શું છે ‘લેન્ડ ફોર જોબ સ્કેમ’, જેના કારણે રાબડી દેવીના ઘરે પહોંચી CBIની ટીમ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવીના ઘર પર CBI પહોંચી ગઈ છે. CBI ‘લેન્ડ ફોર જોબ સ્કેમ’ એટલે કે જમીનના બદલે નોકરી કૌભાંડની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આજે સવારે CBIની ટીમ પટના સ્થિત રાબડી દેવીના ઘરે પહોંચી છે. CBIની ટીમ એવા સમયે પહોંચી છે, જ્યારે હાલમાં જ દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે લાલુ પ્રસાદ યાદવના પરિવારને સમન્સ પાઠવ્યા છે. 'લેન્ડ ફોર જોબ સ્કેમ'માં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેમની દીકરી મીસાએ 15 માર્ચના રોજ કોર્ટમાં ઉપસ્થિત થવાનું છે.

આ કૌભાંડ એ સમયનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા. દાવો છે કે, લાલુ પ્રસાદ યાદવે રેલ મંત્રી રહેવા દરમિયાન રેલવેમાં લોકોને નોકરી આપવાના બદલામાં તેમની પાસેથી જમીન લીધી હતી. લાલુ પ્રસાદ યાદવ વર્ષ 2004-09 સુધી રેલ મંત્રી હતા. આ કેસમાં ગયા વર્ષે 10 ઓક્ટોબરના રોજ CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે જ જુલાઈમાં CBIએ ભોલા યાદવની ધરપકડ કરી હતી, જે લાલુ યાદવના રેલ મંત્રી રહેતા તેમના OSD હતો.

શું છે 'લેન્ડ ફોર જોબ સ્કેમ'?

'લેન્ડ ફોર જોબ સ્કેમ' 14 વર્ષ જૂનો છે. આ કેસમાં ગયા વર્ષે 18 મેના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો. CBIના જણાવ્યા મુજબ, લોકોને પહેલા રેલવેમાં ગ્રુપ Dના પદો પર સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતી કરવામાં આવ્યા અને જ્યારે તેમના પરિવારે જમીનની ડીલ કરી તો તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા.

CBIનું કહેવું છે કે, પટનામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. આ જમીનની ડીલ રોકડમાં થઈ હતી એટલે કે લાલુ પરિવારે રોકડ આપીને આ જમીનોને ખરીદી હતી. CBI મુજબ આ જમીન ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી.

CBIને એ પણ જાણવા મળ્યું કે, ઝોનલ રેલવેમાં સબ્સ્ટિટ્યુટની ભરતીની કોઈ જાહેરાત કે પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ જે પરિવારોએ યાદવ પરિવારને પોતાની જમીન આપી, તેમના સભ્યોને રેલવેમાં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નિમણૂક કરવામાં આવી.

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ કેટલાક ઉમેદવારોની અરજીઓને અપ્રુવ કરવામાં ઉતાવળ કરવામાં આવી. કેટલીક અરજીઓને 3 દિવસમાં જ અપ્રુવ કરી દેવામાં આવી. પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની અરજીઓને આખા સરનામા વિના પણ અપ્રુવ કરી દેવામાં આવી અને નિમણૂક કરી દેવામાં આવી.

કુલ મળાવીને લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલીએ કથિત રીતે 7 ઉમેદવારોને જમીનના બદલે નોકરી આપી. તેમાંથી 5 જમીનોનું વેચાણ થયું હતું, જ્યારે 2 ગિફ્ટ તરીકે આપી દેવામાં આવી હતી.

આ બધો ખેલ ક્યારે થયો?

વર્ષ 2004-09માં કેન્દ્રમાં UPA સરકાર હતી. એ સરકારમાં લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતા. જમીનના બદલે નોકરીનો આ આખો ખેલ એ દરમિયાન થયો.

CBIએ આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, દીકરી મીસા યાદવ અને હેમા યાદવ સહિત કેટલાક ઉમેદવારોને આરોપી બનાવવામાં આવ્યા છે.

CBIનો આરોપ છે કે, લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ મંત્રી હતા તો તેમણે ગ્રુપ Dમાં સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતીના બદલે જમીનો લીધી અને તેને પોતાના પરિવારના નામ પર ખરીદવામાં આવી.

CBI આરોપ લગાવ્યો કે, લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ મંત્રી હતા તો તેમણે જમીનના બદલે 7 અયોગ્ય ઉમેદવારોને રેલવેમાં નોકરી આપી હતી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.