શું CRPF જવાનની પાકિસ્તાની પત્નીને પાકિસ્તાન નહીં જવું પડે, વકીલે કારણ જણાવ્યું

ગયા બુધવારે CRPF જવાન મુનીર અહેમદ અને તેની પાકિસ્તાની પત્નીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. CRPF જવાન મુનીર અહેમદે થોડા સમય પહેલા મીનલ ખાન સાથે નિકાહ કર્યા હતા. હવે અપડેટ એ છે કે મીનલ ખાનને અટારી બોર્ડરથી જમ્મુ પરત મોકલી દેવામાં આવી છે. મીનલ અને મુનીર સોશિયલ મીડિયા દ્વારા મિત્ર બન્યા અને પછીથી તેમણે એકબીજા સાથે લગ્ન કરી લીધા.

Pakistani Wife Meenal Khan
greaterkashmir.com

વાઘા બોર્ડર જતી વખતે, મીનલે ભારત સરકારને અપીલ કરી કે, દેશમાં પરિણીત પાકિસ્તાની નાગરિકોને તેમના બાળકોથી અલગ ન કરવામાં આવે. મીનલે કહ્યું, 'અમને અમારા પરિવાર સાથે રહેવાની છૂટ આપવી જોઈએ. અમે પહેલગામ હુમલામાં નિર્દોષ લોકોની બર્બર હત્યાની નિંદા કરીએ છીએ. તેને કડક સજા મળવી જોઈએ.'

જમ્મુમાં એક સમાચાર એજન્સી સાથે વાત કરતા, પાકિસ્તાની નાગરિક મીનલ ખાનના વકીલ અંકુશ શર્માએ જણાવ્યું હતું કે, CRPF જવાન મુનીર ખાને અઢી મહિના પહેલા પાકિસ્તાની નાગરિક મીનલ ખાનની સાથે નિકાહ કર્યા હતા. તે વિઝિટિંગ વીઝા પર ભારત આવી હતી અને પછી લાંબા ગાળાના વીઝા માટે અરજી કરી હતી.

Pakistani Wife Meenal Khan
abplive.com

અંકુશ શર્માએ જણાવ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં બે પ્રકારના લોકોને છૂટ આપવામાં આવી હતી. આમાં રાજદ્વારી વીઝા ધારકો અને લાંબા ગાળાના વીઝા ધારકોનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી કે, મીનલ ખાનનો પણ લાંબા ગાળાના વીઝા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, ત્યાર પછી અહેવાલ મુજબ ગૃહ મંત્રાલયને સકારાત્મક ભલામણો મોકલવામાં આવી હતી.

Pakistani Wife Meenal Khan
livehindustan.com

તેમણે જણાવ્યું કે આ દરમિયાન પહેલગામ હુમલો થયો અને તેમની પાસે લાંબા ગાળાના વીઝા ન હોવાથી તેમને અટારી બોર્ડર પર મોકલી દેવામાં આવ્યા. જે દિવસે તે અટારી-વાઘા બોર્ડર પર હતી, તે જ દિવસે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો અને તેની સુનાવણી થઈ. જેમાં કોર્ટે આ આદેશ અને સમગ્ર કાયદાને જોયા પછી, એક વચગાળાનો આદેશ પસાર કર્યો, જેના પછી તેને સરહદ પરથી પાછી મોકલી દેવામાં આવી હતી. તે વહેલી સવારે લગભગ ૩ વાગ્યે જમ્મુ પહોંચી ગઈ હતી.

Related Posts

Top News

ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?

ભારતીય ટીમ 2025 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એક વખત પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે...
Sports 
ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?

₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ H-1B વીઝા પર વાર્ષિક  100,000 ડોલરની ફી લાદવામાં આવી હોવાના હોબાળા વચ્ચે, યુએસ વહીવટીતંત્રે હવે નોંધપાત્ર...
World 
₹88 લાખ ફી સાથે H-1B વીઝા અંગે મોટા સમાચાર, USએ કહ્યું - ભારતથી ઉતાવળમાં પાછા ફરવાની જરૂર નથી

નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

નવલી નવરાત્રીના પવિત્ર ઉત્સવનો 22 સપ્ટેમ્બર સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે તે પહેલા સુરત ખોડલધામ સમિતિનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો...
Gujarat 
નવરાત્રિ માટે ખોડલધામ સમિતિનો ક્રાંતિકારી નિર્ણય, 28 જગ્યાએ ગરબા થશે

PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. અમે નેશનલ મેટીટાઇમ હેરીટેજ મ્યુઝીયમ વિશે...
Gujarat 
PM મોદી જયા ગયા તે અમદાવાદના નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ વિશે જાણો

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.