- National
- ટાટા ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય અતિથિઓની યાદીમાંથી CJI સૂર્યકાંત હટી ગયા, છેલ્લી ઘડીએ...
ટાટા ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય અતિથિઓની યાદીમાંથી CJI સૂર્યકાંત હટી ગયા, છેલ્લી ઘડીએ...
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)ના દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિઓની યાદીમાંથી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનું નામ હટી ગયું છે. TISSનો 86મો દીક્ષાંત સમારોહ શનિવાર (22 ઓગસ્ટ)ના રોજ યોજાવાનો છે. છેલ્લી ઘડીએ, સંસ્થાએ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. સી.એસ. પ્રમેશને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.
આ દીક્ષાંત સમારોહ 2 ઓગસ્ટના રોજ યોજાવાનો હતો, અને સંસ્થાએ શરૂઆતમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને કાર્યક્રમની અધ્યક્ષતા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, માત્ર 48 કલાક અગાઉ એક ઇમેઇલ મોકલીને કહેવામાં આવ્યું હતું કે સમારોહ અણધારી પરિસ્થિતિનેને કારણે મુલતવી રાખવામાં આવ્યો છે.
જોકે TISSએ આ પરિસ્થિતિઓનો ખુલાસો કર્યો નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ અને અધિકારીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશની મુલાકાત સાથે સંકળાયેલા સંભવિત વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા વ્યવસ્થા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એક સત્તાવાર નિવેદનમાં સંસ્થાએ કહ્યું હતું કે સમારોહ અનુકૂળ વાતાવરણમાં યોજાઈ શકતો નહોતો અને આયોજન મુજબ આગળ વધવાથી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ, ગણમાન્ય વ્યક્તિઓ, મહેમાનો અને કેમ્પસ જીવન પર અસર પડી શકતી હતી.
TISS વહીવટીતંત્રે સમારોહ દરમિયાન વિરોધ પ્રદર્શન અથવા વિક્ષેપોની આશંકાને કારણે દીક્ષાંત સમારોહ મુલતવી રાખ્યો હતો, કારણ કે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત દ્વારા બેરોજગાર ભારતીય યુવાનોને કોકરોચ’ કહેવાનો મુદ્દો તાજેતરના મોટા પાયે દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલો છે.
પરંતુ, દીક્ષાંત સમારોહનું સમયપત્રક હવે અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે, જેમાં ડૉ. સી.એસ. પ્રમેશનું મુખ્ય મહેમાન તરીકે નામ આપવામાં આવ્યું છે. TISS અધિકારીઓ સ્પષ્ટતા કરવા માટે ઉપલબ્ધ નહોતા કે શું આ ફેરફાર CJI સૂર્યકાન્તના હટવા નિર્ણય પછી થયો છે કે સુરક્ષા ચિંતાઓ વચ્ચે સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. સ્નાતક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દીક્ષાંત સમારોહ મુલતવી રાખવાથી પરેશાન હતા, કારણ કે ઘણા લોકોએ પહેલાથી જ મુસાફરીની વ્યવસ્થા કરી લીધી હતી. ત્યારબાદ TISSએ જાહેરાત કરી કે પ્રભાવિત વિદ્યાર્થીઓને દરેક મામલાના આધારે નાણાકીય મદદ આપવામાં આવશે. ફરીથી નિર્ધારિત સમારોહ હવે 22 ઓગસ્ટના રોજ યોજાવાનો છે.
દિક્ષાંત સમારોહ હવે શનિવારે દેવનારમાં સંસ્થાના નવરોજી કેમ્પસમાં યોજાશે, જેમાં દેશભરના કેમ્પસમાંથી સ્નાતક થનારા વિદ્યાર્થીઓ હાજર રહેશે. અગાઉ, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લૉના દિક્ષાંત સમારોહ અંગે વિવાદ ઉભો થયો હતો. ત્યાંના લગભગ 450 વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વિદ્યાર્થીઓએ CJIને મુખ્ય અતિથિ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ CJIને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવા સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન બાદ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ જવાબી કાર્યવાહી કરતા સ્નાતક વિદ્યાર્થીઓને વકીલ એનરોલમેન્ટ પર રોક લગાવી દીધી હતી; આ પગલાથી મોટો વિવાદ થયો, જેના કારણે BCIએ પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો, કાઉન્સિલને તેના એકપક્ષીય પગલા માટે ઠપકો આપ્યો હતો.

