કોકરોચ જનતા પાર્ટી આ તારીખે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિવિધ પરીક્ષાઓમાં વારંવાર થતી ગેરરીતિઓથી દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે.

પુણેમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં દીપકે કહ્યું કે, દેશના યુવાનો હવે વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચૂપ રહેવા તૈયાર નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો શિક્ષણ પ્રધાન 13 જૂન સુધીમાં રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

29

દીપકે કહ્યું કે NEET પરીક્ષાને લગતા વિવાદોને કારણે ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. તેમનો દાવો છે કે NEET, CBSE અને CUET જેવી પરીક્ષાઓને લગતી સમસ્યાઓએ 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને અસર થઇ છે, પરંતુ અત્યાર સુધી કોઈએ તેની જવાબદારી લીધી નથી.

તેમણે જણાવ્યું કે 6 જૂને નવી દિલ્હીના જંતર મંતર પર ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દીપકે કહ્યું કે શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાઓની જવાબદારી કોઈએ તો લેવી જ જોઈએ.

દીપકેના મતે, જો 13 જૂન સુધીમાં રાજીનામું નહીં મળે, તો પુણેથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, 11 જૂને સાંજે 4 વાગ્યે પુણેમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, ત્યારપછી લખનઉ, અમૃતસર, જયપુર અને બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

તેમણે સરકારને સમગ્ર મામલાની નૈતિક જવાબદારી લેવાની અપીલ કરી, અને આરોપ લગાવ્યો કે પેપર લીક અને સર્વર ફેલ્યોર જેવી સમસ્યાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.

30

દીપકે કહ્યું કે, જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનો 20 જૂને દિલ્હી પહોંચશે. તેમણે દાવો કર્યો કે, તેઓ પોતે પણ આ આંદોલનમાં જોડાશે અને લોકોને રાષ્ટ્રીય રાજધાની પહોંચવાની અપીલ કરશે.

તેમણે એમ પણ કહ્યું કે, જો PM નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી શકે છે, તો તેમના માટે શિક્ષણ મંત્રીનું રાજીનામું સુનિશ્ચિત કરવું પણ શક્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોકરોચ જનતા પાર્ટીએ 6 જૂને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દેશમાં કથિત પેપર લીક કેસોને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

About The Author

Top News

શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક...
Business 
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા...
National 
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા...
National 
જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.