40 વર્ષથી પેન્શન લેવા ભટક્યા સ્વતંત્રતા સેનાની, કોર્ટે સરકારને 20000 દંડ કર્યો

કેન્દ્ર સરકાર પર 40 વર્ષ સુધી એક સ્વતંત્રતા સેનાનીને પેન્શન ન આપવાના કારણે 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાલમાં દિલ્હી હાઇ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કેન્દ્ર પર દંડની આ રકમ નક્કી કરી. દંડની રકમ 96 વર્ષીય સ્વતંત્રતા સેનાની ઉત્તીમ લાલ સિંહને મળશે. ઉત્તીમ લાલ સિંહ છેલ્લા 40 વર્ષોથી પોતાનું પેન્શન મેળવવા માટે સંઘર્ષણ કરી રહ્યા હતા. કોર્ટે આદેશમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ઉત્તીમ લાલ સિંહને પેન્શન આપવામાં બેદરકારી દાખવી છે.

બાર એન્ડ બેન્ચમાં છપાયેલા રિપોર્ટ મુજબ, કોર્ટનો આદેશ છે કે કેન્દ્ર સરકારે ઉત્તીમ સિંહની પેન્શન રકમ 12 અઠવાડિયાની અંદર આપવી પડશે. હાલમાં જસ્ટિસ સુબ્રમણ્યમ સ્વામી પ્રસાદે કેસની સુનાવણી કરતા કહ્યું કે, ‘આપણાં સ્વતંત્રતા સેનાનીઓ જેમણે દેશની આઝાદી માટે લડાઈ લડી, તેમના પ્રત્યે કેન્દ્ર સરકાર જે પ્રકારે વ્યવહાર કરી રહી છે, એ જોવું ખૂબ નિંદનીય છે.’ કોર્ટે કેન્દ્ર સરકારે 1980 સ્વતંત્રતા સન્માન પેન્શન હેઠળ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.

સાથે જ ચૂકવણીની રકમમાં 6 ટકાનું વાર્ષિક વ્યાજ પણ આપવા કહેવામાં આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, વાર 1982માં ઉત્તીમ લાલ સિંહે પેન્શન માટે અરજી કરી હતી. માર્ચ 1985માં બિહાર સરકારે દસ્તાવેજો સાથે આ કેસને કેન્દ્ર સરકાર પાસે મોકલી દીધો હતો. ત્યારબાદ ખબર પડી કે કેન્દ્ર સરકાર પાસેથી તેમના દસ્તાવેજ ગુમ થઈ ગયા. વર્ષ 2009માં પેન્શનને લઈને ફરીથી ભલામણ કરવામાં આવી. નવેમ્બર 2017માં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય પાસે ઉત્તીમ સિંહના દસ્તાવેજ નથી. ત્યારબાદ કેન્દ્ર સરકારે બિહાર સરકાર પાસે દસ્તાવેજોની માગ કરી.

જસ્ટિસ પ્રસાદે જણાવ્યું કે, બહાર સરકારે ફરી ઉત્તીમ સિંહના દસ્તાવેજોને વેરીફાઈ કર્યા. વેરિફિકેશન બાદ 14 જુલાઇ 2022ના રોજ ફરી કેન્દ્ર સરકાર પાસે લેટર મોકલવામાં આવ્યો, પરંતુ એ છતા તેમનું પેન્શન રીલિઝ ન કરવામાં આવ્યું. આ કેસમાં ઉત્તીમ લાલ સિંહ તરફથી વકીલ IC મિશ્રા અને અનવર અલી ખાન કેસ લડી રહ્યા હતા અને અનુરાગ અહલુવાલિયા કેન્દ્ર સરકારના પક્ષ રાખી રહ્યા હતા.

કોણ છે ઉત્તીમ સિંહ:

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 1927માં ઉત્તીમ સિંહનો જન્મ થયો હતો. તેમણે ભારત છોડો અંદાલ સહિત ઘણા અન્ય સ્વતંત્રતા આંદોલનોમાં ભાગ લીધો હતો. બ્રિટિશ સરકારે તેમના પર વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 1943માં બ્રિટિશ સરકારે તેમને દોષી ઠેરવ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.