વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ, ઉછળીને શૌચ કરી રહેલા વ્યક્તિ પર પડી, બંનેના મોત

રાજસ્થાનથી એક અજીબ ઘટના સામે આવી છે, રેલવેના એક નિવૃત વૃદ્ધ કર્મચારી રાત્રે ખુલ્લામાં શૌચ કરવા ગયા હતા. એ વખતે અચાનક એક ગાય ઉછળીને તેમની પર પડી હતી અને ઘટના સ્થળે જ એ વૃદ્ધનું મોત થઇ ગયું હતું, ગાય પણ મોતને ભેટી હતી.ગાયનો પ્રહાર એટલો સખત હતો કે વૃદ્ધ ત્યાં જ ઢળી પડ્યા હતા. ગાય ક્યાંથી ઉછળીને આવી હતી તે હવે જાણો.

એક એવી કહેવત છે કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કે ક્યારે મોત આવીને માથા પર ટપકી પડે તે ખબર નહીં હોય. રાજસ્થાનમાં શૌચ ક્રિયા કરી રહેલા એક 82 વર્ષના વૃદ્ધને સપનેય પણ ખ્યાલ નહીં હોય કે તેનો આ અંતિમ સમય છે. વાત એમ બની હતી કે શૌચ કરી રહેલા વૃદ્ધના માથા પર ગાય આવીને પટકાઇ હતી અને ગાય અને વૃદ્ધ બંનેના મોત થયા હતા. આ ગાય વંદે ભારત ટ્રેન સાથે અથડાઇ હતી અને 30 મીટર દુર શૌચ કરી રહેલા વૃદ્ધ પર જઇને પડી હતી.

રાજસ્થાનના અલવર શહેરમાંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ટ્રેન અને ગાયને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. અહીં મોડી રાત્રે એક ગાય વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. ટ્રેન સાથે અથડાયા બાદ ગાય લગભગ 30 મીટર દૂર શૌચ કરી રહેલા વ્યકિત પર પડી હતી.

વંદે ભારત ટ્રેન અલવરના કોલીમોરી ફાટક પાસેથી પસાર થઇ રહી હતી તે વખતે 82 વર્ષના વૃદ્ધ શિવદયાળ શર્મા શૌચ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ અને સીધી ઉછળીને શિવદયાળ શર્મા પર પડી હતી એ ઘટનામાં ગાય અને શિવદયાળ બંનેના મોત થઇ ગયા હતા.

પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ વૃદ્ધાની લાશ પરિવારજનોને સોંપી દીધી છે. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક શિવદયાલ શર્મા રેલવેમાં ઈલેક્ટ્રીશિયન હતા. લગભગ 22 વર્ષ પહેલા રેલ્વેમાંથી નિવૃત્ત થયા હતા. તેઓમોડી રાત્રે ટ્રેક પાસે ખુલ્લામાં શૌચ કરવા ગયો હતો ત્યારે ટ્રેન ગાય સાથે અથડાઈ હતી અને ગાય ઉછળીને વૃદ્ધ પર પડી હતી અને બંનેના મોત થયા હતા.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.