની રહેશે, અથવા સ્થાનિક સંસ્થાની રહેશે. એપાર્ટમેન્ટના માલિકો અને કૂતરાઓની સંભાળ રાખનારાઓ વચ્ચે કોઈ વિવાદના કિસ્સામાં 7 સભ્યોની એનિમલ વેલફેર કમિટીની રચના કરવામાં આવશે અને તેનો નિર્ણય આખરી રહેશે.

અદાલતે, જોકે, અપવાદ લીધો હતો કે વિવાદના કિસ્સામાં રચાયેલી 7 સભ્યોની પ્રાણી કલ્યાણ સમિતિમાં કૂતરાઓને ખોરાક આપનારાઓનો સમાવેશ થતો નથી, 'જેઓ પોતે સમુદાયના પ્રાણીઓને ખવડાવવાનો અને સાર સંભાળનો ભાર ઉઠાવી રહ્યા છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, રખડતા પશુઓને ખવડાવવા માટેની જગ્યા નક્કી કરી દેવામાં આવે. આ જગ્યા બાળકો રમતા હોય તેનાથી દૂર હોવી જોઈએ. આ ઉપરાંત, આ સ્થળ કોઈપણ પ્રકારના પ્રવેશ કરવાના અને બહાર નીકળવાના દરવાજાથી દૂર હોવું જોઈએ અને સીડીઓ અને બાળકો અને વૃદ્ધો જવાની શક્યતા હોય તેવા સ્થળોથી પણ દૂર હોવું જોઈએ. તેમાં વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, કુતરાઓને ખવડાવનારે એ ખાતરી કરવી જોઈએ કે રેસિડેન્ટ એસોસિએશનની માર્ગદર્શિકાનું કોઈ ઉલ્લંઘન તો નથી થતું ને.

જસ્ટિસ ગૌતમ પટેલની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે, જો રખડતા પ્રાણીઓને યોગ્ય કાળજી, જેમ કે ખોરાક, નસબંધી, રસીકરણ અથવા બીમારીના કિસ્સામાં જરૂરી સારવાર વિના છોડવામાં આવે તો કૂતરા વધુ આક્રમક બનશે અને ખોરાકની શોધ કરશે. તેનાથી સમસ્યામાં વધારો જ થશે. કોર્ટે કહ્યું કે, સાથે મળીને કામ કરીને આ મુદ્દાને શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાય છે. જો તમે ખોરાક અને ચોક્કસ માત્રામાં કાળજી આપો છો તો કૂતરાઓ આક્રમક બનશે નહીં.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.